Category: Press Release

  • Press Note Hindi Dt: 27.03.2017 LED Scam

    शक्तिसिंहजी गोहिल का कार्यालय,

    राष्ट्रीय प्रवक्ता, .आई.सी.सी., और विधायक, अबडासा

    प्रेस विज्ञप्ति                                                           २७ मार्च, २०१७

    Highlights of the press briefing of Shri Shaktisinh Gohil and Prof. Rajeev Gowda, MP

    Video Link :- https://youtu.be/UNt1L1RK5C0

    Prof. Gowda said he is happy to present to the Media our Leader from Gujarat and AICC Spokesperson Shri Shaktisinh Gohil who will address the Media on behalf of the Congress party. 

    श्री शक्ति सिंह गोहिल ने पत्रकारों को संबोधित करते हुए कहा कि NDA सरकार के नाम पर जिस तरह से लाईट आती है और जाती है पलक झपकते ही कैसे वहाँ पर करप्शन हो जाता है, उस पर मैं प्रकाश डालने वाला हूँ। यूपीए सरकार ने 4 PSUs को मिलाकर – एनर्जी ऐफिशियेंसी सर्विसिज लिमिटड कर के एक कंपनी बनाई, जिसका काम था देश में एनर्जी, ऐफिशियेंसी सर्विसिज के बारे में जागृति लाना, टेक्निकल सपोर्ट देना, individual को और लोकल बॉडिज को भी। टेक्निकल ज्ञान भी देना और उसके साथ काम देने की सुविधा देना। ये इस कंपनी का काम था। NDA सरकार आने के बाद इस कंपनी को भ्रष्टाचार का प्लेटफॉर्म बना दिया। 

    यह कंपनी एक डायोड – एक बल्ब या एक चीज LED की एक EESL चीज नहीं बनाती। लेकिन फिर भी पूरे देश में ये LED वाली सारी चीजें यही कंपनी उपलब्ध कराती है। अब सबसे महत्वपूर्ण बात ये है कि जो कंपनी कोई कलपूर्जा नहीं बनाती है वो कंपनी माल तो बाहर से ही लेगी, कोई भी PSU हो, सरकार का विभाग हो या PSUs सरकार से संबंधित कोई भी कंपनी हो, विजिलेंस कमीशन की गाईडलाईन है -सुप्रीम कोर्ट का भी एक जजमेंट है और उसी के तहत भारत सरकार के मिनिस्ट्री ऑफ फाईनेंस ने एक सर्क्यूलर निकाला और उसके जरीए सभी को बताया कि अगर आप कोई भी चीज खरीद रहे हैं तो उसमें पारदर्शिता होनी चाहिए, काम्पिटेटिव बिड की व्यवस्था होनी चाहिए, L1 को ही काम मिलना चाहिए इत्यादि। E प्रक्योरमेंट के लिए तरह-तरह की बातें चलती थी, मिनिस्ट्री ऑफ फाईनेंस ने यूपीए के दौरान ही और विजिलेंस कमीशन ने भी बहुत स्ट्रीक्ट गाईडलाईन दी कि आपको E प्रक्योरमेंट के लिए जो वेबसाईट बनी है वहीं से सरकार के बने हुए प्लेटफॉर्म पर ही टेंडर इनवाईट करना है, आप कहीं और ये नहीं कर सकते। 

     EESL का की पहली समस्या ये है कि जो टेंडर इनवाईट करते हैं वो मिनिस्ट्री ऑफ फाईनेंस और विजिलेंस कमीशन दोनों की गाईडलाईन के खिलाफ जाकर अपनी प्राईवेट कंपनी की वेबसाईट पर ये टेंडर इनवाईट होता है, नतिजन उसको जितना चाहें आप मैन्यूप्लेट कर लें। आप XYZ को सेल्केट कर सकते हैं। इसको रोकने के लिए ही विजिलेंस कमीशन और मिनिस्ट्री ऑफ फाईनेंस ने ये कानून बनाया है इसके बावजूद EESL ने  उससे उलट काम का। 

    यहाँ पर ‘मेक इन इंडिया’ की भी बात आती है उसका भी मंत्रालय ने पूरी तरह से मजाक बना दिया। EESL सीधा ‘मेड़ इन चाईना’, ‘मेड इन ताईवान’ सामान  वहीँ खरीदती है। आश्चर्यजनक बात ये है कि LED सामान के सत्यापन के लिए LM80 का प्रयोग होता है जो यह बताता है कि खरीदा गया सामान भरोसे का है और साथ ही सरकार के नियत पैमाने पर खरा है। इस कंपनी ने सारी खरीददारी LM80 के बगैर LED की सारी चीजें, चाहे वो स्ट्रीट लाईट हों, उजाला के बल्ब हों, पम्प हो ये सारी चीजें बिना सर्टिफिकेशन के ले रहे हैं। ये सारी- ‘मेड़ इन चाईना’ या ‘मेड इन ताईवान’ से हैं। तो ‘मेक इन इंडिया’ जैसे फ्लैग शिप प्रोग्रेम  का क्या फायदा? 

    दूसरी चीज LED स्ट्रीट लाईट, अर्बन लोकल बॉडीज में इस्तेमाल के लिए, पहले की यूपीए सरकार भी कहती थी, कि कॉम्पिटेटिव बिड मार्किट से जो L1 आएगा उसी को मौका देंगे। लोकल बॉडी को इस मद में कोई भी पैसा नहीं देना पड़ेगा बशर्ते सारी प्रक्रिया की 3rd पार्टी ऑडिट होगी, जांच होगी और बाद में ही भुगतान हो पाएगा। लेकिन अब लोकल बॉडी में EESL, LED  स्ट्रीट लाईट लगा देगी, इसका 3rd पार्टी ऑडिट नहीं होगा। EESL ने उपकरण लगा दिया और यह मान लिया गया कि 50 प्रतिशत अनुमानित (Deemed) बचत हो गया क्योंकि ये NDA की सरकार लगा रही है। 1 लाख का बिल आ रहा है तो इसको मान लिया जाएगा कि 50 प्रतिशत Deemed सेविंग से मेरा बिल घटकर 50 हजार हो जाएगा। 50 हजार का जो सेंविग होगा उसका 60 प्रतिशत मान लो 30 प्रतिशत EESL कंपनी ले जाएगी और 40 प्रतिशत ULB  (अर्बन लोकल बॉडी) का सेविंग मान लिया जाता है। ‘मैं ही चोर, मैं ही कोतवाल’।

    प्रश्न ये उठता है कि 3rd पार्टी ऑडिट से किसी को क्या आपत्ति है? क्यों यह EESL कंपनी ही तय करेगी कि कौन ऑडिट करेगा?  इसका अधिकार भी EESL को दे दिया ताकि कोई दिक्कत ही ना रहे। मैंने कुछ म्यूनिसिपेलिटी के कुछ बिल जानकारी के लिए जांच किए , जहाँ पर EESL की LED लगी हैं। RTI डाली, वहाँ म्यूनिसिपेलिटी से डाटा निकाला है और विशलेषण किया। मैंने एक म्यूनिसिपेलिटी चुनी जहाँ पर लगभग 48 बिल आते थे। LED लगी वहाँ पर सितम्बर 2016 में, उससे पहले जो बिल आता था वो था रुपए 5,03,516 अगस्त में। अब स्ट्रीट लाईट होगी तो 50 प्रतिशत सेविंग होनी चाहिए। मैंने सितम्बर का बिल निकाला तो वो 50 प्रतिशत कम तो नहीं हुआ वो बढ़कर रुपए 5,97,865 हो गया। फिर अक्टूबर का निकाला 5,36,000, नवंबर का निकाला 5,24,000, दिसंबर का 5,47,000 और जनवरी में 6,04,000 हो गया। LED के बाद बिल बढ़ गया। ये कहानी नवसारी म्यूनिसिपेलिटी की है।

    अगर सही अर्थ में LED होगी तो पॉवर कम खर्च होगा और अगर आपने क्वालिटी नहीं देखी तो बिल बढ़ेगा और इतना ही नहीं आपने देखा होगा माडर्न मेडिकल साईंस कहता है कि LED अगर ठीक लाईट वाली नहीं है तो फायदा नहीं उलटा आँखों को गंभीर नुकसान देता है। मोदी जी प्रचार तो कर रहे हैं पर ऐसा ना हो कि लोगों को अंजाने में लेने का देना पड़ जाए। 

    हमारा सीधा सवाल है कि ऊर्जा मंत्री पियूष गोयल जी के अंतर्गत यह विभाग है, उनका ट्विटर तो पॉवर सेक्टर के लिए कपाल भाती की तरह ट्वीट करता रहता है, मैं चाहता हूं कि इस पर भी ट्वीट करें और बताएँ कि मिनिस्ट्री ऑफ फाईनेंस और विजिलेंस कमीशन की गाईडलाईन को क्यों फोलो नहीं किया गया EESL द्वारा? आपने LED में सर्टिफिकेशन की अनदेखी क्यों की है? आपने ‘मेक इन इंडिया’ की बजाए चाईना के लोग क्यों पसंद आए, क्यों इंडिया के लोगों को काम नहीं दिया जा रहा है? क्यों 3rd पार्टी जांच की अनुमती नहीं है? कि मेरी ULB पैसे दे रही है, तो Deemed क्यों मान लिया जाए, हम ऑडिट करेंगे, ऑडिट में अगर बिजली की खपत कम पाई जाती है तो आपको 50 प्रतिशत में से 60 प्रतिशत जरुर दिया जाएगा। बिना 3rd पार्टी के ऑडिट के आप खुद ही तय कर लें- मैं ही चोर, मैं ही कोतवाल, ये कैसे तय करेंगे? अगर पियूष गोयल जी के आशिर्वाद से ये नहीं चल रहा है तो इसकी इंडिपेंडिट जांच कब करावाएंगे? हमारी मांग है कि सुप्रीट कोर्ट की निगरानी में इसकी जांच की जाए, ये 20 हजार करोड़ का भ्रष्टाचार हो सकता है, जिस तरह से हमारा आकलन है। क्योंकि बात क्वालिटी की है, जहाँ बल्ब 60 रुपए का मिलता है, वही चाईना का 5 रुपए में मिल सकता है। वो चाईनिज माल यहाँ पर आ रहा है, जो आँखो को नुकसान कर सकता है। तो इसके बारे में जांच हो ये हमारी मांग है। 

    एक प्रश्न पर कि आपने इस मुद्दे को विधानसभा में क्यों नहीं उठाया, श्री गोहिल ने कहा कि मुझे दुख है कि विधानसभा में मैं खुद बोला था और मैंने नवसारि म्यूनिसिपेलिटी के आंकड़े रखे। सदस्यों के बोलने के बाद मंत्री जो को जवाब देना होता है। मेरे इस प्रश्न का कोई जवाब मंत्री जी नहीं दे पाए और इसलिए विधानसभा में इस मुद्दे को उठाने के बाद अब मीडिया के माध्यम से जनता के सामने रख रहा हूं। आपके सामने रखने से पहले मैं जानना चाहता था कि ESSL LED लगाती है वहाँ क्या होता है? RTI होती है, उसका विशलेषण करके मैं विधानसभा में बोला। अगर मैं गलत होता तो मेरे खिलाफ प्रिविलेज मोशन लाया जा सकता था, जो नहीं आया है। हम जनता की कोर्ट में जाते हैं – यह मुद्दा सिर्फ किसी राज्य से जुड़ा नहीं है क्योंकि LED को बिजली की खपत रोकने के लिए पूरे देश में इस्तेमाल किया जा रहा है इसलिए हम आज इसे आपके बीच में लेकर आए हैं। 

    एक अन्य प्रश्न पर कि शिवसेना सांसद के एयरलाईंस स्टाफ से दुर्व्यवहार करने पर क्या कहेंगे, श्री गोहिल ने कहा कि हमने पहले ही अपना स्टेंड साफ कर दिया था और कहा था कि नेता जनता का रोल मॉडल भी होता है और इस तरह का व्यवहार सही नहीं है। हम चाहते हैं कि वो खुद भी आत्मनिरिक्षण करें और गलती हुई है तो उनको इसे सही करना चाहिए। 

    संगठन चुनाव के विषय पर पूछे गए प्रश्न के उत्तर में श्री गोहिल ने कहा कि कांग्रेस पार्टी ने हर वक्त, जब-जब चुनाव आयोग की जो भी गाईडलाईन है उसको समयबद्ध तरीके से पूरा करने का प्रयास किया है। पार्टी धन्यवाद करती है चुनाव आयोग का कि हमें अपनी चुनावी प्रक्रिया पूरा करने का समय उन्होंने दिया है। हमें पूरा विश्वास है कि हम इस तय समय में अपनी आंतरिक चुनावी प्रक्रिया को पूरा करने में सक्षम होंगे। 

    एक अन्य प्रश्न पर कि गुजरात में कांग्रेस का सीएम चेहरा कौन होगा, श्री गोहिल ने कहा कि जब पंचायत के चुनाव हुए, तब भी बीजेपी का चेहरा नरेन्द्र मोदी जी थे, क्योंकि  मामला गुजरात का था। लोकल बॉडी चुनाव में पोस्टर नरेन्द्र मोदी जी के लगे थे, आनंदी बेन के छोटी तस्वीर लगी थी। 31 जिला पंचायत के चुनाव में, एक ही जिला पंचायत हमारे पास थी। बीजेपी के पास 30 जिला पंचायत थी, जो 6 में सिमट गई और हम 23 में सीधे बहुमत के साथ जीते और 2 हमने इंडिपेंडेड और दूसरे के साथ से बनाई। तो 25 जिला पंचायत चुनाव हम जीत कर आए। तब नरेन्द्र मोदी जी के चेहरे से बीजेपी लड़ी। हम हाथ के पंजे के चिन्ह के साथ लडेंगे और जीतेंगे। गुजरात में चाहे जब भी चुनाव हों, कांग्रेस जरुर जीतेगी और जनता का साथ हमें मिलेगा। 

    On the question whether PIL will be filed in this regard, Prof. Gowda said this will be raised as an issue of National importance that needs to be brought to the attention of the House during zero hour. We will do so because this is an issue concerning the Central Government and its action and the scale of the potential fraud is enormous and therefore, it is incumbent upon us to raise this issue in Parliament and that is what we will do.

    To another question as to whether the ‘Aadhar’ will be linked to the EVMs, Prof. Gowda said that the way this Government is going; they will make ‘Aadhar’ mandatory for everything. Before you brush your teeth, you have to press some biometric etc…. Seriously, I do not want to make light of this issue. The basic point is that the Government is going across the board, they are making it mandatory. It is indirectly flouting the observations of the Hon’ble Supreme Court and right now in the Rajya Sabha, there is a discussion on the Finance Bill going on where these issues are being raised. Shri Kapil  Sibal raised that in his speech in the afternoon and we are very concerned because if you make it mandatory across the board, then the Hon’ble Supreme Court’s observations becomes meaningless and that is not the last time. When I did a Press Conference on Thursday, I pointed out as to how this Government is undermining Constitutional Institutions like the Hon’ble Supreme Court and this is an example of what we are concerned about it is if the Government wants to expand the use of ‘Aadhar’, which may be appropriate in certain circumstances, please persuade the Hon’ble Supreme Court that is what you want to do and give the justification for doing so and if the justifications are valid and rational, the Hon’ble Supreme Court will also agree but going in this brazen manner is what the problem is and the Government does not seem to care.

    ————————————————————————————————

     

    Click here to view/download the Press Note

  • Press Note Guj. Dt: 25.03.2017 મેરીટાઇમ બોર્ડની આવકની ટકાવારી સરકારે કાપી

    Click here to download/view the Press Note

    શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

    રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

    અખબારી યાદી                                                       તા. ૨૫.૦૩.૨૦૧૭     

    મેરીટાઇમ બોર્ડની આવકની ટકાવારી સરકારે કાપી લેવાના વિધેયક ઉપર શ્રી શક્તિસિંહ ગોહિલનું વિધાનસભામાં પ્રવચન.

    • કોંગ્રેસ પક્ષની સરકાર હતી ત્યારે વિરોધ પક્ષ ભાજપને વિશ્વાસમાં લઈને સર્વ સંમતિથી બંદરોના વિકાસ માટે મેરીટાઇમ બોર્ડ બનાવેલ હતું. આજે ભાજપ તેને ખતમ કરવા જઈ રહેલ છે.
    • મેરીટાઇમ બોર્ડ બન્યું ત્યારે વિરોધપક્ષમાં રહીને ભાજપે બંદરોના વિકાસ માટે કામો કરવાની જે વાતો કરી હતી તેમાંથી ૨૨ વર્ષ સત્તામાં રહ્યા પછી એક પણ કામ કર્યુ નથી.
    • મેરીટાઇમ બોર્ડની આવકમાંથી ૧૫% બોર્ડના વિકાસ માટે આપવાની કાયદાની જોગવાઈમાં સુધારો તે વિધાનસભાના અધિકાર ઉપરની તરાપ છે.
    • ૧૬૦૦ કી.મી. ના ગુજરાતના દરિયાકાંઠાના વિકાસને રૂંધનારો ભાજપ સરકારનો નિર્ણય.
    • મેરીટાઇમ બોર્ડના કાયદાની ૨૦ (૧) (એફ) થી બોર્ડના કર્મચારી રાજ્ય સરકારના કર્મચારીની સમકક્ષ હોવા છતા સાતમાં પગાર પંચનો લાભ હજુ સુધી અપાયો નથી.
    • કોંગ્રેસ સરકારે ભાવનગરના વિકાસ માટે એશિયાનું સૌથી મોટુ શીપબ્રેકીંગ યાર્ડ વિકસાવ્યું પરંતુ ભાજપની સરકારે અલંગના વિકાસ માટે કોઈ ચિંતા કરી નથી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી વિકસાવ્યું અને મજદૂરના કલ્યાણની પણ ચિંતા સરકાર નથી કરતી.
    • સરકારી બંદરો નબળા પડે અને ખાનગી બંદરો ધમધમે તેવી ભાજપની નીતિ. નવલખી બંદરની નિકાસ એક વર્ષમાં એક લાખ ટન ઘટી ગઈ.
    • લોક ગેઇટની વ્યવસ્થા સાથે એક સમયે ધમધમતુ ભાવનગરનું બંદર આજે મૃત:પાય થઈ રહ્યું છે. સરકારની ભાવનગર વિરોધી નીતિના કારણે બે વર્ષ પહેલા જે ભાવનગરના બંદરથી ૦.૫૫ લાખ ટનની નિકાસ થતી હતી તે ઘટીને આ વરસે માત્ર ૦.૦૨ લાખ ટન એટલે કે સાવ નજીવી થઈ ગયેલ છે.
    • કચ્છનું મુન્દ્રા સરકારી બંદર સક્ષમ બનવું જોઈએ કોઈ ખાનગી કંપનીને ન આપવું જોઈએ. મેરીટાઇમ બોર્ડની રકમમાં ઘટાડો ઘાતક બનશે.

  • Press Note Dt: 22/03/2017 શિક્ષણ વિભાગની  માંગણીઓ પર ચર્ચા.

    Press Note Dt: 22/03/2017 શિક્ષણ વિભાગની માંગણીઓ પર ચર્ચા.

    Click here to view/download press note.

     

    શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

    રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

     

    અખબારી યાદી                                                           તા. ૨૨.૦૩.૨૦૧૭    

       

    • જો સરકારી શાળાઓમાં સારું શિક્ષણ મળે છે તો પછી ભાજપના મંત્રીઓ તેમના બાળકોને ખાનગી શાળામાં શા માટે ભણાવે છે?
    • વિઘાસહાયકોની ભરતીમાં ખૂબ જ મોટા ગોટાળા, અનિયમિતતા અને ભ્રષ્ટાચાર.
    • મેરીટ્સ વગરના વિદ્યાસહાયકોએ ભ્રષ્ટાચારથી નોકરી મેળવી.
    • શિક્ષણ વિભાગની તપાસ સમિતિએ જ સાબિત કરેલ છે કે અનેક ખોટા પ્રમાણપત્રો અને ખોટી માર્કશીટો બનાવીને નોકરીઓ મેળવી લેવામાં આવી છે.
    • શિક્ષકને સરકાર શિક્ષણનું કામ કરવા દેવાના બદલે શૌચાલય ગણવા મોકલી તેમનું અપમાન કરે છે.
    • કર્મચારીઓના ભાગલા પાડો અને રાજ કરો તે સરકારની નીતિ છે.
    • ફીક્સ પગારના ૨૦૦૬ પહેલાંના કર્મચારીને લાભથી શા માટે વંચિત રખાયા ?
    • શિક્ષકોની ભરતીની જેટલી જગ્યા ભરવાની જાહેરાત આપવામાં આવે તેટલી ભરવી જોઈએ. નોકરીમાં હોય તે જ પસંદગીનો જિલ્લો મેળવે તેને નવી નોકરી ન કહેવાય.
    • ગુજરાતના તેજસ્વી બાળકોને ભણાવનાર શિક્ષકો, પ્રોફેસરો અને પ્રિન્સિપાલની અસંખ્ય જગ્યાઓ ગુજરાતમાં ખાલી છે.
    • જ્યાં મહાત્મા ગાંધીજી ભણ્યા હતા તે ભાવનગરની કોલેજ વર્ષોથી પ્રિન્સિપાલ વગરની.
    • સ્ત્રી કેળવણી મંડળ સંચાલિત એસએનડીટીની ભાવનગરની કોલેજની વિઘાર્થીનીઓને વિદ્યાસહાયક માટે યોગ્ય ન ગણવાનો સરકારનો નિર્ણય અન્યાયકર્તા.
    • લખપતની સરકારી કોલેજ કોઈપણ સુવિધા કે પ્રાધ્યાપકો વગરની.
    • એમ.એસ. યુનિવર્સિટીની એમ.ઈ. ઈલેકટ્રોનિક્સની શાખા એ એમ.ઈ. સમકક્ષ જ ગણવી જોઈએ.
    • કચ્છ જિલ્લાના લખપત, અબડાસા, નખત્રાણાના થોડા વિસ્તારને પાણી અને ધાસ તાત્કાલિક પૂરું પાડવું જોઈએ.

    —————————-———————————————————————————

  • Press Note Dt: 16/03/2017 PAC 6th Report on Home Department

    Click here to view/downlod  PAC_6th_Report

     

    શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

    રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

    અખબારી યાદી                                                       તા. ૧૬.૦૩.૨૦૧૭   

                 આ સાથે વિધાનસભમાં રજુ થયેલ જાહેર હિસાબ સમિતિના છઠ્ઠા અહેવાલ (સન ૨૦૦૮-૦૯ ના વર્ષના સી.એ.જી.ના ઓડિટ અહેવાલ (મુલ્કી) પરનો ગૃહ વિભાગને સંબંધિત અહેવાલ) ની નકલ તેમજ મુખ્ય મુદ્દાઓ આ સાથે સામેલ છે. 

    • ગુજરાતમાં આતંકવાદ સામે લડવા અને કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ તંત્રની અનેક ક્ષતિઓ સામે જાહેર હિસાબ સમિતિની લાલ આંખ.
    • વિધાનસભામાં ગૃહ વિભાગ ઉપર જાહેર હિસાબ સમિતિનો અહેવાલ રજુ થયો.
    • પાકિસ્તાન જેવા દુશ્મન દેશની સરહદે ગુજરાત રાજ્ય હોવા છતા ATS (આતંકવાદ વિરોધી દળ) માં પુષ્કળ જગ્યાઓ ખાલી.
    • ગુજરાતમાં ખુબ મોટા પ્રમાણમાં દારૂગોળાની અછત.
    • ગુન્હા રોકવા તથા ગુનેગારોને પકડવા માટે જરૂરી વાયરલેસમાં ખુબ મોટા પ્રમાણમાં જગ્યાઓ ખાલી.
    • આતંકવાદ સામે લડવા ATS ના દળને કોઈ ખાસ તાલીમ જ નથી અપાઈ.
    • પોલીસ સ્ટેશનોમાં અપૂરતા વાહનો.
    • કચ્છ અને બનાસકાંઠા સરહદી જીલ્લા હોવા છતાં જરૂરીયાત કરતા ખુબ ઓછા વાહનો.
    • કચ્છ અને બનાસકાંઠા જીલ્લામાં પોલીસને પૂરતા વાહનો ફાળવવા સમિતિનું સૂચન.
    • લાખો રૂપિયાના મશીનો ખરીદાયા પછી નકામાં સાબિત થયા.
    • ગુજરાતમાં દારૂગોળાની ૨૬% થી ૧૦૦% સુધીની અછત.
    • જવાબદારો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા સમિતિની ભલામણ.
    • ગૃહ વિભાગમાં નાણાંકિય અશિસ્ત સામે સમિતિની નારાજગી.

     

     

         

  • Press Note Guj. Dt: 15.03.2017 ભચાઉ થી ભુજ વચ્ચેનો રસ્તો પૂર્ણ કરવા બાબત.

    શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

    રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

    અખબારી યાદી                                                       તા. ૧૬.૩.૨૦૧૭

                   બાંધકામ વિભાગની માંગણીઓ પરની ચર્ચામાં અબડાસાના ધારાસભ્યશ્રી શ્રી શક્તિસિંહજી ગોહિલે ભચાઉ થી ભુજ વચ્ચેનો રસ્તો લાંબા સમયથી પૂર્ણ થતો નથી તેની રજૂઆત કરી હતી અને માંગણી કરી હતી કે જો એજન્સી કામ પૂરું ન કરતી હોય તો તેના ખર્ચે અને જોખમે તાત્કાલિક ભચાઉ-ભુજ નો રસ્તો પૂરો કરવો જોઈએ. બાંધકામ મંત્રીશ્રીએ રજુઆતના સંદર્ભમાં કામ એજન્સી શરુ ન કરે તો તેના ખર્ચે અને જોખમે સરકાર કરશે તેવી ખાત્રી આપી હતી.

           નખત્રાણા તાલુકાના વજીરાવાંઢ જેવા વાંઢો અને નાના ગામો જેવા બાર માસી સારા રસ્તા વગરના કચ્છમાં ગામો છે તેને સારા રસ્તા આપવા પણ શક્તિસિંહ ગોહિલએ માંગણી કરી હતી.

    —————————————————————————————-

    Click Here to view / download the Press Note.

     

     

     

     

     

     

     

     

     

     

     

     

     

     

     

     

     

     

     

     

  • Press Note Guj. Dt: 10.03.2017 ગુજરાત રાજ્યમાં ચાલતા ભ્રષ્ટાચાર, ગેરવહીવટ, અનિયમિતતા, પ્રદુષણ તથા જુઠાણાઓનો PAC ના અહેવાલમાં પર્દાફાશ.

    • જાહેર હિસાબ સમિતિનો પાંચમો અહેવાલ ગુજરાત વિધાનસભામાં રજુ થયો.
    • રાજ્યમાં ચાલતા ભ્રષ્ટાચાર, ગેરવહીવટ, અનિયમિતતા, પ્રદુષણ તથા  જુઠાણાઓનો  PAC  ના અહેવાલમાં પર્દાફાશ.
    • શૌચાલયના કામો થયા વગર જ પૂર્ણતાના પ્રમાણ પત્રો આપી દેવાયા.
    • સિમેન્ટની ખરીદીમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયેલ છે તેના સામે શિક્ષાત્મક પગલા લેવાની PAC ની ભલામણ.
    • ભૌતિક સિધ્ધિ વગર લક્ષ્યાંક સિધ્ધ થયેલા ખોટા આંકડા દર્શાવાયા.
    • RTE ના કાયદનો યોગ્ય અમલ કરવાના બદલે શિક્ષણનું વ્યાપારીકરણ થાય તેવા સરકારના પરિપત્ર સામે PAC ની લાલ આંખ.
    • સેલ્ફ હેલ્પ ગ્રુપો એન સરકારી ડેરીના સભ્યો માટે સસ્તા ધિરાણની જોગવાઈ ન થઈ
    • NGO ના નામે લોન લઈ લીધી અને વસુલાત સરકારે ન કરી.
    • ગરીબ માણસ માટે મફત પ્લોટ ફાળવવા લેન્ડ કમિટી જ સમયસર મળતી નથી.
    • આવાસ બન્યા ના આંકડા સદંતર ખોટા,
    • પ્રદૂષણ નિયંત્રણ માટે કામગીરીમાં સંપૂર્ણ નિષ્ફળ.
    • આરોગ્યને નુકશાન કારક કચરાનો યોગ્ય નિકાલ જ નથી.
    • બાયોમેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ ન કરે તેની સામે શિક્ષાત્મક પગલાની સમિતિની ભલામણ,
    • અમદાવાદના પિરાણા ડમ્પિંગ સાઈટ પર કચરાના ઊંચા ઢગ ખડકાય છે જે નિયમથી વિરુધ્ધ છે. આ ડમ્પિંગ બંધ થવા આદેશ.
    • સાબરમતી નદીમાં દુષિત પાણી છોડવામાં આવે છે તે ઉદ્યોગો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા ભલામણ.
    • સરકારની નબળી કામગીરીના કારણે સમયસર કામ પૂર્ણ ન થતા કેન્દ્ર સરકારમાંથી મળતા નાણા કપાયા છે.
    • હાથથી મેલુ ઉપાડવા સરકાર માત્ર અહેવાલ મંગાવે તે પુરતું નથી. તપાસ કરીને ચોક્કસ કાર્યવાહી કરવા ભલામણ.
    • ગંભીર ગેરરીતિના કિસ્સામાં ઘણો વિલંબ થયેલ છે. તાત્કાલિક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે. 
    • RTE ના કાયદામાં બાળકોની સંખ્યા દીઠ શિક્ષકો ફાળવવાની જોગવાઈ કરવામાં આવેલ છે. ખાસ કરીને આદિવાસી વિસ્તાર અને કચ્છ જેવા વિસ્તારોમાં શિક્ષકોની ખુબ મોટા પાયે ઘટ છે. આ ઘટ વાસ્તવિક રીતે નિવારી શકાય તે માટે અલાયદી વિચારણા કરવાની જરૂર જણાય છે. આદિવાસી વિસ્તારની શાળામાં જે તે વિસ્તારની જ વ્યક્તિઓને શિક્ષક તરીકે નિમણુંક આપવામાં આવે અને આ નિમણુંકને નોન ટ્રાન્સફરેબલ કરવી કે જેથી શિક્ષકોની ઘટ પૂરી શકાય. વધુમાં કેટલાક આદિવાસી વિસ્તારોમાં સ્થાનિક આદિવાસી ભાષા બોલવામાં આવે છે તે  જ રીતે કચ્છમાં કચ્છી ભાષા બોલવામાં આવે છે તેવા વિસ્તારોમાં તે ભાષાના જાણકાર હોય અને તે ભાષામાં બોલી શકતા હોય તેવા સ્પર્ધકોની ૧૦ ટકા જેટલી ટકાવારીમાં અગ્રીમતા આપવાથી સ્થાનિક શિક્ષકો મળી શકે અને તે ભાષાનું સંવર્ધન થશે.
    • RTE ના કાયદામાં શાળામાં પ્રવેશ આપવા સંબંધમાં સ્પષ્ટ જોગવાઈ છે કે જેટલી અરજીઓ આવી હોય તેનો જાહેરમાં અને અરજદારની હાજરીમાં ડ્રો કરવો. આ જોગવાઈથી વિપરીત શિક્ષણ વિભાગે પરિપત્ર કર્યો છે કે અરજીઓનો ડ્રો કરવો અથવા તો વહેલા તે પહેલાના ધોરણે શૈક્ષણિક સંસ્થા એડમિશન આપી શકશે. સમિતિએ નોંધ્યું હતું કે વહેલા તે પહેલાનું ધોરણ સંસ્થાને મનગમતાને એડમિશન આપવા માટેનો દરવાજો ખોલી આપે છે. આથી સમિતિ ભલામણ કરે છે કે RTE કાયદાની જોગવાઈને ચુસ્તપણે વળગી રહીને ડ્રો દ્રારા જ એડમિશન આપવામાં આવે.
    • RTE ના કાયદા નીચે જે બાળકોને પ્રવેશ આપવામાં આવે છે તે બાળકોને અન્ય બાળકોથી અલગ બેસાડવા કે અલગ વર્ગખંડ ઉભો કરવો તે કાયદાના મુખ્ય હાર્દથી વિરુધ્ધ છે.

    ————————————————————————————————-

     

     

    Click here to view/download PAC 5th Audit Report

  • Press Note Guj. Dt: 03.03.2017 બજેટ પરની સામાન્ય ચર્ચા.

    શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

    રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

    અખબારી યાદી                                                       તા. ૦૩.૦૩.૨૦૧૭   

     

    વિધાનસભમાં બજેટ પરની સામાન્ય ચર્ચામાં ભાગ લેતા શ્રી શક્તિસિંહજી ગોહિલ જે બોલ્યા હતા તેની ટ્રાન્સસ્ક્રીપ્ટ તથા મુખ્ય મુદ્દાઓ

    • ગુજરાત સરકારના બજેટમાં વાતો કરેલ છે પરંતુ નાણાંની ફાળવણી કરી નથી.
    • સરકાર દર વર્ષે પુરાંતવાળા બજેટની વાત કરે છે જે જૂઠ્ઠાણું છે. દર વર્ષે વર્ષના અંતે મોટી ખાધ રહે છે.
    • સરકાર બોલીને ફરી જાય છે, જે ખતરનાક છે. કચ્છી કહેવત છે કે, “ચોર કમજો, ચટો કમજો,
      પ ગાલાવેલો કૈં ન કમજો.”
    • એક લાખ નવ હજારને નોકરી આપી તે સરકારનું સૌથી મોટું જૂઠ્ઠાણું છે.
    • રાજકોટ, કચ્છ, મોરબી અને અન્ય જિલ્લાના દસ્તાવેજી પુરાવા જણાવે છે કે, જે ફેકટરીઓમાં વર્ષોથી નોકરી કરતા હતા તેમને બસોમાં બેસાડીને લાવી તેમના ખાલી ફોર્મ ભરાવેલ છે.
    • મજૂરી કામે જતા લોકોના અંગુઠા મરાવીને નવી નોકરી આપ્યાના ફોર્મ ભરાવેલ છે, જેના દસ્તાવેજી પુરાવા વિધાનસભામાં રજૂ થયા.
    • મજૂરો પૂરા પાડતા કોન્ટ્રાક્ટરોને ત્યાંથી છૂટક પૂરા પડાતા મજૂરોના પણ ફોર્મ ભરીને નવી નોકરીના ફોર્મ ભરાવ્યા છે.
    • જે ફેકટરીમાં મહિનાઓથી નોકરી કરતા હતા તેમને નવી નોકરી આપી છે તેવા ફોર્મ ભરાવ્યાના દસ્તાવેજી પુરાવા વિધાનસભામાં રજૂ કરીને કઈ કઈ તારીખથી રાજકોટમાં નોકરીમાં હતા તેનું સેંકડોનું લિસ્ટ દર્શાવાયું.
    • બેરોજગાર યુવાનોનો આક્રોશ છે ત્યારે નોકરી આપવાના બદલે મેગા ફેરનું સરકાર નાટક
      કરે છે.
    • નર્મદાના દરવાજાનું કામ કરવાની મંજૂરી જૂન ૨૦૧૪માં મળ્યા બાદ પોણા ત્રણ વર્ષ કામમાં થયા, તે ગુનાહિત બેદરકારી છે.
    • દરવાજા બંધ કરવાની મંજૂરી કેન્દ્રની ભાજપ સરકાર તાત્કાલિક આપે.
    • આર્થિક પછાતને અનામત ૨૦૧૮માં કોંગ્રેસ સરકાર આપશે અને SC, ST તથા OBCની અનામતને ક્યાંય ઠેસ ન પહોંચે તે રીતે આપશે.
    • આનંદીબેને ૧૦% અનામત આપી હતી, તેને ભાજપના પ્રદેશ અધ્યક્ષ ગેરબંધારણીય ગણે છે, તે ભાજપની આંતરિક લડાઈનું પ્રમાણ છે.
    • સાયન્ટીફીક સર્વે સાથે કોંગ્રેસ અનામત આપશે.
    • કચ્છ જિલ્લામાં પીવાના પાણીના સ્થાનિક સોર્સ નથી અને પાણીની અત્યંત મુશ્કેલી છે.
    • નખત્રાણાની કોલેજ પાટીદાર સમાજ ચલાવે છે તેને ભાજપના નેતાઓએ ગ્રાન્ટેડ કરવાની ખાતરી આપી હતી, તો તેનો અમલ કરે.
    • સરકાર ગામડાઓની વિરોધી છે. ૨૦૧૩-૧૪માં રૂ. ૯૨૪ કરોડ અને ૨૦૧૪-૧૫માં રૂ. ૧,૨૦૦ કરોડ કાપી નાંખ્યા છે.
    • સરકાર SC, ST, OBC તથા ગરીબોની વિરોધી છે. માટે ૨૦૧૩-૧૪માં રૂ. ચાર હજાર કરોડ અને ૨૦૧૪-૧૫માં સામાજિક સેવાના વાપર્યા નથી.
    • આ વર્ષના બજેટમાં કચ્છને સૌથી વધારે અન્યાય કર્યો છે. સરહદી વિસ્તારના વિકાસ માટે રૂ. ૨૨૩ કરોડ અગાઉના વર્ષે ફળવાયા હતા તે ઘટીને આ વર્ષે માત્ર રૂ. ૫૦ કરોડ જ ફાળવ્યા છે.

     

     

    Click here to download and view Press Note

  • પ્રેસ નોટ ૨૮/૦૨/૨૦૧૭ માનનીય રાજયપાલશ્રીનું પ્રવચન

    માનનીય રાજ્યપાલશ્રીના પ્રવચન પર
    શ્રી શક્તિસિંહજી ગોહિલના વક્તવ્યની ટ્રાન્સસ્ક્રીપ્ટ તથા મુખ્ય મુદ્દાઓ

    • રાજ્યપાલશ્રીનું પ્રવચન રાજ્ય સરકારની દૃષ્ટિ, દિશા કે આયોજન વગરનું.
    • અહંકાર કરતા ભાજપના મંત્રીઓને શક્તિસિંહએ શેરની પંક્તિઓ ટાંકીને કહ્યું હતું કે, “નાદાન હૈ વહ જો કરતા હૈ, અપની બુલંદીઓ પે ગુરૂર, હમને ચડતે હુએ સુરજ કો ભી ડુબતે હુએ દેખા હૈ
    • મહાલેખાકારનો અહેવાલ જણાવે છે કે, તજજ્ઞ ડોક્ટરોની સરકારી હોસ્પિટલમાં ૭૭% ઘટ છે.
    • મહાલેખાકારના અહેવાલમાં લખ્યું છે, આદિવાસીઓની સરકાર અવગણના કરે છે. આદિવાસી વિસ્તારની હોસ્પિટલમાં એક ખાટલા ઉપર બે-બે દર્દીને સુવડાવી બાટલા ચડાવાય છે.
    • કોંગ્રેસના શાસનમાં ઉત્તમ શિક્ષણ મળતું હતું. ભાજપના આજના મંત્રીઓ કોંગ્રેસના શાસનમાં સરકારી નિશાળોમાં ભણ્યા હતા, જ્યારે આજે સરકારી શાળાઓમાં શિક્ષણ એટલું ખરાબ છે કે ભાજપના મંત્રીઓનો એક પણ બાળક સરકારી શાળામાં ભણતો નથી.
    • ભાજપની સરકારે જીએસપીસીમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર કર્યો છે. જેમ કોઈ મૂર્ખ લાખના બાર હજાર કરે તેમ કરોડો રૂપિયા ખર્ચ્યા પછી નજીવી રકમમાં કેન્દ્રના સાહસને હિસ્સો વેચ્યો છે.
    • ચકલી ખોલો તો હવે પેટ્રોલ અને ડીઝલ નીકળશે તેમ કહેનારને હવે પૂછવું છે કે કેમ એક ટીપું પણ નીકળ્યું.
    • વિદેશમાં ૧૭૩૪.૧૨ કરોડ જીએસપીસીએ નાંખ્યા અને પછી પૂરેપૂરી રકમ માંડવાળ કરીને મોટો ભ્રષ્ટાચાર કર્યો છે.
    • ઈજીપ્તના ઉમરહાથી બ્લોકમાં જીએસપીસીએ વચનબદ્ધ ખર્ચ કરતા ૭૬% કરતાં વધારે ખર્ચી નાંખ્યા અને ૨૬૩૦.૯૯ લાખ યુએસ ડોલર પાણીમાં નાંખ્યા છે.
    • કચ્છની કેનાલ પૂરી કરવાની જાહેરાત ૨૦૧૩-૧૪માં કરી હતી અને આજે ૨૦૧૭માં પણ કેનાલ પૂરી કરી નથી, પરંતુ નવી મુદ્દત નાંખી છે.
    • નર્મદાના પાણીનું દર્શન અને પ્રદર્શન થાય પરંતુ ખેડૂતના ખેતર સુધી પહોંચતું નથી, કારણ કે ૩૮૦૦૦ કિ.મી. કેનાલ ભાજપના ૨૨ વર્ષના શાસનમાં બની નથી.
    • સમાન કામ, સમાન વેતન બંધારણીય સિદ્ધાંત છે. ભાજપ ગુજરાતના યુવાનોને ફીક્સ પગાર આપી બંધારણનો ભંગ કરે છે.
    • આઉટ સોર્સીંગ પદ્ધતિ યુવાનોનું શોષણ છે. યુવાનોને પૂરતો પગાર મળવો જોઈએ.
    • કરાર આધારિત નિમણુંકના બદલે કાયમી નિમણુંક થવી જોઈએ.
    • હોમગાર્ડના જવાનોને માત્ર રૂ. ૨૦૪ દૈનિક વેતન આપવામાં આવે છે. સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ અન્ય રાજ્યો ૫૦૦થી ૭૦૦ રૂપિયા દૈનિક આપે છે.
    • શિક્ષકોની ભરતીમાં પસંદગીના જિલ્લા માટે ચાલુ નોકરીમાં હોય તે શિક્ષકોને નિમણુંક મળે, તેને નવી નિમણુંક ગણતા જેટલી જગ્યાઓ ભરવાની હોય તે પૂરતી ભરવી જોઈએ.
    • ટેટ પાસ કરેલ યુવાનોને નોકરી મળવી જોઈએ.
    • આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને સરકારી કર્મચારી ગણવા જોઈએ, તેમને પૂરતો પગાર મળવો જોઈએ, ફેરબદલીનો અધિકાર મળવો જોઈએ.
    • નલિયાકાંડની પીડિતા દીકરીને ન્યાય મળે તેવી દાનત સરકારની નથી.
    • તહોમતદારોનો નાર્કોએનાલીસ ટેસ્ટ થાય તે માટે સરકાર કામ કરે છે.

     

    Click here to view and download press note.

  • Press Note Guj. Dt: 21.02.2017 સાવરકુંડલા લઠ્ઠાકાંડ

    શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

    રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

    અખબારી યાદી                                                       તા. ૨૧.૦૨.૨૦૧૭   

     

           સાવરકુંડલા  ખાતે લઠ્ઠાકાંડ થતા ભરતભાઈ વલકુભાઈ ખુમાણનું આજે સવારે ૧૧:૦૦ કલાકે મૃત્યુ નીપજેલ છે. અને બીજા લોકો હોસ્પિટલમાં દાખલ થયેલ છે. ગુજરાતની ભાજપ સરકારની ભ્રષ્ટ્રાચારી નીતિના કારણે દારૂ અને લઠ્ઠાનું બેફામ વેચાણ ગુજરાતમાં થાય છે. ખુલ્લેઆમ વેચાતો આ દારૂ મંત્રી થી લઈને સંત્રી સુધીનાના આશીર્વાદ સિવાય શક્ય નથી. સાવરકુંડલા ખાતે બનેલા લઠ્ઠાકાંડને છુપાવવા ગુજરાતની ભાજપ સરકાર પ્રયત્નશીલ હોવાનો અહેવાલ પણ સ્થાનિક લોકોએ આપેલ છે. ગુન્હેગારોને તાત્કાલિક પકડવા અને અસરગ્રસ્તોને સારવાર તથા સહાયની શક્તિસિંહ ગોહિલે માંગણી કરેલ છે.

     —————————————————————————————————–

     

     

    Click Here to view and download the Press Note 

     

  • Press Note Guj. Dt: 21.02.2017 Budget

    શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

    રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

    અખબારી યાદી                                                       તા. ૨૧.૦૨.૨૦૧૭   

            ધારાસભ્યશ્રી અને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે ગુજરાત વિધાનસભામાં આજે રજૂ થયેલા બજેટ અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, નિષ્ફળ, ભ્રષ્ટ અને હતાશ ભાજપ સરકારનું આ છેલ્લું બજેટ હતું. હવે ફરી આવતા વખતે બજેટ રજૂ કરી શકાય તેમ નથી એટલે એક પ્રકારે હવાતિયાં મારતાં હોય તે પ્રકારની આજે નાયબ મુખ્યમંત્રી કમ નાણામંત્રીની બજેટ સ્પીચ હતી.

    ભાજપ સરકાર બજેટમાં વાતો ખૂબ મોટી મોટી કરે છે, પરંતુ એની સામે નાણાંની ફાળવણી નહીંવત્‍ હોય છે. કેટલાક દાખલાઓ આપતાં શ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ૨૨ વર્ષથી ભાજપ સરકાર છે. ભાડભૂત વિયર કે જેના માટે કોઈની મંજૂરીની જરૂર નહોતી, કોઈ કોર્ટનો સ્ટે નહોતો, જો ભાડભૂત વિયર બને તો માત્ર ભરૂચ કે નર્મદા જિલ્લો નહીં, સમગ્ર દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠામાં ક્ષાર આવતો અટકે અને આદિવાસી ખેડૂતભાઈઓને ફાયદો થાય. ભાડભૂત વિયર માટે આ બજેટમાં એસ્ટીમેટ અપાયો છે કે, આ રૂ. ૪,૦૫૦ કરોડનું કામ છે અને તેના માટે બજેટમાં કેટલા પૈસા ફળવાયા ? તો કહે માત્ર રૂ. ૧૦૦ કરોડ. દર વર્ષે ૧૦૦ કરોડ લેખે ગણીએ તો કેટલાં વર્ષો સુધી આ કામ પૂર્ણ નહીં થાય. નર્મદાની કેનાલના કામો ખૂબ મોટાપાયે બાકી છે. ૩૮ હજાર કિ.મી.ના માઈનોર, સબમાઈનોર, ફીલ્ડ ચેનલોના કામો બાકી છે. દર વર્ષે બજેટમાં ડેમના દરવાજા બંધ કરવાના, કેનાલના કામ કરવા માટે રૂ. ૦૯ થી ૧૦ હજાર કરોડની ફાળવણી થાય છે, જે પણ ઘણા ઓછા ગણાય જ્યારે  આ બજેટમાં તેના કરતા પણ નાણાંની ફાળવણી ઘટી ગઈ છે.

    નાણામંત્રીશ્રીએ પાના નં. ૧૪ ઉપર ૯ રસ્તા અને ૫ બ્રિજ ફોર લેન બનશે તેમ જણાવ્યું છે, તેના માટે નાણાંની ફાળવણી કરી છે માત્ર રૂ. ૧,૧૫૧ કરોડ. ૯ રસ્તાને બદલે ૧ રસ્તો પણ ફોર લેન કરવાનો હોય તો આમાંથી થાય નહીં, તો આ ૯ રસ્તા અને ૫ બ્રિજ કેવી રીતે શક્ય બનશે તે સવાલ છે. ૯ કોરીડોર છે તેને ચારમાર્ગીય બનાવી દેશું તેમ પાના નં. ૧૫ પર તેમણે જણાવ્યું છે. તેના માટે કુલ ખર્ચ રૂ. ૨,૦૮૭ કરોડની સામે ચાલુ બજેટમાં ફાળવણી માત્ર રૂ. ૨૪૨ કરોડ કરી છે. શું કોંગ્રેસની સરકાર આવશે પછી આ બધા કામો કરવાના અને જાહેરાત જ તેઓએ માત્ર આ વર્ષે કરવાની છે ?

    આ બજેટમાં કચ્છને સૌથી મોટો અન્યાય થયો છે. કચ્છને ૧ મિલિયન એકર ફીટ પાણી આપવું હોય તો રૂ. ૧૩,૧૮૭ કરોડનો બજેટ એસ્ટીમેટ છે. ૨૨ વર્ષમાં એકપણ રૂપિયો તેના માટે વાપર્યો નથી. આ વર્ષે મશ્કરી કરીને માત્ર રૂ. ૭૬ કરોડની જ ફાળવણી તેના માટે કરી છે. ગુજરાત સરકારનો નાણાં વિભાગનો પરિપત્ર છે કે, જો કુલ બજેટની રકમના ૨૦% ન ફાળવીએ ત્યાં સુધી કામને વહીવટી મંજૂરી જ ન મળે, કામ શરૂ જ ન થાય. તો રૂ. ૭૬ કરોડ બજેટના આંકડામાં આપ્યા પછી એક રૂપિયો પણ કચ્છ માટે વાપરી શકાશે નહીં. બજેટમાં મહેનતકશ લોકોની મશ્કરી કરવામાં આવી છે. દરજી, મોચી, કુંભાર, સુથાર, વાળંદ વગેરે નાના-ધંધા રોજગાર કરનારાઓ માટે વિકાસની વાતો કરી, પરંતુ બજેટમાં તેના માટે વર્ષે માથાદીઠ રૂ. ૧૦ની સહાય પણ ન કરી, કુલ માત્ર ૧૦ કરોડ રૂપિયાની આ બજેટમાં ફાળવણી કરી છે. આ વર્ગની તેમણે મશ્કરી કરી છે. અમારી માંગણી છે કે, જે રીતે નાના ઈંટ ઉત્પાદકો છે, જે ૫૦ લાખ કરતાં ઓછી ઈંટ પેદા કરે છે, જેનું ટર્નઓવર ઓછું છે, કોંગ્રેસ શાસનમાં તેના પર કોઈ સેલ્સટેક્સ નહોતો, આ પ્રજાપતિ-કુંભાર જ્ઞાતિના ભાઈઓ કે જે ઈંટ પેદા કરે છે તેના પર વેટ નાબુદ કરો, ૫૦ લાખથી ઉપરનું ટર્નઓવર હોય તો તેના પર ૨% જ વેટ રાખવો જોઈએ. કોંગ્રેસ શાસનમાં મોચી જ્ઞાતિના ભાઈઓ હાથે બુટ-ચંપલ બનાવતા હતા, તેના પર કોઈ સેલ્સટેક્સ નહોતો. અમારી માંગણી છે કે હાથે જે મોચી જ્ઞાતિના ભાઈઓ બુટ-ચંપલ બનાવે છે, તેના હજાર રૂપિયાનું બુટ કે ચંપલ બને તેના પર વેટ શૂન્ય કરવો જોઈએ. ભૂતકાળમાં નાના ઉઘોગો માટે જીઆઈડીસીઓ બનતી હતી, તે આજે બંધ-ઠપ્પ પડી છે. નાના ઉઘોગકારો માટે કોઈ જોગવાઈ આજના આ બજેટમાં કરવામાં આવી નથી.

    શ્રી ગોહિલે જણાવ્યું હતું કે, લિગ્નાઈટ કે જે તામિલનાડુ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી જ નીકળે છે. મહારાષ્ટ્ર અને તામિલનાડુમાં માત્ર ૨% અને ૪% વેટ છે, જ્યારે ગુજરાત સરકાર તેની પર ૨૦% ટેક્સ લે છે, પરિણામે મોદીના માનીતા ઉઘોગપતિ કોલ ઈમ્પોર્ટ કરે, એ ઈમ્પોર્ટેડ કોલ ગુજરાતમાં વેચાય અને કચ્છની તથા ધોધા તાલુકાની ખાણો કે જ્યાં લિગ્નાઈટ છે તેનું ખોદકામ થાય જ નહીં, જેનાથી ગુજરાતના નાના-નાના શ્રમિકોને નુકસાન થઈ રહ્યું છે, ત્યારે તેમાં વેટ ધટાડવાની અમારી માંગણી છે. સીએનજી પર ૧૫% વેટ ગુજરાત સરકાર લે છે. સમગ્ર દેશમાં ૦થી લઈ વધુમાં વધુ ૪% વેટ છે, તેનાથી વધુ વેટ ક્યાંય નથી. પેટ્રોલ અને ડીઝલ પર ૨૪% વેટ અને ૪% સરચાર્જ એમ કુલ ૨૮% ટેક્સ આખા દેશમાં કોઈ લેતું નથી. આશા હતી કે આ વેટ ધટે, પરંતુ તેની કોઈ જાહેરાત કરવામાં આવી નથી. સરકાર ખેડૂતો પાસે તત્કાલ વીજ કનેકશન લેવડાવે, મીટર મૂકાવે, રેગ્યુલર પેન્ડીંગ રાહ જોઈને બેઠેલા મીટર વગરના કેટલા કનેકશન આપ્યા ? અને હવે કેટલા આપશે ?  તેની બજેટમાં કોઈ વાત નથી.

    બજેટ આવે ત્યારે સરકાર કહે કે, પુરાંતવાળું બજેટ છે, ખાધ નથી. પછી વર્ષના અંતે સુધારેલું હોય, બીજું વર્ષ પૂર્ણ થાય ત્યારે ખરું બજેટ આવે. આજના બજેટ પ્રકાશનમાં છેલ્લા પાંચ વર્ષમાં એકપણ વખત ખાધ વગરનું બજેટ ભાજપ સરકારનું રહ્યું નથી. આ વર્ષે પણ બહુ મોટી ખાધ રહેવાની છે. નાણામંત્રી કહે છે કે, રાહત આપી, રાહત આપી, રાહત આપી. આજના બજેટથી ગુજરાતની જનતા પાસેથી રૂ. ૨૯૨.૧૪ કરોડ વધારાના ખંખેરવાના છે અને રાહત આપવાની છે ફક્ત રૂ. ૧૦ કરોડ. વાહનવ્યવહારમાં ટેક્સની સરળતાના નામે માણસને ઓપ્શન રહેતા હવે  વાહન લો તો દર વર્ષે ટેક્સ ભરવાનું ઓપ્શન નહીં આજીવન ટેક્સ ભરી દેવાને પરિણામે રૂ. ૨૯૨.૧૪ કરોડનું ભારણ ગુજરાતની જનતા પર આવવાનું છે, તેની સામે માત્ર રૂ. ૧૦ કરોડની રાહતની વાત કરવામાં આવી છે. આમ, બજેટ સંપૂર્ણપણે ગુજરાતની જનતાની વિરુદ્ધનું છે, ગુજરાતની જનતા માટે નુકસાનકારક છે અને જે આદિવાસી, બક્ષીપંચ, દલિત, ખેડૂત, ગ્રામીણ લોકોની આકાંક્ષાઓ પૂર્ણ નથી થતી નથી. ગયા વર્ષે જે વાતો કરી હતી, એ જ વાત આ વર્ષે કરી છે. એની સામે રકમની ફાળવણી કાંઈ નહીં.

    સામાજિક સેવાઓ માટે આજના બજેટ પ્રકાશનના પુસ્તકો જોઈએ તો સામાજીક સેવાઓ માટે જે પૈસા પાળવ્યા હતા તેમાથી રૂ. ૮ હજાર કરોડ વણવપરાયેલા રહ્યા છે. દેવું સતત વધતું જતું હતું તેને ઓછું કરવાને બદલે આ બજેટમાં કરવેરા તો વધાર્યા, છેલ્લા પાંચ વર્ષના આંકડા જુઓ તો ગુજરાતની જનતા ઉપર ચાર વર્ષમાં જ રૂ. ૧૮ હજાર કરોડના કર વધુ પડયા છે. એમ છતાં દેવું આ વર્ષે ન કલ્પી શકાય એટલી મોટી રકમનું લોન અને પેશગીઓનું ગુજરાતની જનતા પર ભારણ વધે અને તે રીતે આજના આ બજેટમાં રૂપિયા ૪૫ હજાર ૩૭૬ કરોડ ૩૪ લાખનું દેવું માત્ર એક વર્ષમાં નવું દેવું ગુજરાતની જનતા પર વધશે. ભાજપે સ્વીકારી લીધું છે કે, આ વર્ષે બજેટના ૪૦% જેટલી રકમનું દેવું આ વર્ષે જ લઈ લો, કારણ કે આવતા વર્ષે તો ભાજપની સરકાર બનવાની જ નથી. એવો ખાડો ખોદીને જાવ કે નવો આવે એ ભલે મહેનત કરે. જો કોંગ્રેસ પક્ષને ગુજરાતની જનતાના આશીર્વાદ મળશે તો આવતા દિવસોમાં નવસર્જન ગુજરાત કરીશું, ખેડૂતોને દિવસે પૂરતી વીજળી મળશે, વીજ કનેકશનો મીટર વગરના મળશે, યુવાનોને શિક્ષણનું વેપારીકરણ નહીં સારું શિક્ષણ મળશે, વૃદ્ધોને-દિવ્યાંગોને પૂરતું પેન્શન મળશે, આંગણવાડીની વર્કર કે તેડાગર બહેનોને પૂરતો પગાર, સમાન કામ સમાન વેતન, ફીક્સ પગારવાળાને પૂરતો પગાર આપીશું, ગરીબ લોકોને ધરનું ધર આપીશું, દલિતોને સાંથણીની જમીન મળશે.

    આમ, આજનું બજેટ હતાશ, ભ્રષ્ટ અને નિરાશ થયેલ સરકારનું નકારાત્મક બજેટ છે તેમ  શ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું.

                યુવાનો માટે ભ્રામક જાહેરાતો સિવાય કશું જ બજેટમાં નથી. વિદેશ અભ્યાસ માટે જનાર યુવાનો માટે નજીવી રકમની ફાળવણી કરવામાં આવેલ છે હકીકતમાં ઘર આંગણે શિક્ષણ સુધારવાની જરૂર છે. પૂરતા શિક્ષકો, પુરતા પ્રોફેસરોની ગુજરાતમાં સરકાર ભરતી કરતી  નથી અને શિક્ષણ કથળે છે. તેજસ્વી વિદ્યાર્થીઓને પણ પોતાના  ઉજ્જવળ ભવિષ્ય માટે કોઈ પણ યોજના કે સહાય નથી.

            આદિવાસી વિસ્તારની સતત અવગણના ગુજરાત સરકાર કરે છે. આદિવાસી સમાજને વનબંધુ કહીને અપમાનિત કરનાર સરકારના બજેટ પુસ્તકના આંકડાઓ સ્પષ્ટ દર્શાવે છે કે બજેટમાં ફાળવેલી રકમ માત્ર કાગળ ઉપર રહે છે તેનો ખર્ચ કરવામાં આવતો નથી.

            ગુજરાત પાસે તેજસ્વી મહિલાધન છે પરંતુ રાજ્યની મહિલાઓના વિકાસ માટે બજેટમાં કોઈ જ જોગાવાઈ નથી.

             ભાજપના ૨૨ વર્ષના સતત શાશન પછી એક પણ શહેરમાં મેટ્રો નથી. અમદાવાદને કોંગ્રેસની કેન્દ્ર સરકારે મેટ્રો પ્રોજેક્ટ મંજુર કર્યા બાદ ઘણા લાંબા સમય પછી જયપુર અને લખનઉને મેટ્રો માટે મંજુરી મળી હતી. જયપુરમાં કોંગ્રેસના મુખ્યમંત્રી અશોક ગહેલોતે મેટ્રો દોડતી કરી દીધી. લખનઉમાં શ્રી અખિલેશ યાદવે મેટ્રો ટ્રેન દોડતી કરી દીધી, જ્યારે ગુજરાતની ભાજપ સરકારે કરોડોનો ભ્રષ્ટ્રાચાર કર્યો પરંતુ ગુજરાતમાં મેટ્રો નથી. હવે સુરત માટે મેટ્રોની પુરતી જોગવાઈ કરવાના બદલે માત્ર પ્રોજેક્ટ  રીપોર્ટ તૈયાર કરવા બજેટમાં દસ કરોડ રૂપિયા ફળવાયા છે.

            ભાવનગર-તારાપુર અને ભચાઉ થી ભુજના મુખ્ય માર્ગો કેટલાય વર્ષોથી સારા બનતા નથી. અકસ્માતોની પરંપરા સર્જાય છે તેમ છતાં આજના બજેટમાં આ રસ્તાઓ માટે કોઈ જોગવાઈ નથી.

    ——————————————————————————————————

     

     

    Click to view and download the Press Note

     

  • Press Note Guj 17.02.2017 નલિયા દુષ્કર્મ મામલે વિરોધ યાત્રા

    શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

    રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

    અખબારીયાદી                                                                        તા. ૧૭.૦૨.૨૦૧૭

            કચ્છ જીલ્લાની સંસ્ક્રુતિ ખુબજ ઉમદા પ્રકારની અને ગૌરવ પૂર્ણ રહી છે. વીર અબડા અડભંગજીએ સુમરીદાદીઓના રક્ષણ માટે શહાદત વોરી અને આજે પણ એ ગૌરવવંતો ઈતિહાસ મોજુદ છે. કચ્છનો ગૌરવશાળી ઈતિહાસ કલંકિત થાય તે રીતે ભાજપના નેતાઓએ નલિયામાં એક દીકરી પર અત્યાચાર કરેલો છે. સમગ્ર કચ્છમાં આજે પણ સ્ત્રી સન્માનની ખૂબ ઉમદા પરંપરા કચ્છી માડુંમાં રહેલી છે. કચ્છની આ ઉમદા પરંપરાને ભાજપના કેટલાક નેતાઓએ કલંકિત કરી છે ત્યારે ભાજપના નેતાઓનું શરમ થી માથું ઝૂકી જવું જોઈએ તેના બદલે પોતાના પક્ષના નેતાઓના કરતૂતથી કચ્છ બદનામ થયું છે અને કચ્છની દીકરીના ન્યાય માટે કોઈ વાત કરે ત્યારે તેનો વિરોધ કરીને પોતાની હલકી  માનસિકતા દર્શાવે છે.

            કચ્છમાં ભારતીય જનતા પાર્ટી ધ્વારા થયેલા દુષ્કર્મનો વિરોધ એ દુષ્કર્મ કરનારનો વિરોધ છે અને તેમાં સમગ્ર કચ્છની જનતાનો સાથ છે. ન્યાય માટેની લડતને કચ્છની વિરુધની લડત કહેવી તે હલકી માનસિકતા અને સ્ત્રી વિરોધી માનસિકતાનું પ્રદર્શન છે. કોંગ્રેસ પક્ષ ધ્વારા દુષ્કર્મના વિરોધમાં તેમજ ન્યાયની માંગ તેમજ ભવિષ્યમાં કોઈ પણ કુકર્મી અપકૃત્ય ન કરે તેના માટે તા. ૧૮ ફેબ્રુઆરી, ૨૦૧૭ ના સવારે ૧૦:૦૦ કલાકે નલિયા ખાતેથી યાત્રાનો પ્રારંભ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતભાઈ સોલંકી તથા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાધેલાની આગેવાનીમાં થશે. નલિયા ખાતે યાત્રા શરુ થતા પહેલા વીર અબડા અડભંગજીની પૂષ્પ માલા કરી યાત્રા ગાંધીનગર સુધી જશે. આ યાત્રામાં પ્રદેશના મુખ્ય આગેવાનો અર્જુનભાઈ મોઢવાડિયા, સિધ્ધાર્થભાઈ પટેલ, શક્તિસિંહ ગોહિલ વિગેરે જોડાશે.

            કચ્છમાં અનેક આસ્થાના યાત્રાધામો તેમજ પ્રવાસન માટેના ઉત્તમ સ્થાનો આવેલા છે. આ યાત્રાધામો અને પ્રવાસન સ્થાનોની મુલાકાતે દુનિયા ભરમાંથી સારા લોકો આવે છે અને કચ્છી માડુંઓની મીઠાશનો જીવનભર યાદ રહે તેવો અહેસાસ તેઓને થાય છે. કેટલાંક ભાજપના નેતાઓજ કુકર્મ  કરે છે જેનાથી કચ્છની ગૌરવવંતી પ્રતિષ્ઠાને નુકશાન થાય છે. કેટલાંક વિકૃત અને ગુનાહિત માનસિકતાવાળા ગુનેગારોને મદદ કરવા માંગે છે માટે પીડિતાને ન્યાય માટેની લડતનો વિરોધ કરે છે. આવા લોકો એવી દલીલ કરે છે કે, પીડિતાને ન્યાયની લડતથી કચ્છ બદનામ થશે અને નલિયા બદનામ થશે પરંતુ હકીકતો એ છે કે, કચ્છ અને નલિયાની નામના એટલી મોટી છે કે તે ક્યારે બદનામ થઈ જ ના શકે. ન્યાયની લડત માટે કચ્છી માડુંઓનો સુવર્ણ ઈતિહાસ છે અને હવે જો નલિયાની પીડિતાને ન્યાય ન મળી શકે તો કચ્છીયતને લાંછન લાગે. પીડિતાને ન્યાય અપાવવા સૌ કોઈએ આગળ આવવું જોઈએ અને ગુનેગારોને આડકતરી રીતે મદદ કરનારને જાકારો આપવો જોઈએ.

    ——————————————————————————————————

     

    Click to view and download Press Note 

     

  • Press Note Guj Dt: 15.02.2017 ભાજપની ખેડૂત વિરોધી નીતિ

    શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

    રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

    અખબારીયાદી                                                                   તા. ૧૫.૦૨.૨૦૧૭     

           કચ્છ જીલ્લાનાં મોખાણા ગામના લોકો પર ભાજપની સરકારે તંત્ર દ્રારા કરવામાં આવેલ  અમાનુષી વ્યવહારનો કોંગ્રેસના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે વિરોધ કર્યો છે. ધર વપરાશમાં વપરાતી વીજળી ટકાવારીની દ્રષ્ટિએ ખુબજ નહિવત છે. જયારે ઉદ્યોગોમા વપરાતી વીજળીનું પ્રમાણ ટકાવારીની દ્રષ્ટિએ ખુબ મોટું છે. ભાજપની સરકારના માનીતા ઉદ્યોગપતિઓ કરોડોની વીજચોરી કરે છે તેને ભાજપની સરકાર જ છાવરે છે. જયારે ગામડામાં રહેતા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો ઉપર વીજ ચેકિંગના નામે આંતક ફેલાવવામાં આવે છે. કચ્છ જીલ્લાના મોખાણા ગામ ખાતે ગઈકાલે જાણે કોઈ આંતકવાદીઓનું ગામ હોય તેમ પી.જી.વી.સી.એલ.ના તથા  પોલીસના ધાડા ઉતારવામાં આવ્યા હતા. નાના એવા ગામના સામાન્ય લોકો પર પોલીસ ધ્વારા અમાનુષી વ્યવહાર કરવામાં આવ્યો હતો. પી.એસ.આઈ. ધ્વારા લોકો પર સીધો ગોળીબાર કરવાથી સામાન્ય ગ્રામજનોને ગંભીર ઈજાઓ પહોચી છે. ભાજપની સરકાર નાના ગ્રામજનોને પરેશાન કરવાનું બંધ કરે અને મોટા ઉદ્યોગપતિઓ કે જેઓ કરોડોની વીજચોરી કરે છે તેની સામે કડક પગલા ભરે તેવી માંગ કરવામાં આવી છે.

            ખેડૂત એ જગતનો તાત છે અને જેમ માંના ધાવણ પર દીકરાનો અધિકાર હોય તેમ પાણી પર ખેડૂતનો પ્રથમ અધિકાર છે. ગઈકાલે સાણંદ તાલુકાના ખેડૂતો કે જેમાંનાં મોટા ભાગના કોળી સમાજ (બક્ષીપંચ) ના નાના ખેડૂતો હતા તેઓ પોતાની જમીન માટે પાણીની માંગ કરી રહ્યા હતા ત્યારે ભાજપની સરકારના ઈશારે અને ઉદ્યોગપતિઓના લાભાર્થે ખેડૂતો પર બેફામ લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો તે ભાજપની ખેડૂત વિરોધી નીતિનું દર્શન કરાવે છે. ઊલટો ચોર કોટવાળને દંડે તે રીતે ખેડૂતોને બેફામ મારમાર્યા બાદ ખેડૂતો પર ૩૦૭ જેવી ગંભીર કલમો લગાડીને ભાજપ સરકારે સત્તાના દુરુપયોગનો નમુનો પૂરો પાડ્યો છે. સાણંદ તાલુકો સિંચાઈના કમાન્ડમાં આવરી ખેડૂતોને અગ્રતાથી પાણી આપવા સરકારે કામ કરવું જોઈએ તેના બદલે ભાજપની સરકાર ખેડૂતોના અધિકારનું પાણી ઝુંટવી લઈ ને ઉદ્યોગોને પાણી આપી રહી છે. કોંગ્રેસના ધારાસભ્ય અને રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે ખેડૂતો ઉપર કરવામાં આવેલ કેસો તાત્કાલિક પરત ખેંચવા અને સાણંદ તાલુકાના ખેડૂતોને સિંચાઈનું પાણી તાત્કાલિક પૂરું પાડવા માંગ કરી છે.

    ————————————————————————————————-

     

    Click here to view and download Press Note

  • Press Note Guj. Dt. 13.02.2017 ગુજરાતના ડુંગળી પકવતા ખેડૂતો સાથે કેન્દ્રની ભાજપની સરકારનું ઓરમાયું અને અન્યાય કર્તા વર્તન

    શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

    રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

     

    અખબારીયાદી                                                                                                    તા. ૧૩.૦૨.૨૦૧૭

            

           ગુજરાતના ડુંગળી પકવતા ખેડૂતો સાથે કેન્દ્રની ભાજપની સરકારનું ઓરમાયું અને અન્યાય કર્તા વર્તન. ગુજરાત રાજ્યમાં ભાવનગર જીલ્લામાં ડુંગળીનો પાક મોટા પ્રમાણમાં થાય છે. ડુંગળી પકવતા ખેડૂતોને ડુંગળીના સારા ભાવ મળે તે માટે રેલ્વેની ૪૨ ટુ બી.સી.એન.ઈ. રેલ્વેની રેન્ક ફાળવવામાં આવતી નથી. જયારે મહારાષ્ટ્રના નાસિક જીલ્લામાં ખેડૂતોને ડુંગળીના લોડીંગ માટે પાંચ  રેન્ક પોઈન્ટ છે અને એકજ દિવસમાં ૪૨ ટુ બી.સી.એન.ઈ. રેન્ક ચાર-ચાર ફાળવી દેવામાં આવે છે. ભાવનગર જીલ્લામાં ૪૨ ટુ બી.સી.એન.ઈ. રેન્ક આપવામાં આવતી નથી અને તેથી મોટા પાયે ખેડૂતોના ડુંગળીના પાકની બરબાદી થાય છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે પ્રધાનમંત્રી તથા રેલ્વે મંત્રીને ગુજરાત સાથે થઈ રહેલા અન્યાય બાબતે લેખિત જાણ કરી છે. કોંગ્રેસના શાશનમાં ભાવનગરને તથા મહુવાને ડુંગળીના સ્થળાંતર માટે ૪૨ ટુ બી.સી.એન.ઈ. રેલ્વેની રેન્ક તાત્કાલિક ફાળવી દેવામાં આવતી હતી. કોંગ્રેસ શાસિત કેન્દ્ર સરકારમાં ડિમાન્ડ મુક્યાના ૧૦ થી ૧૨ કલાકમાં રેન્ક રેગ્યુલર મળી જતી હતી. ભાજપની કેન્દ્ર સરકાર ધ્વારા ડુંગળી પકવતા ગુજરાતના ખેડૂતોને મોટા પાયે અન્યાય કરવામાં આવી રહ્યો છે તે અંગેની જાણ સેક્રેટરી મહારાજા સાહેબ કૃષ્ણકુમારસિંહજી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ  ધ્વારા કેન્દ્ર સરકારને તથા ડી.આર.એમ. ને વારંવાર જાણ કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર ધ્વારા કોઈ જ પગલાં નહીં ઉઠાવાતા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ભાવનગરના સેક્રેટરીએ શક્તિસિંહ ગોહિલને લેખિત ફરિયાદ કરી છે. આ લેખિત ફરિયાદની નકલ પણ પ્રેસ અને મીડિયાને શ્રી ગોહિલે આપીને તાત્કાલિક કેન્દ્ર સરકાર ગુજરાત સાથે ઓરમાયું વર્તન બંધ કરે તેવી માંગ કરી છે.                                                                                                                                                                                                                                                        

    ————————————————————————————————-

    Click here to view and download Press Note

     

     

  • Press Note Guj. Dt: 13.01.2017 Vibrant Gujarat

    Click here to view and download the press note

    શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

    રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

     

    અખબારીયાદી                                                                                                તા.૧૩.૦૧.૨૦૧૭

    વાયબ્રન્ટ ગુજરાતમાં શિક્ષકો તથા પ્રોફેસરોને બોલાવીને ઉદ્યોગપતિઓની સરભરા તથા ખાલી હોલ ભરવા માટે ભાજપ સરકારે ઉપયોગ કર્યો છે તે શિક્ષકો/પ્રોફેસરો તેમજ શિક્ષણ જગતનું અપમાન છે. જુદાજુદા દિવસે જુદીજુદી યુનિવર્સીટીઓ માંથી શૈક્ષણિક સ્ટાફનો વાયબ્રન્ટ ગુજરાતમાં દુરુપયોગ કરવામાં આવ્યો હતો. શૈક્ષણિક ક્ષેત્રના સ્ટાફનો ભાજપની પ્રસિદ્ધિ અને બિનશૈક્ષણિક કામમાં ઉપયોગ થતો હોવા થી શિક્ષણનું સ્તર દિન પ્રતિદિન ગુજરાતમાં કથળતું જાય છે. વાયબ્રન્ટ ગુજરાતમાં કેટલાકને ઓન ડયુટી બોલાવવામાં આવેલા હતા અને કેટલાકને પાછળથી સીએલ ભરવાનું કેહવામાં આવેલું હતું. ગુજરાતના તેજ્સવી બાળકોને ભણાવવા માટે પુરતો સ્ટાફ નથી અને બીજી તરફ જે શિક્ષકો છે તેનો ભાજપની નિષ્ફળતા છુપાવવા સરકાર દુરુપયોગ કરે છે. વાયબ્રન્ટ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર માટેનું પ્લેટફોર્મ છે. અને વાયબ્રન્ટમાં ગુજરાતનું હિત નહી પરંતુ અહિત થાય છે.

    વાયબ્રન્ટ ગુજરાતમાં થતા MoU અને રોકાણના આંકડા સદંતર ખોટા હોય છે. ૨૦૦૩ થી ૨૦૧૫ સુધીમાં થયેલા વાયબ્રન્ટ ગુજરાતમાં ૮૪.૮૫ લાખ કરોડ રૂપિયાના રોકાણના MoUનો સરકારનો દાવો છે પરંતુ ગુજરાત સરકારની જ ઇન્ડસ્ટ્રીઝ કમિશ્નરની આધારભૂત વેબસાઈટ પર સ્પષ્ટ જણાવાયું છે કે તા. ૦૧.૦૧.૧૯૮૩ થી તા. ૩૧.૦૯.૨૦૧૬ સુધીમાં થયેલ રોકાણોની પ્રગતિ તા. ૩૦.૦૯.૨૦૧૬ની સ્થિતિએ માત્ર રૂપિયા ૯૫૧૯૮૦/- (રૂ. કરોડમાં) ની છે. આમ તેત્રીસ વર્ષમાં થયેલા રોકાણની પ્રગતિ માત્ર ૯૫૧૦૦૦/- કરોડની છે તો પછી ૮૪.૮૫,૦૦૦૦૦ કરોડના MoU ક્યા ગયા? (ઉપરોક્ત આકડાઓ ગુજરાત સરકારની વેબસાઈટ ઉપર છે (Link: http://ic.gujarat.gov.in/?page_id=3137)

    કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહજી ગોહિલ માંગણી કરી છે કે ગુજરાત સરકાર દ્વારા  વાયબ્રન્ટ ગુજરાતમાં કેટલો ખર્ચ થયો? વિદેશી યાત્રાઓ પાછળ કેટલો ખર્ચ થયો? MoU કેટલી રકમના કોણે કોણે કર્યા? અત્યાર સુધીમાં થયેલ MoUમાં વાસ્તવિક રોકાણ કેટલું? સીધું વિદેશી રોકાણ (FDI) કેટલું? તે સરકાર જાહેર કરે.

    કોઈ પણ રાજ્યનો વિકાસ કેટલો થય રહ્યો છે તે જોવા માટેનું સાચું મીટર એ રાજ્યોનો GSDP (ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ) છે. ગુજરાતના GSDP ને જોઈએ તો ૨૦૧૦/૧૧માં ગુજરાતનો GSDP ૨૦.૯% @ કરંટ પ્રાઈઝ હતો જે ઘટી ને ૨૦૧૫-૧૬મ માત્ર ૧૦% થઇ ગયો છે. જો ખરેખર રોકાણ આવતા હોત તો GSDP દર વર્ષે સતત ઘટતો નો હોત. ગુજરાતમાં વર્ષવાર GSDP નીચે મુજબ છે.

    Year

    State GSDP Growth Rate @ current

    Prices

    The constant prices estimates

    GSDP growth rate

    2010-11 20.9%
    2012-13 17.6% 10.8%
    2013-14 13.3% 8.3%
    2014-15 11% 7.7%
    2015-16 10% 6.7%

    જો ગુજરાતમાં સરકારના દાવા મુજબ ૮૪.૮૫ લાખ કરોડના MoU મુજબ રોકાણ આવ્યું હોત તો સરકારની કરની આવક ખુબ મોટી વધી હોત અને ભાજપના શાશનમાં દેવું રૂ. ૨૦૨૯૭૩/- કરોડનું ન થયું હોત.

    સરકારના અધિકારીઓ અને પદાધિકારીઓ કરોડો રૂપિયા ખર્ચી વાઇબ્રન્ટ ગુજરાતમાં વિદેશી રોકાણ લાવવા વૈભવી પ્રવાસ કરે છે અને પ્રજાના ખર્ચે મોજ કરવા વિદેશી મહેમાનોને બોલાવે છે પરંતુ વિદેશી રોકાણ આવતું નથી. ૨૦૧૫-૧૬માં માત્ર  ૨,૬૮૨ મીલીયન અમેરિકન ડોલર વિદેશી રોકાણ ગુજરાતમાં આવ્યું છે. દેશના કુલ વિદેશી મૂડી રોકાણના માત્ર ૫.૧૩% જ ગુજરાતમાં આ રોકાણ છે જેની સામે મહારાષ્ટ્રમાં દેશના કુલ વિદેશી રોકાણના ૨૦.૧૬% વિદેશી રોકાણ આવેલું છે તે જ રીતે નાના રાજ્ય દીલ્હીમાં વિદેશી મૂડી રોકાણ ૨૦૧૫-૧૬મા ૨૯.૨૦% આવેલ છે. અન્ય કોંગ્રેસ શાશીત રાજ્યોમાં પણ વાઈબ્રન્ટના તાઈફા વગર ગુજરાત કરતા વધારે વિદેશી મૂડી રોકાણ આવેલું છે. વિદેશી મૂડી રોકાણના આ આકડાઓ ભારત સરકારની જ વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

    Link: http://indiabudget.nic.in/es2015-16/echapter-vol2.pdf

    ગુજરાતમાં પ્રાથમિક ક્ષેત્ર અને કૃષિ ક્ષેત્રનો GSDPમાં હિસ્સો ૨૦૧૩-૧૪ કરતા ૨૦૧૪-૧૫મા ઘટેલો છે. ૨૦૧૩-૧૪માં પ્રાથમિક ક્ષેત્રે ૨૦.૧૪% હિસ્સો હતો તે ઘટીને ૨૦૧૫-૧૬માં ૧૯.૮% થયો છે અને કૃષિ ક્ષેત્રે વર્ષ ૨૦૧૩-૧૪માં ૧૬.૨% હિસ્સો GSDPમાં હતો તે ઘટીને ૧૪.૭% થઇ ગયેલ છે. આ દર્શાવે છે કે જ્યાં સૌથી વધારે ગુજરાતીઓ ને રોજગારી મળે છે તે ક્ષેત્રની ભાજપ અવગણના કરે છે.

    વાયબ્રન્ટ ગુજરાતના નામે MoU કરીને સરકારી મિલકતો, ટેન્ડરની પ્રક્રિયા કે જાહેર હરરાજી વગર મફતના ભાવે આપીને ખુબ મોટો ભ્રષ્ટાચાર તેમજ ભાજપનો ધન સંગ્રહ થાય છે. શક્તિસિંહએ RTIમાં મેળવેલી માહિતી પ્રેસ અને મીડિયાને આપતા એક દાખલારૂપ કિસ્સો જણાવ્યો હતો કે એસ.ઈ. ટ્રાન્સ ઇન્ડીયા કંપનીને વાઈબ્રન્ટ ગુજરાતના MoUમાં રૂપિયા ૪,૦૨,૨૯૪.૮૮/- ચોરસ ફૂટ જગ્યા આપવાનું MoU કર્યું હતું. નાણા વિભાગ તથા મેહ્સુલ વિભાગે આ જમીનની કીમત ૧૪૪ કરોડ ૫૦ લાખ આકારી હતી અને જો ભાડા પટ્ટે જમીન આપવી હોય તો કિમતના ૧૫% લેખે એટલે કે વાર્ષિક ભાડું રૂ. ૨૧ કરોડ ૬૭ લાખ લેવા જણાવ્યું હતું પરંતુ ભાજપની કેબીનેટે માત્ર એક રૂપિયામાં આ જમીન આપી દેવાનો થરાવ કર્યો હતો (RTIમાં મેળવેલા પુરાવા વેબસાઈટ https://shaktisinhgohil.com પર ઉપલબ્ધ છે)

    વાઈબ્રન્ટ ગુજરાતમાં રૂપિયા ૫૦૦૦/- ની એક ડીશનું બોપોરનું ભોજન અને રાત્રિનું ભોજન રૂપિયા ૬૨૮૦/- ની એક ડીશ પ્રમાણે આપવામાં આવ્યું હતું જ્યારે રાજ્યના યુવાનોને રૂ. ૪૫૦૦/- માં એક મહિના સુધી ફિક્સ પગારમાં નોકરી કરવી પડે છે. સરકારે ખોટા ખર્ચાઓ બંધ કરી પુરતો પગાર આપવો જોઈએ અને સુપ્રીમ કોર્ટ માંથી ફિક્સ પગારની મેટર પરત ખેંચવી જોઈએ.

    Press Note 27.03.2015 With Attachment Farmer & Other Issues_Page_1

    Press Note 27.03.2015 With Attachment Farmer & Other Issues_Page_2

    Press Note 27.03.2015 With Attachment Farmer & Other Issues_Page_3

    ————————————————————————————————-