Category: Press Release

  • Press Note Eng Dt:08/07/2014 on Gujarat Budget

    Click here to view/download press note.

    Office of Shaktisinh Gohil

    National Spokesperson, AICC & MLA, Abdasa

       https://shaktisinhgohil.com

       Press Note                                                                                     08th July, 2014

     

    • Shaktisinh Gohil while taking part in debate in the State Assembly exposed corruption worth crores of rupees of the state government
    • Gujarat government has the policy of making its favourites rich and the state poor
    • Leading industrialists in the state get relief worth crores of rupees while there is exploitation of youth by giving fixed wages
    • The Cabinet approved a price of Rs. 700 for L&T which has been given 20 lakh sq.m of land though the land valuation committee had proposed Rs.2800
    • The government which demolishes huts of poor regularized 7,24,897 sq.m of encroachment of Essar
    • The state government has limited its power generation to just 32% and buys electricity worth crores of rupees from its favourites.
    • The government is extracting money from people by Increasing property tax in Ahmedabad
    • The government which had a poll promise of constructing 50 lakh houses for middle class people has not made provision even to build huts in cities
    • Though Narmada dam has sufficient water the government is providing water only to 2.09 lakh hectare land
    • Absconding accused is a secretary of BJP
    • Presenting photograph which showed Nandlal who exploited youth to make money was present in a Krushi Mahotsav function
    • In fact Kalyan arrested in the case was a pawn, real brain behind the scandal was a big shot of BJP

     

                    Congress MLA and national spokesperson Shaktisinh Gohil has said that the Gujarat government has the policy of providing relief worth crores to rupees to its favourite industrialists while the poor was being exploited under heavy taxes. Participating in the debate on state budget in the State Assembly he said that the budget of any government is an indication of its motives and will.

              In Gujarat youth is being exploited by giving a meager fixed wages despite High Court’s order to increase the salary. Widows are not given sufficient pension. There is no relief for framers, small entrepreneur, labourers and middle class people. This budget would further widen the gap between rich and poor, he said.

              He said that he had proofs to show that how few industrialists had been given land at nominal price while the state had become poorer. He cited the case of scandal in  land allocation to L&T. He said that the company had demanded more than 20 lakh sq.m land in 2007 at various places in the state. Of this the land at Hazira near Surat was important. The state level SLVC  had finalized the price at Rs.2020 and 2800 respectively but the Narendra Modi government gave away the land at only Rs.700. The same company had demanded thousands sq.m. land at Bopad and Akhol villages at Vadodara for technology park. The valuation committee fixed the price at Rs.346 per sq.m but the Modi government gave away the land at only Rs.134.

              The government bulldozes a small hut of poor on government land but it regularized encroachment of 7,24,897 sq.m. of Essar in Surat in 2009. The valuation committee had fixed Rs.2020 per sq.m for regularization besides penalty but still the Modi government charged only Rs.700 per sq.m and there was scandal of Rs. 238.50 crore  , Gohil alleged.

    Protesting against the recent increase in property tax in Ahmedabad he said that the government should not put taxes on common man for benefit of few rich people. He also opposed closure of AMTS routes and said that the government must work for the benefit of common man. During elections the BJP government had promised to build 50 lakh houses for middle class people. But there was fraud in Gujarat housing Board draw and the government was forced to cancel the draw. In this budget the government has mentioned only 3 lakh houses but the amount which has been allocated is not sufficient even to build a hut in the city, he said.

              Referring to the work of Narmada canal, he said that had government completed the work on schedule, the golden period of Gujarat would have started. Only 2.09 lakh hectare of land gets irrigation water because of criminal negligence of the government. Government is totally indifferent in providing Narmada water to Kutch. The monetary provision it has made will take water only up to Anjar.

              He said that the the government was generation power much lower than its installed capacity. Giving figures of 2013-14 from government records he said that it was just 32 per cent of installed capacity while in 2001 the figure was 58 percent. In 2013-14 the generation was 15850 million units against installed capacity of 48177 million units. In 2001 the installed capacity was 39770 million units and power generation 23327 million units. The shortfall in power generation was just to benefit favourite industrialists.

              Exposing claims of government of creating employment, he said that there were more than 7.50 lakh registered unemployed. Even in recruitment there was money making by agents who belong to the BJP. He said that the name of a BJP leader Nandlal was exposed in police investigation followed by a supplementary charge sheet. He is present in BJP functions while police claims that he is absconding. Gohil showed a photograph of a BJP function to prove his point. In this case, he said Kalyamsinh Champawat who was arrested by police was only a mask while real culprits had deep rooted connections in the BJP.

    ————————————————————————————————————————

     Encl:-  Nandlal’s photograph  who was present in a Krushi Mahotsav function.

    Nandlal_Patel_ Press Note 08.07.2014

     

     

  • Press Note Guj Dt:08/07/2014 on Gujarat Budget

    Click here to view/download press note.

    શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

    રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

     

    અખબારીયાદી                                                            તા.૦૮.૦૭.૨૦૧૪

      

    • વિધાનસભામાં બજેટ ઉપરની ચર્ચામાં ભાગ લેતા શક્તિસિંહ ગોહિલે ભાજપના કરોડો રૂપિયાના ભષ્ટાચારો ખુલ્લા પાડ્યા.
    • ગુજરાત સરકારની નીતિ માનીતાઓને માલામાલ કરવાની અને ગુજરાતને પાયમાલ કરવાની છે.
    • ગુજરાતમાં મોટા ઉદ્યોગપતિઓને કરોડોની રાહત પરંતુ ગુજરાતના યુવાનોનું ફિક્સ પગારથી શોષણ.
    • એલ.એન્ટ.ટી. કંપની ને ૨૦ લાખ સ્ક્વેર મીટર કરતા વધારેની જમીન વેલ્યુએશન કમિટીએ ૨૮૦૦ રૂપિયા લેવાના કહ્યા છતા કેબિનેટે રૂપિયા ૭૦૦ માં આપી.
    • સામાન્ય માણસનું ઝુપડું તોડી નાખનારી ગુજરાતની સરકારે એસ.આર. કંપનીનું ૭ લાખ ૨૪ હાજર ૮૯૭ ચોરસ મીટરનું દબાણ કાયદેસર કર્યું.
    • ગુજરાત સરકાર પોતાની વીજ ક્ષમતા માત્ર ૩૨% વીજ ઉત્પાદન કરીને માનીતાઓ પાસેથી કરોડો રૂપિયાની વિજળી ખરીદે છે.
    • અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્ષનો વધારોએ ખુલ્લી લુંટ છે.
    • ૫૦ લાખ મકાનો મધ્યમવર્ગને આપવાની ચૂંટણી સમયે વાત કરનાર સરકારે શહેરોમાં ઝુપડું પણ બને તેવી જોગવાઈ કરી નથી.
    • ગુજરાતમાં નર્મદા ડેમમાં પુરતું પાણી હોવા છતા માત્ર ૨ લાખ ૯ હજાર હેક્ટરને જ નર્મદાનું પાણી.
    • તલાટી મંત્રી ભરતી કૌભાંડમાં નાસ્તો-ભાગતો તોહમતદાર ભાજપનો મંત્રી છે.
    • યુવાનોના પૈસા પડાવનાર નંદલાલ કૃષિ મહોત્સવના સ્ટેજ પર બેઠેલાનો ફોટો વિધાનસભામાં રજુ કર્યો.
    • ભરતી કૌભાંડમાં પકડાયેલ કલ્યાણસિંહતો મોહરું છે. હક્કિતમાં કૌભાંડ દ્વ્રારા કલ્યાણતો ભાજપના મોટા માથાનું થતું હતું.

               કોંગ્રેસના ધારાસભ્ય અને રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે ગુજરાત વિધાનસભામાં ભાજપની સરકાર દ્વ્રારા રજુ થયેલા ગુજરાતના બજેટ ઉપરની સામાન્ય ચર્ચામાં ભાગ લેતા વિધાનસભામાં જણાવ્યું હતુ કે કોઈ પણ સરકારનું બજેટ એ રાજ્ય શાશનની નિયત અને ઈચ્છા શક્તિની અરીશો છે. ચાણક્યએ રાજ્યના અર્થતંત્ર કેવું હોવું જોઈએ તેના વિશે કહ્યું છે કે રસોઈ પીરસતા વાસણની જેવું રાજ્યનું અર્થતંત્ર હોવુ જોઈએ. એટલે કે જેમ રસોઈ પીરસતા વાસણનું ઉપરનું મોઢું ખુલ્લું હોય છે અને તેને તરત ભરી શકાય છે અને જયારે પીરસવાનું હોય ત્યારે નાનામાં નાની કટોરી ને જરૂરિયાત મુજબનું પીરસી શકાય છે. તેજ રીતે રાજ્ય શાશનને પણ ટેક્ષ લેવાનો હોયતો મોટા લોકો પાસેથી મોટો ટેક્ષ લેવો જોઈએ અને છેલ્લે ગરીબના ઝુંપડામાં સૌથી પહેલા જરૂરિયાત મુજબના લાભ પહોચાડવા જોઈએ. પરંતુ કમનસીબે ગુજરાતમાં ચાણક્યની નીતિથી વિરુધ્ધ એટલેકે માનીતા ઉદ્યોગપતિઓને ભષ્ટાચારથી ભરપુર કરોડો રૂપિયાના લાભ અપાય છે અને જરૂરિયાતમંદ સામાન્ય વ્યક્તિ ઉપર કર નાખવામાં આવે છે અને તેને કોઈ રાહત મળતી નથી. ગુજરાતમાં સાવ નજીવા ફિક્સ પગારથી યુવાનોને સરકારી નોકરીમાં રખાય છે આ પ્રકારના ફિક્સ પગારએ યુવાનોનું શોષણ છે તેમ ગુજરાત હાઇકોર્ટે કહ્યા છતાં ગુજરાતની સરકાર યુવાનોને પુરતો પગાર આપતી નથી. વિધવા બહેનોને મદદની સૌથી વધારે જરૂર છે તેમને પુરતું વિધવા પેન્શન મળતું નથી. ખેડૂતો, શ્રમિકો, નાના ઉદ્યોગકારો અને મધ્યમવર્ગના લોકોને આ બજેટમાં પણ કોઈ રાહત અપાઈ નથી. સરકારના આ બજેટથી ગરીબ અને શ્રીમંત વચ્ચેની ખાઈ વધશે શ્રી ગોહિલે ગુજરાતમાં ચાલતા મોટા ભષ્ટાચારોના કેટલાક નક્કર દાખલાઓ આપતા જણાવ્યું હતુ કે ગુજરાતમાં માનીતા ઉદ્યોગપતિઓને મફતના ભાવે ખુબજ કિમતી જમીનો આપીને માલામાલ કર્યા છે અને સામે ગુજરાત પાયમાલ થયું છે. એલ.એન્ડ.ટી. લિમીટેડ કંપનીએ જુલાઈ ૨૦૦૭ માં જુદાજુદા સ્તરે ૨૦ લાખ ચોરસ મીટર કરતા વધારે જમીનની માગણી કરી હતી. આ જમીન સુરતના હજીરા ખાતે ખુબજ મહત્વના વિસ્તારમાં આવેલી હતી. રાજય લેવલની કિમત નક્કી કરવાવાળી કમિટી એસ.એલ.વી.સી.એ આ જમીનની કિંમત ૨૦૨૦ અને ૨૮૦૦ રૂપિયા એમ નક્કી કરી હતી. કિંમત નક્કી કરવા માટે વેલ્યુએશન કમિટી ફાઈનલ હોવા છતા ગુજરાતની નરેન્દ્ર મોદી વાળી આ કેબિનેટે  માત્ર ૭૦૦ રૂપિયામાં આ જમીન આપી દેવાનો નિર્ણય કરીને કરોડો રૂપિયાનો ભષ્ટાચાર આચરેલો છે. આજ એલ.એન્ડ.ટી. કંપની એ વડોદરા જીલ્લામાં બોપોદ અને આખોલ ગામ ખાતે હજારો સ્ક્વેર મીટર જમીન ટેકનોલોજી પાર્ક બનાવવા માટે માંગી હતી. આ જમીનની કિંમત વેલ્યુએશન કમિટીએ ૩૪૬ રૂપિયા પ્રતિ સ્ક્વેર મીટર નક્કી કરેલ હતી, તેમ છતા નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી ભાજપની કેબીનેટે માત્ર ૧૩૪ રૂપિયામાં પ્રતિ સ્ક્વેર મીટર જમીન આપી દેવાનો નિર્ણય કર્યો હતો.

           ગરીબ માણસ સરકારી જમીન પર નાનું ઝુંપડુ પણ બનાવેતો સરકાર તેના પર બુલડોઝર ફેરવીને ડિમોલિશન કરે છે. જ્યારે એસ.આર. સ્ટીલ લિ. કંપનીએ સુરત ખાતે ૭,૨૪,૮૯૭ સ્ક્વેર મીટર જમીન પર ગેરકાયદેસર દબાણ કર્યું હતુ તેને જુન ૨૦૦૯ સરકારે રેગ્યુલરાઇઝ કરવાનો નિર્ણય કર્યો. આ જમીન રેગ્યુલરાઇઝ કરવા માટે વેલ્યુએશન કમિટીએ ૨૦૨૦ રૂપિયા  પ્રતિ સ્ક્વેર મીટર જમીનનો ભાવ નક્કી કર્યો અને તેના ઉપર દંડ લેવાનુ કાયદા મુજબ જરૂરી હતુ આમ  છતા નરેન્દ્ર મોદીની કેબિનેટે પ્રતિ ચોરસ મીટર ૨૦૨૦ રૂપિયાના બદલે માત્ર રૂપિયા ૭૦૦ એસ.આર કંપની પાસેથી વસૂલ કરીને ગેરકાયદેસરનું દબાણ કાયદેસર કરી આપી રૂપિયા ૨૩૮.૫૦ કરોડનો ખુબ મોટો ભષ્ટાચાર કરેલો હતો.

           વિધાનસભામાં બોલતા શ્રી ગોહિલે અમદાવાદ શહેરમાં સામાન્ય માણસો ઉપર કમરતોડ પ્રોપર્ટી ટેક્ષ લાદવામાં આવ્યો છે તેનો વિરોધ કરતા જણાવ્યું હતુ કે કરોડપતિઓના ફાયદા માટે સામાન્ય લોકો પર ન પોષાય તેવા ટેક્ષ ન નાખવા જોઈએ. અમદાવાદમાં રહેતા મધ્યવર્ગના લોકો માટે પોતાની પ્રોપર્ટી એ પોતાના જીવનનું એક અતૂટ અંગ છે. અને આવી પ્રોપર્ટી પર સામાન્ય માણસને ન પોષાય તે રીતે પ્રોપર્ટી ટેક્ષ એ અન્યાય કરતા છે. સરકારની એ.એમ.ટી.એસ. બસોના રૂટ બંધ કરવાની નીતિનો પણ શ્રી ગોહિલે વિરોધ કર્યો હતો. ચુંટણી સમયે પાંચ વર્ષમાં ૫૦ લાખ મકાનો મધ્યમવર્ગના લોકોને આપવાની વાત કરનાર ભાજપની સરકારે હાઉસિંગ બોર્ડના ટ્રોમાં ગોટાળા પકડાતા ટ્રો ને રદ કરવાની ફરજ પડી હતી. આ બજેટમાં માત્ર ૩ લાખ જેટલા શહેરી લોકો માટે મકાનો બનાવવાની વાત કરવામાં આવી છે પરંતુ હક્કિતમાં જે રકમ ફાળવામાં આવી છે તેનાથી શહેરમાં એક ઝુપડું પણ બની શકે તેમ નથી.

           નર્મદાએ ગુજરાતની જીવાદોરી છે અને નર્મદા નદીના કારણે ગુજરાતમાં ૧૭ લાખ ૯૨ હજાર હેક્ટર જમીનને પીયતનો લાભ મળવાનો છે. જો કેનાલોના કામ આ સરકારે પુરા કર્યા હોત તો આજે ગુજરાત માટે સુવર્ણકાળ શરૂ થયો હોત. રાજય સરકારની ગુનાહિત બેદરકારીના કારણે ગુજરાતમાં આજે માત્ર ૨ લાખ ૯ હજાર હેક્ટરને જ પીયતનું પાણી મળે છે. કચ્છને નર્મદાનું પાણી પહોચાડવા માટે આ સરકારે સંપૂર્ણ ઉદાસીનતા રાખી છે. માત્ર નજીવી રકમ કચ્છ માટે ફાળવીને કચ્છને નર્મદાના નીર પહોચી જશે તેવી મજાક આ સરકારે કરી છે. હક્કિતમાં આ નજીવી રકમથી કચ્છના માત્ર  અંજાર સુધી પાણીના કદાચ દર્શન થશે પરંતુ ખેડૂતને ખેતર સુધીકે કચ્છના વિસ્તારોમાં નર્મદાનું પાણી પહોંચવાનું જ નથી.

           ગુજરાતમાં વીજ ગુજરાત સરકારના વીજ એકમોમાં વિધુત પેદા કરવાની ૪૮ હજાર ૧૭૪ મિલિયન યુનિટ ક્ષમતા છે તેના સામે ઉત્પાદન માત્ર ૧૫ હજાર ૮૫૦ મિલિયન યુનિટ એટલેકે ક્ષમતાના માત્ર ૩૨% જ આ સરકાર વીજ ઉત્પાદન કરે છે. અને આ રીતે ઓછું વીજ ઉત્પાદન કરીને પોતાના માનીતા ઉદ્યોગપતિઓ પાસેથી મનફાવે તેવા ભાવે ગુજરાત સરકાર કરોડો રૂપિયાની વિજળી ખરીદીને વીજ ખરીદીમાં નકલ્પી શકાય તેવો ભષ્ટાચાર કરી રહી છે. ગુજરાતમાં ૨૦૦૧ની સાલ માં જયારે વીજ ઉત્પાદન ક્ષમતા ૩૯ હજાર ૭૭૦ મિલિયન યુનિટ હતી ત્યારે વીજ ઉત્પાદન ૨૩ હજાર ૩૨૭ મિલિયન યુનિટ ગુજરાતની સરકાર કરતી હતી એટલેકે ઉત્પાદન ક્ષમતાના ૫૮.૬૫% વીજ ઉત્પાદન ગુજરાતમાં થતું હતુ.

           ગુજરાતમાં યુવાનોને રોજગારીની વાતો કરનારી આ સરકારના સમયમાં સરકારના ચોપડે જ નોધાયેલા જ સરકારી આંકડા મુજબ શિક્ષિત બેરોજગારો સાડા સાત લાખ કરતા વધારેની સંખ્યામાં છે. જે કંઇક ભરતીઓ થાય છે તેમાં પણ ભષ્ટાચાર ભરપુર થાય છે. અને તે ભાજપના મળતીયાઓના માધ્યમથી થાય છે તેમ જણાવતા શ્રી ગોહિલે વિધાનસભામાં કહ્યું હતુ કે તલાટી કમ મંત્રીઓ ની ભરતીમાં જે લાખો રૂપિયા લેવાતા હતા તેની ક્રિમીનલ ફરિયાદ દાખલ થયા પછી પુરવણી ચાર્જશીટમાં ભાજપના સંગઠનના એક મંત્રી નંદલાલનું નામ ખુલ્યું છે. પુરવણી ચાર્જશીટમાં આ નંદલાલ પકડવાના બાકી છે અને નાસ્તા ભાગતા ફરે છે તેથી મળી આવતા નથી તેવું પોલીસ જણાવે છે. આ ભષ્ટાચારને છાવરનારી સરકાર સામે શ્રી ગોહિલે વિધાનસભામાં એક તસ્વીર રજુ કરીને જણાવ્યું હતુ કે નંદલાલતો ખુલ્લેઆમ ભાજપના મંત્રી તરીકે ફરે છે અને તાજેતરના કૃષિ મહોત્સવમાં સ્ટેજ ઉપર અધિકારીઓ અને પદાધિકારીઓની હાજરીમાં બેઠેલા છે તેનો ફોટો શ્રી ગોહિલે રજુ કર્યો હતો. શ્રી ગોહિલે જણાવ્યું હતુ કે કલ્યાણસિંહ ચંપાવત જેવાતો માત્ર મોહરા છે હક્કિતમાં ભષ્ટાચારનું મૂળ ભાજપના મૂળ સાથે જોડાયેલું છે.

    ———————————————————————————————————————————————————-

    નોંધ : – તોહમતદાર નંદલાલનો કૃષિ મહોત્સવના સ્ટેજ ઉપર બેઠેલાનો ફોટો . 

     

     

    Nandlal_Patel_ Press Note 08.07.2014

  • Letter to CM

    Click here to view/download copy of letter

     

    પ્રતિ,                                                            તા.૩જી જુલાઇ,ર૦૧૪

    શ્રીમતી આનંદીબેન પટેલ,

    માન.મુખ્‍યમંત્રીશ્રી,

    ગુજરાત સરકાર, સચિવાલય,

    ગાંધીનગર.

     

    નમસ્‍કાર,

            આપશ્રી તા. ૬ઠ્ઠી જુલાઇ,ર૦૧૪ને શનિવારના રોજ કચ્‍છ જિલ્લામાં જઇ રહયા છો  ત્‍યારે કચ્‍છ જિલ્લાના તેમજ મારા મત વિસ્‍તારના નીચે મુજબના પ્રશ્નોના યોગ્‍ય નિકાલ અર્થે આપશ્રીને જણાવુ છું. મને આશા છે કે, આપશ્રી દ્વારા યોગ્‍ય કાર્યવાહી કરાવવામાં આવશે.

     ૧: કચ્‍છ જિલ્લાના અબડાસા અને લખપત તાલુકાઓ અર્ધ અછતગ્રસ્‍ત જાહેર થયેલાં છે. તેમાં ઘાસની પૂરતી વિતરણ વ્‍યવસ્‍થા જરૂરી છે. મર્યાદિત સંખ્‍યામાં પશુઓને ઘાસ માટેના કાર્ડ આપવાના બદલે હકીકતમાં જેટલાં પશુઓ હોય તે તમામ પશુઓને ઘાસના કાર્ડ આપવા જોઇએ. છેલ્લાં ઘણાં સમયથી ગુજરાતમા઼ કોઇ દુષ્‍કાળનું વર્ષ નહીં હોવાથી રાજ્‍યના અનેક જિલ્લાઓમાં ઘાસનો પૂરતો જથ્‍થો સરકારી ગોડાઉનોમાં ઉપલબ્‍ધ છે. આ ઘાસને કચ્‍છમાં લાવીને ઘાસ ડેપો મારફત પશુપાલકો, સેવાભાવી સંસ્‍થાઓ અને ખેડૂતોને આપવું જોઇએ.  અછતગ્રસ્‍ત વિસ્‍તારોમાં પીવાનું પાણી,  બરોબર મળે તે માટે ર૪ કલાક વિજ પુરવઠો ઉપલબ્‍ધ થાય તે જરૂરી છે. અછત મેન્‍યુઅલના સંદર્ભમાં ભૂતકાળમાં એ પ્રકારે નિર્ણય લેવાતો હતો કે અછતગ્રસ્‍ત વિસ્‍તારમાં અવિરત વીજ પુરવઠો મળી રહે.

    રઃ કચ્‍છ જિલ્લાને નર્મદાના પાણીની અત્‍યંત જરૂરીયાત છે. તાજેતરના બજેટમાં એક એકર મિલીયન ફીટ નર્મદાનું પાણી કચ્‍છને પહોંચાડવા જે નાણાંકીય જોગવાઇ થઇ છે તે અપૂરતી છે. નર્મદાનુ઼ પાણી કચ્‍છને પૂરતું મળે તે માટે પૂરતી નાણાંકીય વ્‍યવસ્‍થા થવી જોઇએ અને ફળવાયેલાં નાણાં પૂરેપૂરા વપરાય તે પણ જોવું જોઇએ. કચ્‍છમાં જુના હયાત મોટા ડેમોને નર્મદાના પાણીથી ભરવાનું આયોજન તાત્‍કાલિક થાય તે પણ આવશ્‍યક છે.

    ૩: નારાયણ સરોવર ખાતેના તળાવને નર્મદાના પાણીથી બારેમાસ ભરેલું રાખવાની જાહેરાત ઘણાં સમય પહેલાં કરવામાં આવી હતી પરંતુ, નર્મદાના પાણીથી આ તળાવ ભરવામાં આવતું નથી. અનેક હિન્‍દુઓના આસ્‍થાના સ્‍થળને અગ્રિમતા આપવા વિનંતી છે.

    ૪: કચ્‍છ જિલ્લામાં હિન્‍દુ અને મુસ્‍લીમ ધર્મોના અનેક સુપ્રસિધ્‍ધ આસ્‍થાના સ્‍થાનકો આવેલાં છે. આ સ્‍થળો પૈકીના ઘણાં સ્‍થળોને યાત્રાધામ તરીકે વિકસાવવાની સરકારે જાહેરાતો કરી છે પરંતુ તેને અનુરૂપ કામ થયેલ નથી.તો આ સ્‍થળો વિકસાવવા માટે પૂરતાં ગામો થાય તે જોવા વિનંતી છે.

    પઃ પાકિસ્‍તાનથી કચ્‍છમાં આવીને વસેલાં અનેક કુટુંબો જુદા જુદા ગામોમાં રહે છે. આ ગામો રેવન્‍યુ વિલેજ તરીકે જાહેર થયેલાં નથી પરિણામે અનેક મુશ્‍કેલીઓ આ ગામોને પડે છે. માટે તાત્‍કાલિક આવા ગામોને રેવન્‍યુ વિલેજ તરીકે જાહેર કરવા વિનંતી છે.

    ૬: આપશ્રીએ થોડા સમય પહેલાં મહેસુલ મંત્રી તરીકે જાહેરાત કરી હતી કે, કચ્‍છના લોકોને બાવળ કાપવાની અને કોલસા પાડવાની છૂટ આપવાનુ સરકાર વિચારી રહી છે તો હવે જયારે આપ મુખ્‍યમંત્રી બન્‍યા છો ત્‍યારે આ અંગેનો નિર્ણય તાત્‍કાલિક લેવાય તેવી અપેક્ષા રાખુ છું.

    ૭: આપશ્રીએ ચૂંટણી દરમયાન માન.શ્રી સૌરભભાઇ પટેલ સાથે ચૂંટણી સભામાં કચ્‍છ જિલ્લાની ઉમરાણ ખાણ પુનઃ ચાલુ કરવાની વાત કરી હતી તો હવે આ ખાણ ફરી શરૂ થાય કે જેથી  સ્‍થાનિક લોકોને રોજીરોટી મળી શકે તે માટે કાર્યવાહી થવા વિનંતી છે.

    ૮: કચ્‍છ જિલ્લાના લખપત, અબડાસા અને નખત્રાણા તાલુકામાં સરકારી કર્મચારીઓની ખૂબજ મોટા પ્રમાણમાં જગ્‍યાઓ ખાલી છે. આ જગ્‍યાઓ તાત્‍કાલિક ભરાય તે જરૂરી છે. તાજેતરમાં જે શિક્ષકોની ભરતી થઇ છે. તેમાં પણ એક શિક્ષકવાળી શાળાઓને પ્રાધાન્‍ય આપવું જોઇએ તે અપાયું નથી.

    ૯: લખપત,અબડાસા અને નખત્રાણા તાલુકાઓમાં વીજ વાયરો, થાંભલાઓ અને સબ સ્‍ટેશનોનું મરામતનુ઼ કામ યુધ્‍ધના ધોરણે કરવું જરૂરી છે કારણ કે, આ વિસ્‍તાર દરિયાઇ કાંઠાની નજીકનો હોય ક્ષારના કારણે વારંવાર વીજ પુરવઠો ખોરવાય છે.

    ૧૦: કચ્‍છ જીલ્લામાં આવેલાં ઉદ્યોગો કચ્‍છના સ્‍થાનિક લોકોને રોજગારી આપતાં નથી એવી વ્‍યાપક ફરિયાદ છે. આપશ્રી દ્વારા આ અંગેનું  મોનીટરીંગ થાય અને સ્‍થાનિક લોકોને રજોગારી તેમજ નાના મોટા કામો મળી રહે તે જોવા વિનંતી છે.

    ૧૧: અબડાસા અને લખપત તાલુકામાં છેલ્લાં કેટલાંય વર્ષોથી નવા મોટા ડેમ બનાવવામાં આવેલ નથી આ વિસ્‍તારમાં નવા ડેમ બને તેવી અનેક સાઇટ ઉપલબ્‍ધ છે. આ અંગે યોગ્‍ય કાર્યવાહી થવા સિંચાઇ વિભાગને સૂચના આપવા વિનંતી છે.

    ૧રઃ કચ્‍છ જિલ્લાના બન્ની વિસ્‍તારમાં સૌથી વધારે પશુપાલકો રહે છે અને આ વિસ્‍તારમાં ખેતી થતી નથી માટે આનાવારી થયેલી નથી. ગત વર્ષે અહીં ખૂબ જ ઓછો વરસાદ થયેલો છે માટે આ વિસ્‍તારને તાત્‍કાલિક અછતગ્રસત જાહેર કરી પશુપાલકો માટે અને સ્‍થાનિક લોકો માટે ઘાસ,પાણી તથા અન્‍ય રાહતની કામગીરી શરુ કરવા વિનંતી છે.

    ૧૩: તેરા ગામે એક ઐતિહાસિક ગામ છે. આ ગામને હેરીટેજ વિલેજ તરીકે સરકારે જાહેર કર્યા પછી નકકી થયા મુજબના વિકાસના કામો હજુસુધી થયેલાં નથી તો તે પણ તાત્‍કાલિક થાય તેવી વિનંતી છે.

    ૧૪: કચ્‍છ જિલ્લાના આરોગ્‍ય  કેન્‍દ્રોમાં ડોકટરોની જગ્‍યાઓ ખૂબ જ ખાલી છે અને ભુજની હોસ્‍પિટલ સામે પણ ઘણી ફરીયાદો આવે છે. માટે લોકોના આરોગ્‍ય અંગે યોગ્‍ય વ્‍યવસ્‍થા જરૂરી છે.

     

            આભાર સહ,

            કુશળતા ઇચ્‍છુ છું.

    આપનો સ્‍નેહાધીન,

     

    (શક્તિસિંહ ગોહિલ)

     

     

    Letter to CM 001 Letter to CM 002 Letter to CM 003 Letter to CM 004

  • Press Note Guj Dt:02/07/2014

    Click here to view/download press note.

     ગુજરાત વિધાનસભામાં ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની જમીન સંપાદન થાય અને તેમાં ઓછુ વળતર મળેલ હોય ત્‍યારે કોર્ટમાં રેફરન્‍સ કરનારે જમીનની કિંમતના તફાવતના ૧૦% રકમ કોર્ટ ફી તરીકે ભરવી પડે તેવા ગુજરાત સરકારના કાયદાની વિરુધ્‍ધ બોલતાં અબડાસા મત વિસ્‍તારના માન. ધારાસભ્‍યશ્રી શક્‍તિસિંહ ગોહિલે જણાવ્‍યું હતું કે, ખેડૂતોને અન્‍યાયકર્તા આ જોગવાઇ છે. નામદાર સુપ્રિમ કોર્ટે કિંમત ઉપર કોર્ટ ફી ન જ લેવા અને એકદમ નોમીનલ કે ટોકન કોર્ટ ફી લેવા જણાવ્‍યું છે. આમ છતાં ગરીબ ખેડૂતો કે જેમની જમીન સરકારે સંપાદન કરી છે અને બળજબરીથી થયેલ સંપાદનની વળતરની રકમ મેળવવા માટે ખેડૂતોને કોર્ટ ફીની રકમ પોતાની કિંમતની માંગણી મુજબ ભરવી પડે તે અન્‍યાયકર્તા છે. શ્રી ગોહિલે જણાવ્‍યું છે કે, દેશના માત્ર બે રાજ્‍યો આ પ્રકારની કોર્ટ ફી લેતા હતા અને જેના સામે સુપ્રિમ કોર્ટે આવી કોર્ટ ફી ન લેવા જણાવ્‍યા પછી પણ ખેડૂતો પાસેથી ૧૦ ટકા કોર્ટ ફી લેવી તે સરકારની ખેડૂત વિરોધી નીતિનું પ્રમાણ છે.

     શ્રી ગોહિલે વિધાનસભામાં સુપ્રિમ કોર્ટ અને હાઇકોર્ટના વિવિધ ચુકાદાઓ તેમજ ગુજરાત સરકારે જ તેમના એડવોકેટ મારફત હાઇકોર્ટમાં આપેલી ખાત્રીના જરૂરી દસ્‍તાવેજો વાંચીને જણાવ્‍યું હતું કે, આ સરકાર ખેડૂતોનું અહિત કરી રહી છે.

    ————————————————————————————————————————————————————-

    ટ્રાન્‍સક્રીપ્‍ટની નકલ મેળવવા તેમજ જોવા માટે અહીં ક્લિક કરો

  • Press Note Guj Dt: 28/06/2014 – Ashadhi Bij

    Click here to view/download press note.

     

    શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

    રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

     

    અખબારી યાદી                                                  તા. ૨૮.૦૬.૨૦૧૪

     

          કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે પ્રવિત્ર અષાઢી બીજ અને કચ્છી માડુઓના નવા વર્ષ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. કચ્છની ધરતી અને મેઘરાજા વચ્ચેના સબંધોએ મહામુલ્ય છે. શ્રી ગોહિલે જણાવ્યું હતુ કે ઈશ્વરને પ્રાથના કરીએ કે અષાઢી બીજના પ્રવિત્ર દિવસે કચ્છની ધરતી પર મેઘરાજાના અમીછાંટણા થાય અને દુષ્કાળની પરિસ્થિતિનો સામનો કરી રહેલા વિસ્તારોમાં વરસાદના આગમનથી ઘાસ અને પાણીની મુશ્કેલીઓ દુર થાય. આગામી વર્ષ ખેડૂતો અને પશુપાલકો તેમજ કચ્છી માડુઓ માટે સુખ, શાંતિ અને સમૃધ્ધિથી ભરપૂર બની રહે. અષાઢી બીજનું મહત્વ કચ્છી કહેવત “અષાઢી બીજ વંડર કા વીજ” પર થીજ સમજી શકાય છે. અષાઢ મહિનામાં મેઘરાજાના આગમનથી કચ્છની ધરતી સ્વર્ગ સમાન બની જતી હોય છે આ વર્ષે પણ ભરપૂર વરસાદ કચ્છની ધરતી પર આવે અને કચ્છની ધરતી હરિયાળી બને તેવી પ્રભુને પ્રાથના.   

     

    મીઠો અસાંજો કચ્છ,

    મીઠા અસંજા માંડું,

    મીઠી અસાન્જી ગાલીયું,

    અને મીઠી અસાન્જી પ્રીત ,


    હેપી અષાઢી બીજ મડીકે નયે વરેજી વધાયું!!!

    ————————————————————————————————————————————————————-

     

  • Letter to Finance Minister

     

    સ્‍નેહીશ્રી સૌરભભાઈ,

     

            સવિનય જય ભારત સાથ જણાવવાનું કે, આ૫શ્રીનો તા.૩૦.૫.ર૦૧૪નો ૫ત્ર મને મળેલ છે. નાણાકીય વર્ષ-ર૦૧૪-૧૫ના રાજયના બજેટમાં સમાવવા બાબત આ૫શ્રીએ જણાવેલ છે. આ અંગે જણાવવાનું કે, આગામી બજેટમાં નર્મદાના પાણી લોકો સુધી વહેલામાં વહેલી તકે ૫હોંચાડી શકાય તે માટે પૂરતી નાણાંની ફાળવણી આવશ્‍યક બની રહેશે. કચ્‍છ જિલ્‍લાને નર્મદાનું પાણી ૫હોંચાડવાનું કામ અગ્રીમતાથી થાય તે માટે કચ્‍છની કેનાલના કામો આગામી વર્ષોમાં જ પૂર્ણ  થાય તેવી જોગવાઈ બજેટમાં કરવી જોઈએ. કચ્‍છ જિલ્‍લાના લખ૫ત, અબડાસા અને નખત્રાણા તેમજ બન્‍નીનો વિસ્‍તાર વારંવાર અછતથી પ્રભાવિત રહે છે. હાલ આ વિસ્‍તારમાં લોકો અછતની ૫રિસ્‍થિતિનો સામનો કરી રહયા છે. આ વિસ્‍તારમાં ભૂતકાળની સરકારોએ મોટા ડેમો બનાવ્‍યા હતાં, ૫રંતુ છેલ્‍લાં ઘણાં વર્ષોથી એક૫ણ મોટો ડેમ આ વિસ્‍તારમાં બન્‍યો નથી. માટે સ્‍થાનિક તંત્રએ તેમજ અમોએ આ વિસ્‍તારમાં મોટા ડેમો બનાવવાની જે દરખાસ્‍તો મોકલી છે. તે પૈકી મોટા ડેમો બનાવવાનું આયોજન થાય તે આવકારદાયક રહેશે. નર્મદાના પાણીથી કચ્‍છના હયાત ડેમો તથા નાના મોટા તલાવડાને લીંકેજ બનાવી ભરવામાં આવે તો કચ્‍છની જનતાને ઘણો મોટો ફાયદો થઈ શકે તેમ છે. આગામી બજેટમાં આ માટે પૂરતી જોગવાઈ થાય તે જોવા ખાસ વિનંતી છે.

            કચ્‍છના અબડાસા, લખ૫ત અને નખત્રાણા તાલુકાના અનેક રસ્‍તાઓ અત્‍યંત બિસ્‍માર હાલતમાં છે. વર્ષોથી ડામરની કાર્પેટ થયેલી નથી તો રસ્‍તાઓને રિ-કાર્પેટ માટે આગામી બજેટમાં સમાવવા વિનંતી છે. પીંગળેશ્વર મંદિર તથા હિંગરીયા      દેવસ્‍થાન,અબડા દાદાની જગ્‍યા, સુમરી ડાડીઓનું સ્‍થાનક જેવી અનેક હિન્‍દુ અને મુસ્‍લિમ લોકોની શ્રઘ્‍ધા ધરાવતા સ્‍થળો આવેલાં છે. આ પૈકીના કેટલાક યાત્રાસ્‍થાનો તરીકે ૫ણ સરકાર દવારા જાહેર કરવામાં આવ્‍યા છે, ૫રંતુ આ સ્‍થળોના રસ્‍તા કે યાત્રાસ્‍થાનોના  વિકાસ માટે નાણાની કોઈ પૂરતી ફાળવણી થયેલી નથી. આગામી બજેટમાં આ અંગે પૂરતાં નાણાંની ફાળવણી થાય તેવી ખાસ વિનંતી છે.

    કચ્‍છ જિલ્‍લામાં આવેલા માતાનામઢ અને હાજીપીરની જગ્‍યાના વિકાસ માટે જરૂરી નાણા ફાળવવા વિનંતી છે.

            આભાર સહ.

    આ૫નો સ્‍નેહાધીન,

     

    (શક્‍તિસિંહ ગોહિલ)

    પ્રતિ,

    શ્રી સૌરભભાઈ ૫ટેલ,

    માન.નાણાંમંત્રીશ્રી,

    ગુજરાત સરકાર,સચિવાલય,

    ગાંધીનગર.

    Click here to View/download copy of letter.

     

     

  • Press Note Guj 12.06.2014 on Drought

    Click here to view/download press note.

     

    શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

    રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

     

    અખબારી યાદી                                            તા. 12-6-2014

    કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને અબડાસા વિસ્તારના ધારાસભ્યશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, સરકારશ્રી દ્વારા અબડાસા તાલુકાના ૭૨ અને લખપત તાલુકાના ૧૦ ગામો તેમજ અન્ય ૧૫ ગામો મળી કુલ ૯૭ ગામોને અર્ધઅછતગ્રસ્ત તરીકે અગાઉ જાહેર થયેલ ગામો ઉપરાંતના જાહેર કરવામાં આવ્યા છે. આ અર્ધઅછતગ્રસ્ત જાહેર થયેલ તમામ ગામોને અછતરાહત મેન્યુઅલ મુજબ ઘાસ, પાણી તેમજ અન્ય વ્યવસ્થા તાત્કાલિક અને પૂરતી મળે તે માટે સચિવાલય, ગાંધીનગર ખાતે શક્તિસિંહ ગોહિલ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. બન્ની વિસ્તારના ગામોમાં કે જ્યાં આનાવારી થયેલી નથી તે તમામ વિસ્તારને અછતગ્રસ્ત જાહેર કરવો જોઈએ. કચ્છમાં સરકારી ગોડાઉનોમાં પૂરતું ઘાસ ઉપલબ્ધ છે. ઉપરાંત, સમગ્ર ગુજરાતમાં અન્ય કોઈ જગ્યાએ અછત નથી ત્યારે નખત્રાણા, અબડાસા અને લખપત તાલુકામાં રાહતદરે ઘાસનું વિતરણ તાત્કાલિક શરૂ કરવું જોઈએ.

    નર્મદા બંધની ઊંચાઈ વધારવાની અને ડેમના દરવાજા બંધ કરવાની મંજૂરીને આવકાર આપતાં શ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, અત્યારે પણ નર્મદા ડેમમાં પૂરતું પાણી ઉપલબ્ધ છે. હકીકતમાં કેનાલના કામો પૂર્ણ કરીને ખેતરો સુધી પાણી પહોંચાડવું જોઈએ. કચ્છનો વિસ્તાર સૌથી વધારે જરૂરિયાતવાળો છે, માટે નર્મદા યોજનાનું પાણી કચ્છને પૂરેપૂરું મળે તે માટે સરકારે અગ્રીમતા આપવી જોઈએ.

    ——————————————————————————————

     

  • Press Note Guj Dt:09/05/2014 Modi is indeed fake OBC

    Click here to view/download press note.

    શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

    રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી

    અખબારી યાદી                                                              તા.૦૯.૦૫.૨૦૧૪

                    નરેન્દ્ર મોદી નકલી ઓ.બી.સી છે તે હકીકત હોવા છતાં બીજેપી પોતાના જુઠ્ઠાણાને છુપાવવા એક પછી એક અનેક જુઠ્ઠાણાઓ બોલી રહ્યુ છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતુ કે ઓ.બી.સી ના લીસ્ટને ફાઈનલ કરવાનું કે તેમાં સુધારા વધારા કરવાનો અધિકાર માત્ર ભારત સરકારને જ છે. મોઢ ધાંચી ૧૯૯૪ કે ૧૯૯૯ સુધી ક્યારે પણ ભારત સરકારના ઓ.બી.સી ના લીસ્ટમાં હતા જ નહી. આ હકીકત હોવા છતા ૧૯૯૪નો બક્ષીપંચની યાદીનો ગુજરાતનો પરિપત્ર બતાવીને જનતાને ગુમરાહ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ૧૯૯૯માં જયારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કેશુભાઈ પટેલને હટાવીને ઓ.બી.સીના કોઈ વ્યક્તિને મુખ્યમંત્રી બનાવવાની ચળવળ ચાલી ત્યારે નરેન્દ્ર મોદીના ખાસ ચેલા કે જેનો ઉપયોગ કર્યા પછી મોદીએ જેને રાજકીય રીતે ખત્મ કરી નાખ્યા છે તેવા ભરતભાઈ બારોટ સમાજ કલ્યાણના મિનિસ્ટર હતા. શ્રી બારોટે મોઢ ઘાંચીને ઓ.બી.સીમાં મુકવા માટે એન.ડી.એની સરકારમાં મોદીના કહેવાથી પ્રયત્નો કર્યા હતા અને તેના પરિણામે જયારે ગુજરાતમાં ભાજપની સરકાર હતી અને કેન્દ્રમાં એન.ડી.એની સરકાર હતી ત્યારે મોઢ ઘાંચીને ઓ.બી.સીમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટના બાદ તા. ૦૧.૦૧.૨૦૦૨ના રોજ ગુજરાત સરકારે જીઆર કરી ને ઓ.બી.સીની સુધારેલી યાદીમાં મોઢ ઘાંચીને દાખલ કર્યા હતા. જો ૧૯૯૪માં મોઢ ઘાંચી ઓ.બી.સીમાં દાખલ થયા હતા તો પછી તા. ૦૧.૦૧.૨૦૦૨ના જીઆરમાં શા માટે લખાયું છે કે જૂની યાદીમાં માત્ર મોઢ મુસ્લિમ છે તેમાં હવે પછીથી નવી યાદીમાં ઉમેરો કરીને મોઢ ઘાંચી પણ ઉમેરવામાં આવે છે. આ જ બતાવે છે કે મોઢ ઘાંચી ઓ.બી.સીમાં હતા જ નહી. ૧૯૯૪માં કે કોંગ્રેસના શાશનમાં મોઢ ઘાંચી જ્ઞાતિને કેન્દ્ર સરકારે ઓ.બી.સી લીસ્ટમાં દાખલ કરી હોય તો તેની નકલ બીજેપી જાહેર કરે. 

             શ્રી ગોહિલે વધુમાં જણાવ્યું હતુ કે મોઢ સામાજની પોતાની ઓફિસીયલ વેબસાઈટ મોઢ સમાજ.કોમ છે. જેનું વેબએડ્રેસ http://www.modh-samaj.com/modh-modi.htm છે. આ વેબસાઈટ પર મોઢ મોદી, તેલી મોદી વિગેરીની વ્યાખ્યા આપવામાં આવી છે. અને તે મુજબ પણ મોઢ સમાજ સ્પષ્ટ રીતે લખે છે કે નરેન્દ્ર મોદીની જે જ્ઞાતિ  છે તે જ્ઞાતિ વેપારી જ્ઞાતિ છે એટલે કે વૈશ્યમાં આવે અને તે વેપાર કરતી જ્ઞાતિ છે. આમ મોદી કોઈ પણ રીતે પછાત જ્ઞાતિમાં આવી શકતા નથી. મોઢ સમાજ ની વેબસાઈટ પરના અક્ષ્રર સહ મોઢ મોદી માટેના લખાણ ને અહી રિપ્રોડ્યુસ કરવામાં આવી રહી  છે.    

    http://www.modh-samaj.com/modh-modi.htm

    Modh Samaj

    ———————————————————————————–

     

  • Press Note Eng Dt:09/05/2014 Modi is indeed fake OBC

    Click here to view/download press note

    Office of Shaktisinh Gohil

    National Spokesperson, AICC

      

    Press Note                                                                                         09th May, 2014

     

    Modi is indeed fake OBC

               In its attempt to shield the lie of Narendra Modi, BJP is indulging in a series of lies. Asserting that BJP Prime Ministerial candidate Narendra Modi manipulated the status of his caste after becoming Gujarat Chief Minister, National spokesperson of Congress Shaktisinh Gohil said that the argument put forward by BJP government in Gujarat that Modh Ghanchi to which Modi belongs was included in the OBC list in 1994 was misleading.

               Gohil pointed out that the OBC list was created and amended by central government only and Modh Ghanchi was not in the list, neither in 1994 nor 1999. In 1999 there was a move to oust Keshubhai Patel and at that time Modi had persuaded the then social welfare minister Bharat Barot to take up the issue of inclusion of Modh Ghanchi in OBC. Consequently, NDA government at the centre included Modh Ghanchi in the list. This was specifically for this reason that after becoming Chief Minister Modi got a circular  issued on 1/1/2002 that Modh Ghanchi were among the OBC. Otherwise there was no reason for the 2002 circular. Until then only Ghanchis who were Muslims were in the OBC list. Gohil has challenged BJP to show the OBC list of central government to justify its claim of 1994. In addition to this Gohil pointed out that the website of Modh communities http://www.modh-samaj.com/modh-modi.htm clearly establishes that Modh Ghanchi was a trading community and thus Modi belonged to trading community.

     http://www.modh-samaj.com/modh-modi.htm

    Modh Samaj

    ———————————————————————————————————————-

       

  • Press Note Eng Dt:08/05/2014 on Modi is fake OBC

    Hindi version is available at the end of the English Press.

    Click here to view/download press note.

    Office of Shaktisinh Gohil

    National Spokesperson, AICC

      

       Press Note                                                                    08th May, 2014

    Modi is fake OBC

               Of late Gujarat chief minister has been indulging in a low level of political gimmickry. He has been desperately trying to invoke his OBC status and garner sympathy. Modi does not belong to Other Backward Communities as he has been claiming to exploit OBC votes. He belongs to rich and prosperous Modh Ghanchis who were never given any kind of reservation nor were included in OBCs before Modi became CM.

              In a major disclosure national AICC spokesman Shaktisinh Gohil has EXPOSED Gujarat CM and his dirty divisive politics. He today made a sensational disclosure and produced the Government resolution dated : 1/1/2002 before the media which established that Modi manipulated government records and included his caste Modh Ghanchi in the OBC list.

              Giving details of the subtle manipulation Modi did after becoming Chief Minister, Gohil said that Ghanchis who were muslims were among OBCs, but not prosperous Modh Ghanchis to which Modi belongs. Modi Government issued a circular on1-1-2002 that Modh Ghanchis are also included in OBC from 1/1/2002. It must be noted that Modi became CM in September 2001.

              Gohil released a copy of the circular No:  sshap/1197/I-4/a dated: 1/1/2002 which brought this change in the OBC list of Gujarat. He said that this manipulation was like the fake encounters by which he managed to promote his image.

              He also quoted from the authentic Gujarati lexicon Bhagvadgomandal which says that Modh are rich people living in a particular village. Gandhiji was a modh vanik, he said. Modh is an adjective showing prosperity status of a particular caste or community.

              By acquiring OBC status for his selfish motives, Modi has in fact encroached upon the right of members of OBC, Gohil said. Modi is a man born in upper caste and is indulging in low level politics. A man’s actions have nothing to do with his caste. The best example of this was Dr. B. R. Ambedkar, Gohil pointed out.

              Narendra Modi has been making loud claims of whether it is a sin to be of this particular caste? No Mr Modi, it is not a crime to be of any caste or community. we are a secular nation and equality is enshrined in our constitution But it definitely is a crime to put your own self in OBC strata and then cry discrimination.

              This is exactly what Mr modi did. He belongs to Modh Ghanchi community which is basically and traditionally a prosperous trading community of gujarat
    but after Mr Modi took over as Chief Minister of gujarat what did he do?
    He put himself in OBC class!

              Now Modi is projecting himself as a man who used to sell tea in the childhood but this is an utter lie. He never sold tea. The fact is that he used to sit in the canteen of one of his relatives to spend his time, Gohil said. In reality he has ruined lives of many chaiwaalas by demolishing their shops and larris.

               He has given precious land to his businessmen friends at throw away price. Instead, he could have helped millions of chaiwaalas by providing financial assistance to them, Gohil said. His approach is anti poor and full of self interest.

    ————————————————————————————————————————

    Encl: – Click here to view/download copy of the circular.

    Click here for Hindi version

  • Press Note Guj Dt:08/05/2014 on Modi is fake OBC

    Click here to view/download press note.

    Encl:-     Click here to view/download copy of the circular.

    શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

    રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી

     

    અખબારી યાદી                                                  તા. ૮.૫.૨૦૧૪

           નરેન્દ્ર મોદી પછાત જાતિમાં જન્મેલા છે અને ઓ.બી.સી. છે તે સદંતર જૂઠ્ઠાણું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે ગુજરાત સરકારના જ તા. ૧-૧-૨૦૦૨ના પરિપત્ર ક્રમાંક – સશપ/૧૧૯૭/આઈ-૪/અ સચિવાલય, ગાંધીનગરની નકલ પ્રેસ અને મીડીયા સમક્ષ રજૂ કરીને જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી મોઢ ઘાંચી જ્ઞાતિના છે અને આ જ્ઞાતિ પછાત વર્ગ કે ઓ.બી.સી.માં આવતી જ ન હતી. ઉલટાનું, ગુજરાતી શબ્દકોષ માટે આધારભૂત પુસ્તક “ભગવદ્‍ગોમંડલ’ના પુરાતન મૂળ શબ્દકોષમાં જોઈએ તો મોઢ શબ્દ એ ચોક્કસ ગામમાં રહેતા ખૂબ જ શ્રીમંત અને અગ્રેસર જ્ઞાતિઓ માટે વપરાતો હતો. જેમ કે, મોઢ બ્રાહ્મણ, મોઢ વાણિયા અને તેલનો મોટાપાયે વેપાર કરનારા મોટા બિઝનેસમેન માટે મોઢ ઘાંચી શબ્દ વપરાતો હતો. આ કારણોસર જ આઝાદી આવ્યા બાદ દેશમાં અને ગુજરાતમાં ક્યારેય પણ કોઈપણ મોઢને પછાત જ્ઞાતિ કે બક્ષીપંચમાં સમાવવામાં આવેલી ન હતી. કેન્દ્રમાં ૨૦૦૦માં એનડીએની સરકાર હતી અને ગુજરાતમાં ભાજપની સરકાર હતી, તેમજ નરેન્દ્ર મોદી રાજકારણમાં સક્રિય અગ્રેસર બન્યા ત્યારે પોતાના રાજકીય લાભ અને પોતાની જ્ઞાતિ તથા પરિવારના આર્થિક લાભ માટે પોતાની જાતિ મોઢ ઘાંચીને ઓ.બી.સી.માં સદંતર ખોટી રીતે દાખલ કરી દીધેલ છે. શ્રી ગોહિલે ગુજરાત સરકારના તા. ૧-૧-૨૦૦૨ના પરિપત્ર પ્રેસ અને મીડીયા સમક્ષ રજૂ કરીને સાબિત કર્યું હતું કે, નરેન્દ્ર મોદીની જાતિ ઓ.બી.સી.માં હતી જ નહીં. જ્યારે ૨૦૦૧માં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા ત્યારબાદ તા. ૧-૧-૨૦૦૨ના પરિપત્રથી ઓ.બી.સી.ની યાદીક્રમાંક-૨૩ કે જેમાં માત્ર ઘાંચી (મુસ્લિમ) હતા, તેમાં મોઢ ઘાંચીનો ઉમેરો કરીને સમગ્ર ઓ.બી.સી. જાતિના અધિકાર ઉપર મોદીએ પોતાના સ્વાર્થ માટે તરાપ મારી છે. પછાત જાતિઓમાં એક વિકસિત અને શ્રીમંત જાતિનો ઉમેરો થવાથી સરકારી નોકરીઓમાં અને અન્ય યોજનાઓમાં લાભ મેળવતી ખરેખર સાચી પછાત જાતિઓને અન્યાય થયો છે. પછાત જાતિઓના અધિકારો ઉપર મોદી દ્વારા અતિક્રમણ થયું છે. આઝાદી આવી ત્યારથી ૨૦૦૨ સુધીમાં કેન્દ્રમાં અને ગુજરાતમાં અનેક સરકારો જુદા જુદા પક્ષની આવી, પરંતુ આટલા લાંબા સમયગાળા સુધી કોઈપણ સરકારે મોઢને પછાત ગણવાનું યોગ્ય માન્યું ન હતું. માત્ર નરેન્દ્ર મોદી પોતાના સ્વાર્થ ખાતર મુખ્યમંત્રી બન્યા પછી ઓ.બી.સી. જ્ઞાતિમાં પોતાની જ્ઞાતિનો સમાવેશ કરે તે શ્રી મોદીની સ્વાર્થી વૃત્તિની પરાકાષ્ઠા છે.

              ગુજરાતના નકલી એન્કાઉન્ટરની જેમ જ ગુજરાતના મુખ્યમંત્રી નકલી ઓ.બી.સી. છે. તેઓ ઉચ્ચ જાતિમાં જન્મેલા છે અને નીચી કક્ષાનું રાજકારણ કરે છે. માણસની માનસિકતાને માણસની જાતિ સાથે કાંઈ લેવાદેવા હોતી નથી. બાબાસાહેબ આંબેડકર એ આ બાબતનું સૌથી મોટું ઉદાહરણ છે. નરેન્દ્ર મોદી નીચી કક્ષાનું હલકું રાજકારણ કરે છે તે બધા જ જાણે છે અને જ્યારે કોઈ તેમની ગંદી હરકતો તરફ આંગળી ચીંધે ત્યારે સમગ્ર જાતિને પોતાના પાપ સાથે મોદી જોડે છે, તે સમગ્ર જાતિનું અપમાન છે. મોદીએ પોતે કરેલી હલકી કક્ષાની રાજનીતિની જવાબદારી સ્વીકારવાને બદલે સમગ્ર જાતિને પોતાની હલકી રાજનીતિના પાપ સાથે જોડીને સમગ્ર જાતિનું અપમાન કરેલ છે. મોદીની માનસિકતા જ ગરીબ, દલિત, બક્ષીપંચ અને લધુમતિની વિરોધી છે.

              પોતે ચા વેચવાવાળા હતા તે પણ સદંતર જૂઠ્ઠાણું છે. હકીકતમાં મોદીએ ક્યારેય ચા વેચી નથી, પરંતુ પોતાના એક સગાના કેન્ટીનના કોન્ટ્રાક્ટરનું કાઉન્ટર ટાઈમપાસ કરવા માટે સંભાળ્યું હતું. જો ખરેખર ગરીબ ચા વેચવાવાળો માણસ ગુજરાતનો મુખ્યમંત્રી બન્યો હોય તો ગાંધીનગરમાં અનેક ચાની લારીવાળાને ડીમોલીશનના નામે ક્યારેય બરબાદ ન કરત ! હકીકતમાં મોદી ગુજરાતમાં માનીતા ઉઘોગપતિઓને મફતના ભાવે હજારો હેક્ટર જમીન આપી ચૂક્યા છે અને સામા પક્ષે કેટલાય ગરીબ ચાની લારીવાળા કે નાના-મોટા ધંધા-રોજગારવાળાને તોડફોડ કરીને ડીમોલીશનના નામે બેકાર બનાવી ચૂક્યા છે. આ જ બતાવે છે કે, મોદીની માનસિકતા ગરીબ વિરોધી અને પોતાના સ્વાર્થથી ભરપૂર છે.

    —————————————————————————————

     

  • Press Note Guj Dt:04/05/2014

    Click here to view/download press note.

    શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

    રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી

     

    અખબારી યાદી                                                              તા.૦૪.૦૫.૨૦૧૪

            લખપત અને અબડાસા વિસ્તારના ગામોમાં અર્ધ અછત સરકારે જાહેર કરવાનો નિર્ણય કરેલો છે તેની સામે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતુ કે મેં અબડાસા વિધાનસભા વિસ્તાર માંથી ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું ત્યારેજ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને અંગત પત્ર લખીને જણાવ્યું હતુ કે સમગ્ર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ લખપત, અબડાસા અને નખત્રાણા તાલુકામાં પડ્યો છે. માટે તાત્કાલિક આ ત્રણે તાલુકાના તમામ ગામોમાં અછત જાહેર કરવી જોઈએ અને તાત્કાલિક પીવાનું પાણી, માલ ઢોર માટેનું પીવાનું પાણી, પુરતો ધાસચારો, રાહત કામો અને ઢોરવાડા શરૂ કરી દેવા જોઈએ. ચુંટણી કમિશ્નરશ્રીને પણ આ અંગેની જાણ કરવામાં આવી હતી. હવે સરકારે અછત જાહેર કરવાના બદલે અર્ધ અછત અને તે પણ લખપત તાલુકાના ૮૫ અને અબડાસા તાલુકાના ૨૧ જ ગામોમાં જાહેર કરી છે. અર્ધ અછત જાહેર કરેલા ગામોમાં થોડી રાહત જરૂર થશે પરંતુ હકીકતમાં છેલ્લા ત્રણ વર્ષથી આ વિસ્તારમાં અપૂરતો વરસાદ પડ્યો છે અને ગત વર્ષેતો આનાવારીના આંકડા જોઈએ તો પણ અત્યંત ઓછો વરસાદ થયો છે અને માટે આ તમામ ગામોમાં અર્ધ અછત નહી પરંતુ પૂર્ણ રીતે અછત જાહેર કરવી જોઈએ. શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતુ કે મેં આજે ફરી બીજો પત્ર ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને લખીને માંગણી કરી છે કે લખપત, અબડાસા અને નખત્રાણામાં વિસ્તારને પૂર્ણ રીતે અછતગ્રસ્ત જાહેર કરવામાં આવે અને તાત્કાલિક આ વિસ્તારોમાં પુરતું પીવાનું પાણી, ધાસચારો, માલ ઢોર માટેના પાણીની વ્યવસ્થા તેમજ ઢોરવાડા અને રાહતના કામો તાત્કાલિક શરૂ કરવામાં આવે. શ્રી ગોહિલે આશા વ્યક્ત કરી હતી કે સરકાર રાજકીય સમીકરણોને જોયા વગર પોતની જવાબદારીને ધ્યાને લઈને માનવતાની રીતે તાત્કાલિક રાહતની  કામગીરી શરૂ કરશે. આ વિસ્તારમાં અત્યંત મુશ્કેલ ભરી પરિસ્થિતિમાં લોકો અને માલ ઢોર જીવી રહ્યા છે ત્યારે સ્કેરસીટી મેન્યુઅલ મુજબ પણ સરકારની એ જવાબદારી બને છે કે રાહતની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવે અને લોકોને રાહત પૂરી પાડવામાં આવે. જરૂરી લોકોને રોકડ સહાય (કેશ ડોલ્સ) ની ચુકવણી પણ તાત્કાલિક શરૂ કરવી જોઈએ. અછત જાહેર થાય ત્યાર થી વ્યાજ માફી અને મહેસુલી બાકી લેણાંની ઉધરાણી સ્થગિત કરવાની જોગવાઈનો રાજ્ય સરકાર અમલ કરે તે જરૂરી છે.       

         ————————————————————————————

     

  • Press Note Eng Dt. 03/05/2014

    Click here to view/download press note.

    Office of Shaktisinh Gohil

    National Spokesperson, AICC

      

    Press Note                                                                                         03rd May, 2014

     

              National spokesperson of Congress, Shaktisinh Gohil today lashed out against BJP’s prime ministerial candidate and Gujarat Chief Minister Narendra Modi. In a statement, he quoted instances where Modi stifled career of persons whom he used to call friend. Blinded by self interests such people do not know about what the word friend means. Referring to the incident of Haren Pandya, he said that Modi first murdered him politically by making sure that Pandya, a former BJP minister, was denied ticket. He did everything to bring pressure on BJP high command not to give ticket to Haren Pandya. Later, he pointed out, as Pandya’s father alleged Haren was physically eliminated by Modi. Gohil said that Haren Pandya’s father had made these allegations openly, not once but several times. Referring to Modi’s marriage and abandoned wife, Jashodaben, Gohil said that a man who took vow to remain together with his wife till the death deserted her. He never bothered to take care of the wife, but he declared Jashoda as his wife in his nomination this time because otherwise his nomination for road to dream hot seat would have been rejected. What one can expect from such a person in the name of friendship, he asked. Entire Gujarat knows who was mastermind of the incident in which some BJP workers tried to pull dhoti of veteran leader Atmaram Patel. Such a man can never have any friend. He knows only one thing, to use people as stepping stones for his petty selfish goals, Gohil said.

     ———————————————————————————————————————-

      

  • Press Note Guj Dt. 03/05/2014

    Click here to view/download press note.

     

    શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

    રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી

     

    અખબારી યાદી                                                                 તા.૦૩.૦૫.૨૦૧૪

     

                કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે કેટલાક અતિસ્વાર્થમાં અંધ બનેલા લોકોને મિત્રનો અર્થ પણ ખબર નથી હોતી. ગુજરાતના મુખ્યમંત્રી સ્વર્ગસ્થ હરેન પંડ્યાને ૨૦૦૨ પહેલા પોતાના અંગત મિત્ર કહેતા હતા પરંતુ પોતાના રાજકીય સ્વાર્થ ખાતર ૨૦૦૨ની ચુંટણીમાં પોતાના કહેવાતા અંગત મિત્રને ભાજપ ટીકીટ ન જ આપે તેવી જીદ શ્રી મોદીએ કરી હતી. સ્વર્ગસ્થ હરેન પંડ્યાની જગ્યાએ અન્ય કોઈ પણ વ્યક્તિ ઉમેદવારીપત્ર ભરે તે જ પછી હું મારું ઉમેદવારીપત્ર ભરીશ તેમ કહીને ભાજપ હાઈકમાન્ડનું નાક દબાવ્યું હતુ અને આખરે ભાજપ હાઈકમાન્ડ ઝૂક્યું હતુ. સ્વર્ગસ્થ હરેન પંડ્યાની ટીકીટ કાપીને કહેવાતા મિત્રનું પોલીટીકલ મર્ડર શ્રી મોદીએ કરાવ્યું હતુ તે જગ જાહેર છે. ત્યાર બાદ શ્રી પંડ્યાની શારીરિક હત્યા કરવામાં આવી હતી. સ્વર્ગસ્થ હરેન પંડ્યાના પિતાશ્રીએ વારંવાર જણાવ્યું હતુ કે તેમના દીકરાની હત્યા શ્રી નરેન્દ્ર મોદીએ કરાવી છે. આજ દિવસ સુધી સ્વર્ગસ્થ હરેન પંડ્યાની હત્યા કરનારા પકડાયા નથી. જે માણસ હિન્દુ ધર્મની ઉચ્ચતમ પ્રણાલીકા મુજબ અગ્નિની સાક્ષીએ સોગંધ ખાય કે જીવનભર સાથ નહી છોડું અને કોઈ પણ સંજોગોમાં અર્ધાગીની તરીકે સાથે રાખીશ તે પછી ધર્મપત્નીને છોડી દેતા હોય તે માણસને મિત્રની વ્યાખ્યા કરવાનો કોઈ અધિકાર નથી. અગ્નિની સાક્ષીએ સોગંધ ખાધા પછી સોગંધ તોડતા હોય તો તેના પાસેથી વફાદારીની કેમ અપેક્ષા રાખી શકાય?  જો ભૂતકાળ તપાસીએ તો ભાજપના વયોવૃદ્ધ નેતા આત્મારામભાઈ પટેલના જાહેરમાં કપડા ઉતારવા પાછળ કોનું દિમાંગ હતુ તે સમગ્ર ગુજરાત જાણે છે. સંકુચિત સ્વાર્થ માટે નીચી ક્ક્ષાએ જનાર ગુજરાતના મુખ્યમંત્રીના કોઈ મિત્ર ન હોય શકે. તેમનો ઈતિહાસતો એવો છે કે જેમના ખભા ઉપર ઉભા રહીને તે ઉચ્ચે ઉઠે છે તે જ વ્યક્તિના પગ નહી પરંતુ ગળું ગુજરાતના મુખ્યમંત્રી કાપે છે.

         ————————————————————————————