Category: Press Release

  • Press Note Eng 14/09/2015 Khokha Port Yemen

    Press Note Eng 14.09.2015 Khokha Port Yemen

    Office of Shaktisinh Gohil

    National Spokesperson, AICC & MLA, Abdasa

     

     Press Note                                                                                     14th September,2015

               

                Seven seamen from Gujarat have died while many more have been trapped at Khokha port of Yemen. These seamen are from Kutch and Jamnagar district of Gujarat. National spokesperson of Congress and party MLA from Abdasa of Kutch district Shaktisinh Gohil has drawn the attention of Foreign Minister Sushma Swaraj to the plight of these seamen and sought immediate help for their evacuation.

               He said while two ships trapped at the port have been destroyed five other are facing heavy bombarding. Though two ships belong to Dubai staff of the ships was from Gujarat, he pointed out. He said that bodies of three of the seven dead have been found and buried according to information reaching here.        

    IMG-20150914-WA0006

    IMG-20150914-WA0003

     

    IMG-20150914-WA0005

    IMG-20150914-WA0004

     

    He said that those who are injured in shelling must be rescued and provided medical treatment most urgently. Government of India must take immediate steps to bring these seamen to India and help them get justice to those who have been killed.

    IMG-20150914-WA0009

        
    IMG-20150914-WA0008

     

            He said that seamen trapped in Yemen are very poor and government should give relief to their families. He also sought compensation for the two ships destroyed in bombing at Khokha port. Until Yemen govt provides compensation, government of India should offer help to the ship owners.

              Gohil released to media photographs of the damaged ships and injured seamen. Gujarat government should not only bring pressure on government of India but it should also offer financial help to the victims.

    ————————————————————————————————————————

      

  • Press Note Guj 14/09/2015 Al-Khokha Port – Yemen

    Click here to view/download press note.

    શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

    રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

     

    અખબારીયાદી                                                                                     તા.૧૪.૦૯.૨૦૧૫

           યમન ખાતેના અલખોખા પોર્ટ (બંદર) ખાતે તાજેતરમાં ગુજરાતના બે વહાણ (જહાજ)ના ઉપર બોમ્બમારો કરીને તેમને સળગાવી દેવમાં આવ્યા છે. આ જહાજોમાં ગુજરાતના ક્રુ મેમ્બર હતા તે પૈકી ૭ વ્યક્તિઓના મૃત્યુ થયા છે અને તેમાંથી ત્રણ શબ મળતા તેની દફન વિધિ કરવામાં આવી છે. આ જ બંદર પર અન્ય બીજા પાંચ જહાજો હજુ પણ ભયના ઓથાર નીચે અને બોમ્બમારાની વચ્ચે ફસાઈને પડ્યા છે. આ પાંચ જહાજોમાં મોટાભાગના ગુજરાતના કચ્છ જીલ્લાના અને જામનગર જીલ્લાના વિવિધ જ્ઞાતિ અને વિવિધ ધર્મના લોકો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને અબડાસા ના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે કેન્દ્રના વિદેશમંત્રી શ્રીમતી સુષ્મા સ્વરાજને વિનંતી કરી છે કે, યમન ખાતેના અલખોખા પોર્ટ પર જે ગુજરાતીઓ ફ્સાયા છે તેમને તાત્કાલિક બચાવી લેવામાં આવે અને તેમને પુરતી મદદ પહોચાડવામાં આવે. ગંભીર રીતે ઘવાયેલા કેટલાક ગુજરાતી ક્રુ મેમ્બર અત્યંત કરુણ હાલતમાં યમન ખાતે છે તેમને પુરેપુરી સારવાર આપવાની વ્યવસ્થા કરવામાં આવે અને પુરતી સારવાર સાથે દેશમાં પરત લાવવાની વ્યવસ્થા તાત્કાલિક થાય તે જરૂરી છે. ફસાયેલા પાંચ જહાજો પૈકી બે જહાજ દુબઈના છે પરંતુ તેમા પણ ક્રુ મેમ્બર ગુજરાતીઓ જ છે અને માટે ગુજરાતના આ અત્યંત મુશ્કેલીમાં મુકાયેલા લોકોને કેન્દ્ર સરકારે તાત્કાલિક મદદ કરવાની જરૂરીયાત છે.      

    IMG-20150914-WA0006

         

    IMG-20150914-WA0003

     

     

    IMG-20150914-WA0004

    IMG-20150914-WA0005

                   યમન ખાતે ગુજરાતના જે નિર્દોષ વ્યક્તિઓને વિનાકારણે મારી નાખવામાં આવ્યા છે તેઓને પુરતો ન્યાય અપાવવા માટે ભારત સરકાર કાર્યવાહી કરે તે અત્યંત જરૂરી છે. જે ૭૦ જેટલી વ્યક્તિઓ હાલ યમન ખાતે નિ:સહાય  બનીને ખાવાપીવાની પણ તકલીફ સાથે ભયના ઓથાર નીચે છે તેમને આપણા દેશમાં પરત લાવવાની સરકારે વ્યવસ્થા કરવી જોઈએ. શ્રી ગોહિલે એ પણ માંગણી કરી છે કે, જે વ્યક્તિઓના યમન ખાતે મૃત્યુ થયા છે તે સાવ ગરીબ પરિવારમાં થી આવતા ક્રુ મેમ્બરો છે. તેમના જવાથી પરિવારમાં કમાનાર મુખ્ય મોભી જતા રહેલ છે માટે સરકારે તાત્કાલિક રીતે આ મુત્યુ પામેલા પરિવારોને આર્થિક મદદ કરવાની જરૂરિયાત છે. કોઈ પણ કારણ વગર બોમ્બમારાથી ગુજરાતીઓના જે જહાજોને તોડી પાડવામાં આવ્યા છે તે જહાજોનું પુરેપુરુ વળતર યમન સરકાર પાસેથી મેળવવા ભારત સરકારે પૂરતા પ્રયત્નો કરવા જોઈએ અને હાલમાં તાત્કાલિક ભારત સરકારે આ જહાજોની વળતરની રકમ ચૂકવી આપવી જોઈએ.

    IMG-20150914-WA0009

        

    IMG-20150914-WA0008

     

                યમન ખાતે ફસાયેલા ગુજરાતીઓના ફોટોઓ અને તેમજ યમન ખાતે જે જહાજોને સળગાવી નાખવામાં આવ્યા છે તેના ફોટાઓ તથા ગંભીર રીતે દાજી ગયેલા અને યમન ખાતે અત્યંત દયાજનક પરીસ્થિતમાં રહેલા ક્રુ મેમ્બરના ફોટા પ્રેસ અને મીડિયાને શ્રી ગોહિલે આપ્યા હતા.

                ગુજરાત સરકારે પણ તાબડતોબ રીતે ભારત સરકાર પર ગુજરાતીઓને બચાવવા માટે દબાણ કરવા અને મુશ્કેલીમાં મુકાયેલા પરિવારોને ગુજરાત સરકાર પણ આર્થિક રીતે સહાય કરે તેવી માંગણી પણ શ્રી ગોહિલે કરી છે.

    ———————————————————————————————————–

     

  • Press Note Guj Dt: 27/09/2015

    Click here to view/download press note.

    શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

    રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

     

    અખબારી યાદી                                                     તા. ૨૭.૦૯.૨૦૧૫

     

         ગઈ કાલે બનેલી અત્યંત દુઃખદ ઘટના કે જેમાં નવયુવાન ઉમેશ પટેલે કરેલી આત્મહત્યાના સંદર્ભે પ્રતિભાવ આપતા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે માનવ જીવન ખુબ જ મૂલ્યવાન છે. પાટીદાર યુવાનો અને તમામ ગુજરાતીઓને અનુરોધ છે કે આવુ અંતિમ પગલું કોઈ ન  ભરે. ગુજરાત સરકાર પણ અહંકાર ન રાખે પરંતુ ગુજરાતના યુવાનોની મનસ્થિતિ કેમ વિહવળ બની છે તેનો વિચાર કરે. ન્યાયાલયો પણ માને છે કે, મરતા સમયે કોઈ પણ વ્યક્તિ જુઠ્ઠું ન બોલે. ડાઈંગ ડેકલેરેશન (મરતા સમયની નોંધ) ને આખરી ગણવામાં આવે છે. ઉમેશ પટેલે ડાઈંગ ડેકલેરેશન (મુત્યુ સમયનો પત્ર) લખી ને પોતાની આત્મહત્યા માટે કારણો જણાવ્યા છતાં ગુજરાતના મુખ્યમંત્રી કહે છે કે પોલીસ તપાસ કરવામાં આવશે અને પછી જ આત્મહત્યાનું કારણ જાણવા મળશે.

           ગુજરાતમાં ઘણા લાંબા સમયથી સરકારી નોકરીઓમાં ભરતી જ નથી થતી. હાલમાં  થયેલ ભરતીઓમાં ભયંકર ભષ્ટ્રાચાર થયો છે. તલાટીની ફિક્સ પગારની નોકરી માટે તેર લાખ યુવાનોએ ફોર્મ ભરેલા. નોકરી લાયકાતવાળાને મળવાના બદલે પંદર-પંદર લાખ લેનાર ભાજપના દલાલો પકડાયા. GPSC ની ભરતીમાં છબરડાઓ જાહેર થયા. ગુજરાતની હાઈકોર્ટે કહ્યું કે ફિક્સ પગાર એ યુવાનોનું શોષણ છે તેનો પુરતો પગાર આપો છતાં સરકાર ફિક્સ પગાર આપે છે. આઉટ સોર્સિંગના નામે માનીતા માલામાલ થાય છે અને યુવાનોનું દમન થાય છે. શિક્ષણનું વ્યાપારિકરણ થયું છે. આરટીઈનો કાયદો હોવા છતાં શિક્ષણમાં ખુલ્લી લુંટ ચલાવવા માટે કાયદાનો અમલ નથી થતો. ભાજપના વર્ષોથી ચાલતા ગુજરાતના શાસનમાં એક પણ નવી સરકારી કોલેજ શરૂ થયેલ નથી. સેલ્ફ ફાઇનાન્સના નામે શિક્ષણનો ધંધો ચાલે છે. સરકારે તાજેતરમાં જાહેર કરેલ પેકેજ દાઝ્યા પર ડામ જેવું છે. ૯૦ પર્સન્ટાઈલ થી ઉપરના વિદ્યાર્થીઓને તો આમ પણ સરકારી બેઠકો મળે છે. પાઠ્યપુસ્તકો મોટા ભાગના બાળકોને સરકારી શાળામાં કેન્દ્ર સરકારની સર્વ શિક્ષા અભિયાન યોજનામાંથી મળે જ છે. બાર સાયન્સમાં ૯૦ ટકા પર્સન્ટાઈલ ઉપરના માત્ર સાતેક હજાર જ વિદ્યાર્થીઓ છે. તેમાં પણ માસિક ૩૭ હજાર થી ઓછી આવક હોય તેને લાભ મળવાનો હોય તો તે હાસ્યાસ્પદ છે. એન્જીનીયરીંગમાં તો હજારો બેઠક ખાલી છે. ભૂતકાળમાં હીરા ઉદ્યોગના કારીગરો માટે બાર સો કરોડનું પેકેજ જાહેર કરેલું પણ કોઈને એક પણ રૂપિયો નથી મળ્યો. આવા જ પેકેજ વન બંધુ કલ્યાણ, સાગર ખેડુ,અતિવૃષ્ટિના ખેડૂતોના પેકેજ, જીલ્લે-જીલ્લે જાહેર કરેલ પેકેજ, સદભાવના પેકેજ, બટાટાના ખેડૂતો માટે ટ્રાન્સપોર્ટ પેકેજ વગેરે કાગળ પર જ છે. સરકારની આ માનસિકતા યુવાનોમાં હતાશા પેદા કરે છે અને આત્મહત્યા જેવા અંતિમ પગલાં ગુજરાતમાં ભરાય છે.    

    ———————————————————————————–

     

  • Press Note Eng Dt: 30/08/2015 Gujarat Agricultural Lands Ceilings Act

    click here to view/download press note.

    Office of Shaktisinh Gohil

    National Spokesperson, AICC & MLA, Abdasa

      

     Press Note                                                                                          30th August,2015

     

                By Gujarat Agricultural Lands Ceilings Act Gujarat government has made a way to help its favourite businessmen get precious agricultural land usurping the rights of  tribal, members of Baxi Panch communities, dalits and cattle holders, national spokespersons and Congress MLA Shaktisinh Gohil charged.

                To make its plan smooth, he said, Congress members were suspended from the House and the amendment bill was passed. The government has taken advantage of the recent Supreme Court judgment which declared that grassland should be treated as agricultural land. Available land is massive. With an eye on this newly available land the government brought changes in the Gujarat Agricultural Lands Ceilings Act by which this land can be given to industrialists.

                Explaining the objective of the original Act, he said that it was to take away excess land from people and give them to the needy tribal, members of Baxi Panch communities, dalits and cattle holders so that more people have land. Now the land available under the Supreme Court verdict can change lives of lakhs of poor people of tribal, members of Baxi Panch communities, dalits and cattle holders. But the government is interested in its favourite businessmen and industrialists and so it changed the Act. Now this land can be given to industrialists.

                He said that Congress will take the issue before public and expose evil design of the ruling BJP to gift land worth billions to its favourites.

                He said that the Congress brought this law in 1960 to help tribal, members of Baxi Panch communities, dalits and cattle holders. Congress gave this land to lakhs of needy people, but none has been provided land under the Act since last 13 years. BJP favours businessmen only. Since the law did not allow and government got lots of surplus land, it changed the Law to suit its corrupt practices.

    ————————————————————————————————————————

     

  • Press Note Guj Dt: 28/08/2015 CAG Report

    Click here to view/download press note

    શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

    રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

     

    અખબારીયાદી                                                                                                              તા.ર૮-૮-ર૦૧પ

    આજે ગુજરાત વિધાનસભામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના માર્ચ-ર૦૧૪ના વર્ષના ઓડિટના કેગના અહેવાલમાં રજૂ થયો હતો. આ અહેવાલ પર પ્રતિક્રિયા આપતાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને ધારાસભ્યશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ખૂબ જ સારા વિકાસના નામે મોટો ભ્રષ્ટાચાર કરનાર ભારતીય જનતા પક્ષની વાસ્તવિક હકિકત એ છે કે, લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ ઈન્સ્ટીટયુટ (L.S.G.I.) કાર્યરત કરવામાં ભાજપ સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ ગયેલ છે. બંધારણમાં કરાયેલાં સુધારાનો હેતુ સાર્થક કરવામાં ગુજરાતમાં ભાજપની સરકારની નિષ્ફળતાઓ કેગે ઉજાગર કરીને નોંધ્યું હતું કે, બંધારણમાં કરાયેલાં સુધારાનો હેતુ ગુજરાતમાં સાર્થક થયો નથી. કેગ દ્વારા ઓડીટમાં ઉજાગર કરેલાં વર્ષો પૈકીના તમામ વર્ષો હાલના ભારતના વડાપ્રધાનશ્રી અને ગુજરાતના મુખ્યમંત્રી હતા. તે સમયગાળો દર્શાવવામાં આવ્યો છે. ગુજરાતમાં ખરેખર બંધારણીય સધારા પહેલાથી પંચાયતી રાજ મજબૂત હતું તેને નબળું પાડવાનું કામ ભા.જ.પ.ના શાસનમાં થયું છે.

    ૧૩માં નાણાપંચ તરફથી મળેલાં કરોડો રૂપિયાની સહાય વણ વપરાયેલી રહી છે અથવા તો તેમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો છે અને યોજનાનું અમલીકરણ અયોગ્ય રીતે થયું છે. સંકલિત જળસ્ત્રાવ વ્યવસ્થાપન કાર્યક્રમના અમલીકરણમાં ભા.જ.પ.ની સરકારના શાસનમાં જે ગેર વહીવટ થયો છે તે કેગ દ્વારા ઉજાગર કરવામાં આવ્યો છે. ખરેખર ગુજરાતમાં જળસ્ત્રાવ કાર્યક્રમ અત્યંત જરૂરી અને ઉપયોગી હોવા છતાં આ કાર્યક્રમમાં ભારત સરકાર તરફથી રૂા.૭૬૧.૯૦ કરોડ રૂપિયા પ્રાપ્ત થયેલાં તેને યોગ્ય રીતે વાપરવામાં આવ્યા નથી. સન-ર૦૦૯-૧૦માં પ્રાપ્ત  ભંડોળમાંથી માત્ર એક જ ટકા નાણાં વપરાયેલ છે. તેજરીતે સન-ર૦૧૦-૧૧થી ર૦૧ર-૧૩ના વર્ષમાં માત્ર ૯ ટકા થી રર ટકાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જળસ્ત્રાવ બાંધકામના કામોમાં કરોડો રૂપિયાનો જે ખર્ચ થયો છે તેમાં પણ ખૂબ મોટો ભ્રષ્ટાચાર છે. કેગ દ્વારા નોંધવામાં આવ્યું છે કે, જયાં પાણીનું વહેણ જ ન હોય ત્યાં ર૬ જેટલાં ચેકડેમો બનાવીને સાવ નિરર્થક ખર્ચ કરવામાં આવ્યો છે. આમ પાણીની આવક ન હોય તેવી જગ્યાએ ચેકડેમ બનાવીને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. દાહોદ જિલ્લામાં તથા નર્મદા જિલ્લામાં લાખો રૂપિયાની ઉચાપતના કિસ્સાઓ કેગના અહેવાલમાં ઉજાગર કરવામાં આવ્યો છે.

    સ્વર્ણ જયંતી ગ્રામ સ્વરોજગાર યોજના અંતર્ગત ગ્રામ્ય પેદાશોને પ્રમોટ કરવા માટે હાટો બનાવવાનું આયોજન હતું પરંતુ કેગના તપાસમાં ખુલ્યું છે કે, હાટો બનાવવાનું કામ પણ ખોટી રીતે થવાના કારણે બનેલી હાટો બીન ઉપયોગી રહી છે અને રેઇનફોર્સડ સીમેન્ટ કોંક્રિટ સ્લેબ ભરવાની જગ્યાએ ફાઇબર, રેઇનફોર્સડ પ્લાસ્ટીક શીટ્સનો ઉપયોગ કરીને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે.

    ભા.જ.પ.ની સરકારની નિતી આદિવાસી, વિરોધી રહી છે. જેનો સીધો દાખલો કેગના અહેવાલમાં ઉજાગર થયેલો છે. બેકવર્ડ રીજીયન ગ્રાન્ટ ફંડ અંતર્ગત બનાવવામાં આવેલા વર્મી કમ્પોસ્ટ બેડ્સ માટે લાખો રૂપિયાની શંકાસ્પદ અને બનાવટી ચુકવણી થઇ છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જ્યાં ભા.જ.પ.ના શાસનમાં અને રાજ્યમાં પણ ભા.જ.પ.નું શાસન છે ત્યાં કેવા પ્રકારના ભ્રષ્ટાચારો ચાલે છે તેનું ઉદાહરણ ટાંકતા કેગે નોંધ્યું છે કે, ટેન્ડરની શરતો અને સરકારના સ્પષ્ટ નિર્દેશો હોવા છતાં ડામરના બાંધકામમાં વપરાયેલ ડામરના ભાવફેરના નામે કરોડો રૂપિયાની અધિક ચુકવણી કરવામાં આવી છે.

    દેશમાં મોટા સ્માર્ટ સીટી બનાવી દેવાની વાતો કરનાર વડાપ્રધાનશ્રી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતાં ત્યારે નાના અને મધ્યમ કક્ષાના નગરોના સંકલિત વિકાસની યોજના પણ સાર્થક કરી શકયા નથી. નાના અને મધ્યમ કક્ષાના નગરોમાં શોપીંગ કોમ્પલેક્ષના બાંધકામ અને વપરાશ અંગેનું ઓડિટ કરતાં કેગે નોંધ્યું છે કે, ગુજરાતમાં આ યોજનાના ક્ષતિયુક્ત આયોજન અને ક્ષતિયુક્ત અમલીકરણના કારણે મૂળ ઉદ્દેશ જ સિધ્ધ થયો નથી. અનેક જગ્યાએ ક્ષતિયુક્ત આયોજનના કારણે દુકાનો/સ્ટોલ વણ વપરાયેલા નકામા પડી રહયા હોવાના દાખલા કેગ દ્વારા નોંધવામાં આવ્યા છે અને યોજનામાં ફલશ્રુતિ હાંસલ થયેલ નથી તેની ટીકા પણ  કરવામાં આવી છે. એજન્સી દ્વારા ખાતરીબધ્ધ કરાયેલ પાવર જનરેશન પૂરા પાડવાની નિષ્ફળતાને લીધે કરોડોની આવક ગુમાવ્યાનું પણ કેગે નોંધેલું છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શહેરના લાઇટના થાંભલાઓ ઉપર કીઓસ્ક બોર્ડ ફિક્સ કરીને જાહેરાતો પ્રદર્શિત કરવા લેવાયેલ અવિચારી અને શંકાસ્પદ પગલાંને તેમજ ભ્રષ્ટાચારના કારણે લાખો રૂપિયાનું બીન કર આવક ગુમાવવામાં આવી છે જે કેગે નોંધેલું છે.

    ———————————————————————————————————–

  • Press Note Guj Dt: 28/08/2015 Gujarat Agricultural Lands Ceiling _Amendment_Bill, 2015

    Click here to view/download a press note

    શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

    રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

     

    અખબારીયાદી                                                                                                         તા. ૨૮.૦૮.૨૦૧૫

         

          ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના તમામ ધારાસભ્યશ્રીઓને સસ્પેન્ડ કરીને ગુજરાત સરકારે આદિવાસી, દલિત, બક્ષીપંચ અને પશુપાલકોના અધિકારની જમીનો જરૂરિયાતમંદના પાસેથી ખુંચવીને માનીતા ઉદ્યોગપતિઓને આપી દેવા માટેનું વિધેયક પસાર કર્યું છે. કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા અને ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદાનો કાયદો ૧૯૬૦માં ગુજરાતમાં લાવવામાં આવ્યો હતો. આ કાયદાનો મુખ્ય હેતુ એ હતો કે જેમના પાસે ખૂબ વધારે જમીનો છે તેમની પાસેથી ચોક્કસ મર્યાદા ઉપરાંતની જમીનો સરકાર પાસે લઈ લેવી અને જરૂરિયાતમંદ દલિત, આદિવાસી, પશુપાલક, બક્ષીપંચના લોકો અને ખેત મજદૂરોને આપવી. હાલમાં સુપ્રીમકોર્ટના જજમેન્ટ પછી વિડીઓની અબજો રૂપિયાની જમીનો આ કાયદા નીચે ફાજલ થઇને સરકારને પ્રાપ્ત થવાની છે. આ જમીનો દલિત, આદિવાસી, બક્ષીપંચ અને પશુપાલકોને જો ગુજરાતમાં મળેતો આ જરૂરિયાતમંદ વર્ગની કાયા પલટ થઇ જાય. ગુજરાત સરકારની ભ્રષ્ટ અને લાલચુ નજર આ જરૂરિયાતમંદ લોકોની જમીન પર પડી અને તેથી વિધાનસભામાં ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા સુધારા વિધેયક લાવવામાં આવ્યું. આ સુધારાથી મુખ્ય કાયદાનો આખો હેતુ જ મરી જાય છે. જરૂરિયાતમંદને મળવાપાત્ર જમીન ઉદ્યોગપતિઓ ને આપી શકાય તેવો સુધારો લાવીને ફાજલ થઇ રહેલી અબજો રૂપિયાની જમીન ભષ્ટ્રાચાર કરીને ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવશે. વિધાનસભા ગૃહમાંથી કોંગ્રેસ પક્ષને બહાર ફેકી દઈને જે કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે તેના વિરુદ્ધમાં લોકોની વચ્ચે જઈને ભાજપ સરકારની દલિત, આદિવાસી, બક્ષીપંચ અને પશુપાલકો વિરુધ્ધની નીતિ અને સરકારના ષડયંત્રને ઉજાગર કરશે.

          ૧૯૬૦ના વર્ષમાં ખેતી જમીન ટોચ મર્યાદા કાયદો અમલમાં આવ્યા પછી ફાજલ થયેલી જમીનો કોંગ્રસના શાસનમાં અનેક દલિત, આદિવાસી, બક્ષીપંચ અને પશુપાલક વ્યક્તિઓને તેમજ તેઓની મંડળીઓને આપવામાં આવી હતી. આવી જમીનો પ્રાપ્ત થયા બાદ લોકોને ખુબજ ફાયદો થયો હતો. ગુજરાતમાં વિડીઓની (ઘાંસ ઉગતી જમીનો) ટોચ મર્યાદામાં ગણવી કે કેમ તેના કોર્ટ કેસ ચાલતા હતા તાજેતરમાં સુપ્રીમકોર્ટે આવી જમીનો ખેતીની જમીન ગણવી અને ટોચ મર્યાદા નીચે આવરી લેવા હુકમ કર્યો છે અને તેથી ગુજરાતમાં અબજો રૂપિયાની જમીન સરકાર પાસે પ્રાપ્ત થશે જુના કાયદા મુજબ આ જમીનો દલિત, આદિવાસી, બક્ષીપંચ અને પશુપાલકોને જ આપી શકાય પરંતુ ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ્રાચારી નીતિ ઉદ્યોગપતિઓને આપી ને પૈસા ઘર ભેગા કરવાની છે જે ને ૧૯૬૦નો કાયદો મંજુરી આપતો ન હતો તે થી ખેત જમીન ટોચ મર્યાદા કાયદામાં સુધારો લાવીને ઉદ્યોગપતિઓ ને આપવાનું ષડયંત્ર થયેલ છે. ગુજરાતમાં ભૂતકાળમાં ૧૯૬૦ન જુના કાયદા નીચે અનેક દલિત, આદિવાસી, બક્ષીપંચ અને પશુપાલકોને જમીનો અપાઈ હતી પરંતુ છેલ્લા ૧૩ વર્ષથી શ્રી મોદીનું શાસન આવ્યા બાદ દલિત, આદિવાસી, બક્ષીપંચ અને પશુપાલકોને ૧૯૬૦ના જમીન ટોચ મર્યાદાના કાયદા નીચે જમીન આપવામાં આવી નથી. અને હવે સરકાર પાસે ઉપલબ્ધ અબજો રૂપિયાની જમીન માનીતા ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવશે આ કૃત્યએ ગરીબ વિરોદ્ધી કૃત્ય છે અને કોંગ્રસ તેની લોકોની વચ્ચે જઈ સમજ આપી લોક વિરોધ ઉભો કરાવશે.

        _________________________________________________________ 

  • Press Note Eng Dt: 04/08/2015 on Suspension

    Click here to view/download press note.

    Office of Shaktisinh Gohil

    National Spokesperson, AICC & MLA, Abdasa

     

      Press Note                                                                      04th August,2015

     

              What happened in Parliament yesterday was unprecedented event in the history of India – it was an effort to tarnish the country’s Parliamentary tradition. The ruling party has the primary responsibility to see to it that Parliament functions normally by holding constructive dialogue with the opposition. In the past, when the Bharatiya Janata Party was in the opposition, for days together Parliament would not be allowed to function normally, yet the speaker would never suspend anyone. Yesterday’s order by the speaker to suspend 25 members of Parliament from the Lok Sabha took the entire country by surprise.

              What happened in the Lok Sabha actually reflects the mindset of Prime Minister Narendra Modi during his chief ministership in Gujarat, when he sought to establish a similar unparliamentary practice. In the Lok Sabha, Modi only replicated a Gujarat model which he had propped up through undemocratic ways.

              Between 2002 and 2013, as chief minister of Gujarat, there was not one budget session of the state assembly when he did not suspend opposition MLAs.  Earlier, there weren’t any such instances of suspending opposition MLAs with such frequency. During the Congress rule, a senior BJP MLA crossed the floor, snatched a document which chief minister Amarsinh Chaudhury was reading, tore it to pieces, and threw it on him. Yet, this MLA was not suspended for long, nor was any punishment proposed against him. Breaking this high parliamentary tradition, Modi would use his brute majority in Gujarat to suspend the entire opposition several times over during assembly budget sessions. Despite the existence of the speaker’s chair, it was clear from his behariour as to who was pulling the strings.

              On March 2, 2012, as Leader of Opposition of the Congress legislative party, when I sought to place before the House certain details of how Modi uses corrupt ways to favour certain selected industrialists, the treasury benches created a furor and made a plea to suspend me. My behaviour was fully in line with best parliamentary traditions, nor did I indulge in sloganeering or rush in well, hence the speaker was not ready to suspend me. At this point, Modi – acting through a proposal by minister, seconded by another minister – ensured my unlawful suspension for the entire budget session.  According to Gujarat state assembly rules, first the speaker should name an “unruly” MLA, and even after this he refuses to keep quiet, he should be asked to go out. Only after this if he refuses to obey can a proposal be brought in against the MLA to for suspension. Despite this clearcut provision in the rules, Modi went against the law, and he suspended the opposition leader. It seems clear that Modi wants to repeat his unplarliamentary ways in the national Parliament.

              In the past, raking up a large number of issues — including the telecommunications scandal in which Sukhram was an accused, or the 2G scam, or Railway Minister Bansal, against whom where were no proof and was totally innocent – the BJP, when in opposition, would not allow Parliament to function normally for days together.  This type of behaviour was justified by Arun Jaitley, who said that it was a “tactic of the parliamentary practice”. Now that the BJP is in power, why adopt a totally different stance?

              We are witnessing yet another Gujarat model here: The BJP, when in opposition, would hinder Parliamentary work till the resignation of a certain minister, against whom there was no proof, was solicited. But now, when it is in power, it is refusing to seek the resignation of its chief ministers against whom there is clear enough evidence. A Gujarat minister, who was found guilty by a lower court of stealing crores of rupees worth of minerals, was allowed by Modi to continue in the council of ministers, even though he was a convict and a criminal. Modi also allowed another minister to remain in his council of ministers, though he was a TADA detainee under section 302, and also involved in several other criminal offences. Modi and moral have been irreconcilable entities in Gujarat – this is the Gujarat model he wishes to implant on India. The speaker’s job is not to teach opposition a lesson, but to manage and regulate the ruling party. In Gujarat, Modi always tried to work out ways so that the speaker violated parliamentary practice. It seems Modi wants to repeat this model in the country’s parliament, too.   

              It hasn’t ever happened that the ruling party indulges in sloganeering and the opposition members are now allowed to speak.  Yet, in Gujarat, after Modi became chief minister, when several senior MLAs were speaking on tribal issues, he instigated certain ruling party MLAs to indulge in sloganeering, so that they could not speak in the assembly.  This is another Gujarat Modi, which one may witness in the country’s Parliament, too.

              Under Modi’s rule in Gujarat, the state assembly met for the least number of days compared to previous years, yet Congress MLAs were suspended frequently. Data of 10 years under Modi rule show that as many as 259 MLAs were suspended from the state assembly.

              If the country’s people and concerned citizens do not wake up to the despicable event in Parliament, Modi wouldn’t hesitate to further strangle the democratic traditions of the country. 

     

    ————————————————————————————————————–

     

     

  • Press Note Guj Dt: 04/08/2015 on Suspension

    Click here to view/download press note.

    શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

    રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

    અખબારીયાદી                                                              તા. ૦૪.૦૮.૨૦૧૫

         

              આપણા દેશના ઈતિહાસમાં ક્યારે પણ ન બની હોય તેવી સંસદીય પ્રણાલિકાઓને કલંકિત કરતી ઘટના ગઈ કાલે લોકસભામાં બની. સંસદમાં વિરોધપક્ષ સાથે સંવાદ પ્રસ્થાપિત કરીને સંસદ સુચારોરૂપમાં ચાલે તે જોવાની જવાબદારી સત્તાધારી પક્ષના શિરે વિશેષ હોય છે. ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટી વિરોધ પક્ષમાં હતી ત્યારે દિવસોના દિવસો સુધી સંસદની કાર્યવાહી ખોરવી નાખવામાં આવતી હતી પરંતુ કોઈ પણ સાંસદને સ્પીકર દ્વ્રારા સસ્પેન્ડ કરવામાં આવ્યા ન હતા. ગઈકાલે કોંગ્રેસના ૨૫ સંસદ સભ્યોને સસ્પેન્ડ કરવાનો સ્પીકરનો હુકમ દેશમાં સૌને નવાઈ પમાડી દેનાર હતો. પરંતુ હક્કિતમાં આ જ મોદીની માનસિકતા છે, અને ગુજરાતમાં જ્યારે તેઓ મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે આવીજ અસંસદીય પ્રણાલિકાઓ પ્રસ્થાપિત કરી હતી. મોદી એ બિનલોકશાહી રીતે ઉભા  કરેલા ગુજરાત મોડલનું પ્રતિબીંબ ગઈ કાલે લોકસભામાં જોવા મળ્યું હતું.

            ૨૦૦૨ થી ૨૦૧૩ સુધીનો ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો મોદીનો કાર્યકાળ જોઈએ તો એક પણ બજેટ સત્ર ગુજરાતમાં એવું ન હતુ કે જેમાં મોદીએ વિરોધપક્ષ ને સસ્પેન્ડ ન કર્યો હોય. ભૂતકાળમાં ગુજરાતમાં કોઈ પણ સત્તા પર હોય પરંતુ વિરોધપક્ષને બિનલોકશાહી રીતે ક્યારેય વારંવાર સસ્પેન્ડ કર્યા હોય તેવું બન્યું જ ન હતું. કોંગ્રેસના સાશનમાં  ભારતીય જનતા પાર્ટીના એક સિનીયર ધારાસભ્યે ફોર ક્રોસ કરીને મુખ્યમંત્રીશ્રી અમરસિંહ ચૌધરી જે નિવેદન વાંચતા હતા તે ઝુંટવી લઈ ને તેના ટુકડા કરી મુખ્યમંત્રીના મોઢા પર માર્યા હતા તેમ છતા ભાજપના એ ધારાસભ્યને લાંબાગાળા માટે સસ્પેન્ડ કરવાના કે કોઈ શિક્ષાત્મક પગલા ગુજરાતમાં લીધા ન હતા. આ ઉચ્ચ પ્રણાલિકાઓને તોડીને શ્રી મોદીએ ગુજરાતમાં બહુમતીના જોરે સમગ્ર બજેટ સત્રમાં સમગ્ર વિરધપક્ષને સસ્પેન્ડ કરવાનું પાપ વારંવાર કર્યું હતું. ગુજરાતમાં અધ્યક્ષની ખુરશીને પણ પોતે દોરી સંચાર કરતા હોય તેવો સ્પષ્ટ અહેસાસ થાય તેવું વર્તન કરતા હતા.

            તા. ૨ માર્ચ,૨૦૧૨ ના રોજ (કોંગ્રસ વિધાનસભા પક્ષના નેતા) વિરોધપક્ષના નેતા તરીકે મેં વિધાનસભામાં RTI દ્વ્રારા પ્રાપ્ત થયેલા પુરાવાઓ સાથે ગુજરાતના મુખ્યમંત્રી મોદી કેવો ભ્રષ્ટ્રાચાર કરીને માનીતા ઉદ્યોગપતિઓ ને લાભ આપે છે તેની વિગતો રજુ કરવાની શરુઆત કરી ત્યારે સત્તાધારી પક્ષે હોબાળો મચાવીને મને સસ્પેન્ડ કરવાની માંગણી કરી હતી. વિરોધપક્ષના નેતા તરીકે મારું વર્તન સંપુર્ણ સંસદીય હતુ અને કોઈ અસંસદીય શબ્દો કે સૂત્રચારો કે વેલમાં જવાની કોઈ ઘટના બની ન હતી માટે સ્પીકર વિરોધપક્ષના નેતાને સસ્પેન્ડ કરી શકવા તૈયાર ન થયા ત્યારે મોદી એ પોતાના એક મંત્રી મારફતે પ્રસ્તાવ રજુ કરાવી બીજા મંત્રી પાસે ટેકો મેળવી અને મને વિરોધપક્ષના નેતા તરીકે સમગ્ર  બજેટ સત્ર માટે સસ્પેન્ડ કરવાનું ગેરકાયદેસર કુત્ય કર્યું હતું. ગુજરાત વિધાનસભાના નિયમો મુજબ સ્પીકર ધારાસભ્યને નેમ કરે અને તેમ છતાં ધારાસભ્ય શાંત ન થાય તો તેને બહાર જવાનું કહે અને જો તે બહાર ન જાય તો સ્પીકર કહે તે પછી ધારાસભ્યને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ લાવી શકાય છે. આ સ્પષ્ટ નિયમની જોગવાઈ હોવા છતાં  મોદીએ કાયદા થી વિરુધ્ધ વિરોધપક્ષના નેતા તરીકે મને સસ્પેન્ડ કર્યો હતો. દેશની સંસદમાં પણ ગુજરાતમાં કરેલું અસંસદીય વર્તન શ્રી મોદી કરવા માંગતા હોય તેવું સ્પષ્ટ દેખાય છે.

            ભૂતકાળમાં ટેલીફોન કૌભાંડના આક્ષેપો માટે શ્રી સુખરામ સામે હોય કે ૨ જી સ્કેમની બાબત હોય કે પછી જેમના સામે કોઈ પણ પુરાવો  ન હતો તેવા નિર્દોષ રેલ્વે મંત્રી શ્રી બંસલના સામે આક્ષેપો હોય તેને લઈ ને ભારતીય જનતા પાર્ટી વિરોધમાં હતી ત્યારે દિવસોના દિવસો સુધી સંસદ ચાલવા દીધી ન હતી. આ પ્રકારની ભાજપની સંસદ ખોરવવાની ચેષ્ટા ને શ્રી અરુણ જેટલીએ એમ કહ્યું હતું કે પાર્લામેન્ટ નહી ચાલવા દેવી એ પણ પાર્લામેન્ટ્રી પ્રેકટીસની એક ટેકટીક છે અને વિરોધપક્ષનો આ અધિકાર છે આજે સત્તામાં આવ્યા પછી આના થી સદંતર વિપરીત ધોરણો રાખવાના? ભૂતકાળમાં એમ કહેવાનું જેના સામે આક્ષેપ છે તે રાજીનામું ન આપે ત્યાં સુધી ચર્ચા નહી જ થાય અને હવે સ્પષ્ટ પુરાવાઓ હોવા છતા ભાજપના મંત્રી અને મુખ્યમંત્રીઓના રાજીનામાં નહી લેવાનો ભાજપનો નિર્ણય પણ મોદીનું ગુજરાત મોડલ છે. ગુજરાતમાં કરોડો રૂપિયાની ખનીજ ચોરીમાં જેમને નીચેની કોર્ટે સજા કરી દીધી છતાં એક કન્વીટેડ ક્રિમીનલ  મિનિસ્ટરને મોદીએ ગુજરાતના મંત્રી મંડળમાં ચાલુ રાખ્યા હતા. એક ટાડા ડીટેઈનઅને ૩૦૨ ના તોહમતદાર તથા અનેક ગુનાહોમાં સંડોવાયેલા ધારાસભ્યને પણ પોતાના મંત્રી મંડળમાં ચાલુ રાખ્યા હતા. મોદી અને મોરલ ક્યારે સાથે ચાલ્યા જ નથી અને તેજ તેમનું ગુજરાત મોડેલ છે  જેને તેઓ દેશમાં લાગુ કરવા જઈ રહ્યા છે. સ્પીકરનું કામ વિરોધપક્ષને સબક શીખવાડવાનું નથી પરંતુ સત્તાધારી પક્ષને અંકુશમાં રાખવાનું વધારે છે. સ્પીકર સંસદીય પ્રણાલિકાઓ તોડીને ચાલે તે માટે ગુજરાતમાં હંમેશા મોદીએ પ્રયત્ન કર્યા હતા. અને આજ મોડલ કદાચ દેશની સંસદમાં લાગુ કરવા જઈ રહ્યા છે.

            સત્તાધારી પક્ષ સૂત્રોચ્ચાર  કરીને વિરોધપક્ષના સભ્યોને ન બોલવાદે તેવું ક્યારે બનતું નથી પરંતુ ગુજરાતમાં મોદી મુખ્યમંત્રી થયા પછી આદિવાસીઓના પ્રશ્ને સિનીયર ધારાસભ્ય પોતાની વાત કરતા હતા ત્યારે સત્તાધારી પક્ષના સભ્ય પાસે સૂત્રોચ્ચાર  કરાવીને તેમને મોદીએ બોલવા દીધા ન હતા. આ પણ એક મોદી મોડેલ છે જે કદાચ દેશની સંસદમાં જોવા મળશે.

            ગુજરાતમાં મોદીના શાસનકાળમાં દસ વર્ષમાં સૌથી ઓછા દિવસો વિધાનસભા મળી હતી અને તેમાં વારંવાર કોંગ્રસના ધારાસભ્યશ્રીઓને ગૃહ માંથી  સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં. માત્ર દસ વર્ષમાં વિરોધપક્ષના ૨૫૯ ધારાસભ્યોને ગુજરાત વિધાનસભા માંથી જુદા જુદા ઠરાવો થી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

            દેશની સંસદમાં બનેલી આ કલંકિત ઘટનાને દેશની જનતા અને જાગૃત નાગરિકો નહી ઉઠાવેતો આવતા દિવસોમાં લોકશાહીની ઉચ્ચતમ પરંપરાઓનું ગળુ દબાવી દેવાનું કૃત્ય કરતા પણ મોદી અચકાશે નહી.

    ————————————————————————————————-

     

  • Press Note Guj. Dt-01/08/2015

    Click here to view/download press note

    શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

    રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

     

    અખબારી યાદી                                                                                                 તા. ૦૧.૦૮.૨૦૧૫      

              ગુજરાતમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છ જીલ્લામાં અતિવૃષ્ટિ થી ન કલ્પિ શક્ય તેવું નુકશાન થયું છે. અનેક પશુઓના મુત્યુ થયા છે જે મુત્યદેહોને હજુ સુધી યોગ્ય નિકાલ કરવામાં આવ્યો નથી. જે ના કારણે ભયંકર રોગચાળો ફાટી નીકળવાની શક્યતાઓ છે. ઉત્તર ગુજરાત અને કચ્છ ના કેટલાંક ગામો હજુ પણ વાહનવ્યવહાર થઈ શકે તેવા રસ્તાઓ થી પુન: સ્થાપિત કરી શકાયા નથી. કેટલાંક વિસ્તારોમાં હજુ પણ અવિરત વીજળી મળી શકતી નથી અને શુદ્ધ પીવાનું પાણી પણ મળતુ નથી. ખેડૂતોની જમીનમાં ન કલ્પિ શકાય તેવું નુકશાન થયું છે તેમને યોગ્ય વળતર માટેની કોઈ વ્યવસ્થા થયેલી નથી. આ કુદરતી આફતના સમયે સમગ્ર તંત્રએ લોકોની સહાય માટે અડીખમ ઉભા રહેવું જોઈએ તેના બદલે ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાત સરકારે સમગ્ર તંત્રને આ સમયે પણ પોતાની પ્રસિદ્ધિ માટે રોકી રાખવાનો પ્રયત્ન કર્યો છે તે આઘાતજનક છે. કોંગ્રસના રાષ્ટ્રીય પ્રવક્તા અને અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે માંગણી કરી છે કે, તાત્કાલિક અસર થી પ્રસિદ્ધિઓ માટેના લોકાર્પણો અને વન મહોત્સવ  જેવા ઉત્સવોના કાર્યક્રમો રદ કરીને કુદરતી આફતથી મુશ્કેલીમાં મુકાયેલા લોકોની મદદ અને  પુનઃ સ્થાપન માટે સરકારી તંત્ર અને સરકારે યુદ્ધના ધોરણે કામ શરૂ કરવું જોઈએ.

     —————————————————————————————–

     

  • Press Note Guj 30.07.2015

    Click here to view/download press note.

    શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

    રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

     

    અખબારી યાદી                                            તા. ૩૦.૦૭.૨૦૧૫

     

           કચ્છ અને ઉત્તર ગુજરાતમાં અતિવૃષ્ટિના કારણે ન કલ્પિ શકાય તેટલી તારાજી થઈ છે. રાજ્ય સરકારે બચાવ, રાહત અને પુનઃસ્થાપન માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવાની આવશ્યકતા છે. કચ્છ જીલ્લામાં છેલ્લા ૧૮ વર્ષમાં ન પડ્યો હોય તેવો અતિભારે વરસાદ પડ્યો છે. સરકારે વહેલી આગોતરી જાણ હવામાન ખાતાની આગાહીઓને ધ્યાને લઈ ને જો કરી હોત તો હજારો પશુઓ મુત્યુ પામ્યા તેને પશુપાલકો સલામત સ્થળે ખસેડીને બચાવી શક્યા હોત. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, કુદરતી આફતના સમયે રાજકારણ કરવા માંગતો નથી પરંતુ લોકોને પડી રહેલી કેટલીક મુશ્કેલીઓ અંગે એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે સરકારનું ધ્યાન દોરીને તંત્ર જાગૃત બની કામગીરી કરે તે માટે અનુરોધ છે. કોંગ્રેસ પક્ષ રાજ્ય સરકારને જો કોઈ જગ્યાએ કાર્યકર્તાઓની ફોજથી પણ મદદરૂપ થવાની જરૂર પડે તો ત્યાં કુદરતી આફતના સમયે પક્ષ મદદરૂપ બનશે.

            કચ્છ જીલ્લાના બન્ની વિસ્તારમાં પશુપાલકોના હજારો પશુઓના મુત્યુ થયા છે આ ઉપરાંત લખપત તાલુકો, નાની બન્ની, અંજાર અને અન્ય કચ્છના વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લામાં ખુબ મોટા પાયે અતિવૃષ્ટિના કારણે તારાજી થયેલી છે. અનેક ગામો છેલ્લા ત્રણ-ચાર દિવસથી વીજળીથી વંચિત બન્યા છે. ભુતકાળમાં કુદરતી આફતના સમયે સરકારની જાગૃતિના કારણે વીજળી અને પાણી પુરવઠા તેમજ અવર-જવર થઈ શકે તેવા રસ્તાઓ ગુજરાતનું સરકારીતંત્ર તાત્કાલિક બનાવતું હતું. પ્રવતમાન અતિવૃષ્ટિ પછી જે રીતે યુદ્ધના ધોરણે કામગીરી થવી જોઈએ તે નથી થઈ. 

            કચ્છ જીલ્લાના લખપત તાલુકાના ઝૂલરાય તથા આજુ બાજુના ગામો, ગુનેરી તેમજ તેની આજુ-બાજુના ગામો, પીપર તેમજ તેની આજુબાજુના ગામો અને નારાયણ સરોવર કોટેશ્વરની આજુબાજુના સાત ગામો, રોડાસર, મેરડી, વજીરાવાંઢ તેમજ અબડાસા તાલુકાના કેટલાક ગામો કોઈ પણ વાહન ન જઈ શકે તેવી પરીસ્થિતમાં છે. ઘણા બધા ગામોમાં પીવાનું પાણી અને વિદ્યુત જોડાણ પુનઃસ્થાપિત થઈ શક્યું નથી. મુત્યુ પામેલા પશુઓના શબોને તાત્કાલિક યોગ્ય રીતે નિકાલ કરવો જોઈએ જે કામગીરી ખુબજ મંદ રીતે ચાલી રહી છે. કચ્છ જીલ્લાના બન્ની વિસ્તાર અને આજુબાજુમાં જ દસ હાજર કરતા વધારે પશુઓના મુત્યુ થયા છે. જો આ શબોને યોગ્ય રીતે તાત્કાલિક નિકાલ નહી કરવામાં આવેતો ભયંકર રોગચાળો ફાટી નીકળવાનો ભય રહેલો છે.

             સરકારની અસંવેદનશીલતા અને અણધડ  વહીવટનો મોટો નમુનો એ છે કે, કચ્છ જીલ્લામાં અછતનો ભોગ બનેલા વિસ્તારોમાં વરસાદ પડતાની સાથે જ ઘાસનું વિતરણ, ઢોરવાડાની સબસીડી અને રાહતની કામગીરી તાત્કાલિક બંધ કરી દેવામાં આવી છે. વરસાદ પડે અને તુરતજ ઘાસ ઉગી નીકળતું નથી પરંતુ ઘાસને ઉગતા ઓછામાં ઓછા પંદર દિવસનો સમય લાગે છે. શ્રી ગોહિલે માંગણી કરી છે કે, અછતગ્રસ્ત વિસ્તારોમાં વરસાદ પડ્યો હોવા છતાં ક્મસેકમ પંદર થી વીસ દિવસ સુધી ઘાસનું વિતરણ અને ઢોરવાડા શરૂ રાખવાના સરકારે તાત્કાલિક આદેશો કરવા જોઈએ.

            કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઇલેક્ટ્રિકના અનેક થાંભલાઓ પડી ગયા છે અને વીજ પુરવઠો ખોરવાયેલો છે. આ વીજ પુરવઠો પુન:સ્થાપિત થાય તે માટે સરકારે યુદ્ધના ધોરણે કામગીરી કરવી જોઈએ. બનાસકાંઠા જીલ્લાના સુઈગામ, થરાદ તેમજ રાધનપુર તાલુકાના  ગામડી (ગોખાતર), રામપુરા (કોરડા), વાદળીતર, ગરસરી, બિસ્મીલાગંજ, અબીતાણા, પેદાશપુરા, આગિચાણા, લુંણીતાણા, ઇયુંન્ડી, આંતરનેશ, રાણીસર, વાઘપુરા, પરસુંડા, નલિયા, તમાલપુર, રાજુસરા ઉપરાંત સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના અનેક ગામોમાં હજુ પણ બચાવ, રાહત અને પાણી તથા વીજળીની કામગીરી સરકાર કરી શકી નથી. માત્ર જીલ્લાના થોડાક ભાગોમાં વિડીયોગ્રાફી કરીને કે મુલાકાતો લઈને સરકારે સંતોષ લેવાના બદલે ખરેખર ગ્રામીણ વિસ્તાર અને શહેરના સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં પુરતી વ્યવસ્થા કરવી જોઈએ.

            પશુપાલકોને મુત્યુ પામેલા પશુઓની સામે તાત્કાલિક સહાય આપવી જોઈએ અને ખેડૂતોની જમીનમાં ન કલ્પિ શકાય તેવું નુકશાન થયું છે ત્યારે સરકારે ખેડૂતોને બે હેક્ટરની મર્યાદામાં મર્યાદિત સહાયના બદલે ખરેખર જમીન નવસાધ્ય થઈ શકે તે માટે કોઈ હેક્ટરોની મર્યાદા ન રાખ્યા વગર પૂરેપૂરું વળતર અને સહાય તાત્કાલિક ચુકવવા જોઈએ.       

            કચ્છ જીલ્લામાં કલેકટરશ્રી અને જીલ્લાના તંત્રએ મર્યાદિત સાધનો વચ્ચે પણ પ્રશંસનીય કામગીરી કરી છે તે અભિનંદનને પાત્ર છે.

       ——————————————————————————————

     

  • Press Note Guj 17.07.2015- Ashadhi Bij

    Click here to view/download press note

    શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

    રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

     

    અખબારી યાદી                                                  તા. ૧૭.૦૭.૨૦૧૫

     

          કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે પ્રવિત્ર અષાઢી બીજ અને કચ્છી માડુઓના નવા વર્ષ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. કચ્છની ધરતી અને મેઘરાજા વચ્ચેના સબંધોએ મહામુલ્ય છે. શ્રી ગોહિલે જણાવ્યું હતુ કે ઈશ્વરને પ્રાથના કરીએ કે અષાઢી બીજના પ્રવિત્ર દિવસે કચ્છની ધરતી પર મેઘરાજાના અમીછાંટણા થાય અને દુષ્કાળની પરિસ્થિતિનો સામનો કરી રહેલા વિસ્તારોમાં વરસાદના આગમનથી ઘાસ અને પાણીની મુશ્કેલીઓ દુર થાય. આગામી વર્ષ ખેડૂતો અને પશુપાલકો તેમજ કચ્છી માડુઓ માટે સુખ, શાંતિ અને સમૃધ્ધિથી ભરપૂર બની રહે. અષાઢી બીજનું મહત્વ કચ્છી કહેવત “અષાઢી બીજ વંડર કા વીજ” પર થી જ સમજી શકાય છે. અષાઢ મહિનામાં મેઘરાજાના આગમનથી કચ્છની ધરતી સ્વર્ગ સમાન બની જતી હોય છે આ વર્ષે પણ ભરપૂર વરસાદ કચ્છની ધરતી પર આવે અને કચ્છની ધરતી હરિયાળી બને તેવી પ્રભુને પ્રાથના.   

     

    મીઠો અસાંજો કચ્છ,

    મીઠા અસંજા માંડું,

    મીઠી અસાન્જી ગાલીયું,

    અને મીઠી અસાન્જી પ્રીત ,


    હેપી અષાઢી બીજ મડીકે નયે વરેજી વધાયું!!!

     

    ——————————————————————————————

     

  • Letter to CM DT:- 09/07/2015

    Click here to view/download press note.

    એક ખાનગી કંપનીના કાર્યક્રમમાં કચ્છ આવી રહેલા મુખ્યમંત્રીશ્રી આનંદીબેન પટેલને ખુલ્લો પત્ર લખીને અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતુ કે, ગુજરાત રાજ્યની ભૂતકાળની ઉત્તમ પરંપરા હતી કે મુખ્યમંત્રીશ્રી કોઈ પણ જીલ્લાના પ્રવાસે જતા ત્યારે જીલ્લાના ધારાસભ્યશ્રીઓને આગોતરી જાણ કરીને જીલ્લાના પ્રશ્નો માટે ધારાસભ્યશ્રીઓ સાથે મીટીંગ રાખવામાં આવતી હતી. ભાજપનું શાસન આવ્યા બાદ છેલ્લા થોડા વર્ષોથી આ પરંપરાનું અનુસરણ થતુ નથી માટે કચ્છના કેટલાક પ્રશ્નો ખુલ્લા પત્રથી આપના ધ્યાને મુકુ છું.

    (૧)  નર્મદાનું ૧ મીલીયન એકર ફીટ વધારાનું પાણી કચ્છ જિલ્લાને આપવાનું છે. મને સરકારી તંત્ર દ્રારા આપવામાં આવેલી અધિકૃત માહતી મુજબ આ કામના છેલ્લા અંદાજો બન્યા છે તે મુજબ ૫૧૮૭ કરોડ રૂપિયાનો ખર્ચ છે. આ કામ માટે આપની પક્ષની સરકાર કે જે છેલ્લા ૨૨ વર્ષથી શાસનમાં છે તે બજેટમાં ૧૫% રકમ ફાળવતી નથી. સરકારના નિયમો મુજબ ૧૫% રકમ ન ફળવાય ત્યાં સુધી વહીવટી મંજુરી જ ન મળે જેથી કામ શરૂ જ ન થાય. આમ કચ્છને ૧ મીલીયન એકર ફીટ વધારાનું નર્મદાનું પાણી આપવાનું કામ એક ઇંચ પણ થયેલ નથી. કચ્છ જિલ્લાને નર્મદાના પાણીનો સાચો લાભ તો જ મળે કે જો આ કામ પુર્ણ થાય. માટે આગામી વર્ષે આ કામ માટે બજેટમાં ૭૫૦ કરોડ કરતા વધારે રકમ ફાળવવા વિનંતી છે.

    (૨)   કચ્છ જીલ્લાના લખપત, અબડાસા, નાની બન્ની, મોટી બન્ની જેવા વિસ્તારો સતત દુષ્કાળનો ભોગ બને છે. આ વિસ્તારોના ઘાંસ ડેપો ઉપર પુરતું ઘાંસ નથી ખાસ કરીને વાયોર તથા ફુલાય ડેપો પર સતત તકલીફ રહે છે. તો આ અંગે વ્યવસ્થા થવા વિનંતી છે.

    (૩)  કચ્છ જીલ્લો પશુધન આધરિત જીલ્લો છે માટે ચાર કે પાંચ પશુઓની મર્યાદામાં ઘાંસના કાર્ડ આપવાના બદલે જેટલા પશુ તેટલા કાર્ડ મળવા જોઈએ.

    (૪)  સમગ્ર ગુજરાતને બાવળ કાપીને કોલસો પાડવાની છુટ છે તો પછી કચ્છી માડુઓ માટે જ આપે  મુકેલ પ્રતિબંધ તાત્કાલિક દુર કરવો જોઈએ.

    (૫)  કચ્છમાં આવેલી કંપનીઓ કચ્છના સ્થાનિકને રોજીરોટી આપતી નથી માટે સરકારે સ્પષ્ટ નીતિ  બનાવી તેનો અમલ કરવો જોઈએ.

    (૬)  કચ્છ જીલ્લમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષકોની, આરોગ્ય કેન્દ્રો માં ડોકટરોની, પશુ દવાખાનાઓમાં ડોકટરોની તથા સરકારી તંત્રમાં પુષ્કળ જગ્યાઓ ખાલી છે. કચ્છ માટે અલાયદી વ્યવસ્થાના ભાગ રૂપે કચ્છી ભાષા બોલતા ઉમેદવારોને ૧૦% વધારે માર્કસ આપી સરકારી નોકરીઓમાં ભરતી કરવી જોઈએ.

    (૭)   દરિયાકાંઠાના હવામાનના કારણે PGVCL ની વીજ લાઈનોને ક્ષાર લાગે છે  તેનું મેઈન્ટેનન્સ બરાબર  ન થતું હોવાથી વીજ પુરવઠો વારંવાર ખોરવાય છે માટે વીજ વાયરોનું મેઈન્ટેનન્સ રેગ્યુલર કરવું જોઈએ.

    (૮)  સાંઠગાંઠ ધરાવતા મોટા માથાઓના વાહનો છડે ચોક ઓવરલોડ ચાલે છે તેના સામે કોઈ પગલા  લેવાતા નથી એન નાના ટ્રાન્સપોર્ટરોને પરેશાન કરવામાં આવે છે. ટોલટેક્ષના નામે કચ્છી જનતાને લુંટવામાં આવે છે. રસ્તા બરાબર ણ હોવા છતા લેવાતો ટોલટેક્ષ બંધ થવો જોઈએ.

    (૯)  કચ્છમાં દલિત,બક્ષીપંચ તથા જમીન વિહોણા લોકોને ભૂતકાળમાં સાંથણીની જમીનો અપાયેલ છે આ જમીનો માટે ભરવાની થતી નજીવી રકમ અજ્ઞાનતાના કારણે જે ગરીબ લોકો ભરી નથી શક્યા તેમની જમીન ખાલસા કરવામાં આવે છે તેના બદલે સરકારે વિલંબ માફ કરીને રકમ સ્વિકારી જમીનો તેમના નામે કરવી જોઈએ.

    (૧૦) જે વિસ્તારમાં ખનીજ નીકળે છે તે જ વિસ્તારના લોકોને નોકરી અને કોન્ટ્રેકટના નાના નાના કામોમાં પ્રાધાન્ય આપવું જોઈએ.

    (૧૧) કોઠારા વિસ્તારના ખેડૂતોને તેમના વીજ કનેક્શન માત્ર PGVCL દ્રારા પેન્થર વાયરો નહી નખાવવાથી વીજ કનેક્શન લાંબા સમયથી નથી મળતા તો તંત્રની નબળાઈના કારણે ખેડૂતોને મુશ્કેલી ન પડવી જોઈએ.

    (૧૨) ચુંટણી સમયે નારાયણ સરોવર ખાતે નર્મદાનું પાણી સરોવરમાં બારે માસ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી હતી પરંતુ ત્યાર બાદ આ પાણી નારાયણ સરોવર પહોંચ્યુ નથી.

    (૧૩) હિંદુ અને મુસ્લિમ ધર્મના અનેક પુરાતન સ્થળો કચ્છમાં આવેલ છે તેમની જાળવણી અને વિકાસ માટે કંઈ થતુ નથી. તો ખાસ જોગવાઈ કરીને આ કામો થવા જોઈએ.

    (૧૪) કચ્છમાં ફોસીલપાર્ક માટે ખાસ સહાય આપવી જોઈએ.

    (૧૫) પાકિસ્તાનથી આવીને વસેલા પરિવારોના ગામો રેવન્યુ ગામો તરીકે જાહેર  કરવા જોઈએ.

    (૧૬) કચ્છના લોકોના પરિવારિક સબંધો પાકિસ્તાનમાં છે તો તેમને વહેવારિક પ્રસંગો એ જવા આવવા માટે વિસા તથા નાગરિકતાના પ્રશ્નો ઉકેલવા તંત્ર મદદરૂપ બને તેવી ગોઠવણ કરવી જોઈએ.

            મુખ્યમંત્રીશ્રી ખાનગી કંપનીઓ કે અંગત વ્યક્તિઓના માટે જ કચ્છમાં આવે અને સાથે સાથે થોડા સરકારી કાર્યક્રમ કે જેમાં ભાજપનો મેળાવડો હોય તેવા યોજે તેના બદલે કચ્છની જનતાના પ્રશ્નો માટે આવે અને તેને ઉકેલે તે જરૂરી છે. સરકારી કાર્યક્રમોમાં ભૂતકાળમાં હંમેશા ચૂંટાયેલા ધારાસભ્યોને પક્ષાપક્ષીથી ઉપર રહીને માનસન્માન અપાતું હતું. ધારાસભ્યશ્રીઓ ને સરકારી કાર્યક્રમોમાં પ્રજાની વાત મુખ્યમંત્રીશ્રીની હાજરીમાં કહેવાની તક મળતી હતી. આશા છે કે આ ઉચ્ચ પરંપરા મુખ્યમંત્રીશ્રી આનંદીબેન પુનઃ શરૂ કરે.

    —————————————————————————————-

  • Press Note Guj Dt:04/07/2015 on Essar Power

    Click here to view/download press note.

     

    શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

    રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

     

    અખબારી યાદી                                              તા.૦૪.૦૭.૨૦૧૫

     

           દેવભૂમિ દ્રારકા જીલ્લાના ખેડૂતોની જમીન પડાવી લેવા માટે એસ્સાર કંપનીના ઈશારે સરકારી તંત્રનો આતંક. સુપ્રીમકોર્ટના નિર્ણયો, જમીન સંપાદનના કાયદાની જોગવાઇઓ તથા માનવતાના તમામ ધોરણો નેવે મુકીને રાત્રીના સમયે હથીયારધારી પોલીસ તથા સરકારી અધિકારીઓના કાફલા સાથે એસ્સાર કંપની માટે ખેડૂતોની જમીન પડાવી લેવા  સરકારી તંત્ર દ્રારા રાત્રીના સમયે ત્રાસ ગુજારેલ છે.

           ખંભાળિયા તાલુકામાં એસ્સાર કંપની (ESSAR POWER GUJARAT LIMITED) એ ૧૭,૬૯,૯૮૬ ચોરસ મીટર જમીન કોરિડોર બનાવવા જરૂરી છે તેવી રજૂઆત કરી હતી. આ જમીનમાં ગૌચરની જમીનની પણ માંગણી હતી. સરકારી તંત્રની સાથે અગાઉથી જ સાંઠગાંઠ કરીને ખેડૂતોની જે જમીન સંપાદન કરવાની હતી તેની જંત્રીના ભાવ સાવ નજીવા રાખવામાં આવ્યા હતા. આ સંપાદનની કાર્યવાહી દરમ્યાન જમીન સંપાદનનો નવો કાયદો ધી રાઈટ ટુ ફેર કમ્પનસેશન એન્ડ  ટ્રાન્સપરેન્સી ઇન લેન્ડ એક્વિઝીશન એક્ટ-૨૦૧૩ અમલમાં હતો છતા કાયદાની જોગવાઈનું પુરૂ પાલન કર્યા વગર એવોર્ડ જાહેર થતા ખેડૂતોએ એવોર્ડનો વિરોધ કરેલ આમ જમીન સંપાદનની કાર્યવાહી નવા કાયદા મુજબ પૂર્ણ થયેલ ન હતી અને જમીનના કબજા ખેડૂતો પાસે હતા. આમ છતા પોલીસના મોટા ધાડાઓ, સરકારી અધિકારીઓ અને એસ્સાર કંપનીના માણસો રાત્રીના સમયે ખંભાળિયા તાલુકાના મોટા માંઢા, પરોડીયા તથા આજુબાજુના ગામોમાં ત્રાટક્યા હતા. જેસીબી અને અન્ય મોટી મશીનરીથી બળજબરી પૂર્વક કબજાઓ લેવાનો પ્રયત્ન થયેલા બનાવના ફોટાઓ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે પ્રેસ અને મીડિયાને રજુ કરીને જણાવ્યું હતું કે ચૂંટણી જીતવા માટે મોટા ધનપતિઓ પાસેથી કરોડો રૂપિયા BJP એ લીધા છે માટે કંપનીઓના ઈશારે BJP સરકાર ખેડૂતો ઉપર આંતક ચલાવે છે અને સરકાર જ કાયદાનો ભંગ કરે છે.

           એસ્સાર કંપનીએ તેના કન્વેયન્ટ બેલ્ટનો કોરીડોર બનાવવા માટે અગાઉ ગુજરાત સરકારમાં મોજે મોટા માંઢા ગામ તાલુકો ખંભાળિયા જીલ્લો જામનગરની ગૌચર જમીનનો વધુ ક્ષેત્રફળ ધરાવતી જમીનની માંગણી કરેલ. પરંતુ નામદાર સુપ્રીમકોર્ટ ના હુકમ મુજબ ગૌચરની જમીન કોઈ પણ સંજોગોમાં ઉદ્યોગ તેમજ બીજા કોઈ પણ વાણીજ્ય હેતુ માટે ન  આપવી તે મુજબનો ગુજરાત સરકારને હુકમ કરેલ. આ સંજોગોમાં ગુજરાત સરકારના મહેસુલ વિભાગે એસ્સાર કંપનીની ગૌચરની જમીનની માંગણીની અરજી નામંજૂર કરેલ. આમ છતા પાછળથી એવી મંજુરી આપી કે એસ્સાર કંપનીને જેટલુ ગૌચર અપાશે તેટલુ ગૌચર એસ્સાર કંપની જમીન ખરીદી અને બનાવીને ગામને આપશે. આ શરત છતા કંપનીએ કોઈ ગૌચર માટે નવી  જમીન ખરીદી ગૌચર ગામને સુપ્રત કર્યા વગર ગૌચરની જમીન પડાવી લીધી છે. ગૌ ભક્ત હોવાનો દાવો કરનાર ભાજપ સરકાર ગાયના મોઢા માંથી ગૌચર પણ પડાવીને પોતાના માનીતા ઉદ્યોગપતિઓને આપે છે તેનું ઉદાહરણ છે.

           આ ગૌચર જમીનની આજુબાજુ ખેતીલાયક ફળદ્રુપ જમીન કંપનીએ જમીન સંપાદન ધારો ૧૮૯૪ના કાયદા હેઠળ સંપાદન સરકાર પાસે કરાવી છે. અને જમીનના મૂળ માલિકોની કબજો આપવા માટેની અસંમતિ હોવા છતાં કલેકટરશ્રી, પ્રાંત ઓફિસર અને જીલ્લા પોલીસ અધિક્ષકે પોલીસ બળનો ઉપયોગ કરી મધ્ય રાત્રીએ દમનકારી નીતિ અપનાવી ખેડૂતોને ધાક-ધમકી, માર મારી જમીન ઉપરથી હાંકી કાઢેલ છે. આ બાબતે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ખેડૂતોએ આ સંપાદન બાબતે અરજી કરેલ છે અને મળતી માહિતી મુજબ નામદાર હાઈકોર્ટે અરજીની સુનાવણી કરી અને બળજબરીથી, ધાકધમકી થી જે કબજો લઈ લીધો છે તેના ઉપર મનાઈ હુકમ ફરમાવેલ છે અને ગુજરાત સરકાર તેમજ કલેક્ટરશ્રી દેવભૂમિ દ્રારકાને જવાબ આપવા હુકમ કરેલ છે. જમીન સંપાદનની નવા નિયમ મુજબ જો ખેડૂત અસંમત હોય તો ધાક-ધમકી કે બળજબરીથી કબજો લઈ શકાતો નથી. આ કાયદો સંપાદન થયેલી જમીનોને પણ લાગુ પડે છે. સદર કેસમાં સરકારના ઈશારે કલેકટરશ્રી અને જીલ્લા પોલીસ અધિક્ષક કંપનીની શેહ-શરમમાં આવી કાર્ય કરી રહ્યા છે.

           એસ્સાર કંપનીએ હકીકતમાં જે ગૌચરની તથા ખેતીલાયક ફળદ્રુપ જમીન આ કોરીડોર માટે ઉપયોગ કરવાની છે તેનું ક્ષેત્રફળ તેમની માંગણી કરતા વધુ છે પરંતુ ઉપર જણાવ્યા મુજબ ફક્ત થાંભલાઓના ફાઉન્ડેશનની જમીનની ગણતરી કરી અને ગૌચરની જમીનનું ક્ષેત્રફળ ઓછું બતાવી સરકાર પાસે છેતરપિંડી કરેલ છે. આ કોરીડોર કોલસાના પરિવહન માટે કરવાનો હોવાથી કોલસાની રજકણો આજુબાજુની જમીનોમાં પણ પ્રદુષણ ફેલાવશે અને જરૂરિયાત કરતા જમીન થી વધારે બીજી ખેતીલાયક ફળદ્રુપ જમીનને પણ નુકસાન અને બિનખેતીલાયક કોલસાના પ્રદુષણથી થશે. આમ કોરિડોર આવવાથી જીલ્લાના ખેડૂતો પાયમાલ થઈ જશે તેમ સ્પષ્ટ સાબિત થાય છે. આ તમામ પ્રક્રિયાઓમાં શંકાસ્પદ અને રહસ્યમય પદ્ધતિથી કૌભાંડ આચરવામાં આવેલ હોય તેવું લાગી રહેલ છે.

           કોંગ્રેસ Pપક્ષની માંગણી છે કે,  

    (૧) એસ્સાર કંપનીના ઇશારે રાત્રીના સમયે ખેડૂતોની જમીન પડાવવા માટે કરેલુ કુત્ય સુપ્રિમ કોર્ટના કેસ સિવિલ અપીલ ૮૭૭/૨૦૧૪ ના તા. ૨૪.૧.૨૦૧૪ ના ચુકાદા તથા નવા જમીન સંપાદન કાયદાથી વિરુદ્ધ હોય તમામ અધિકારીઓ સામે પગલા ભરવામાં આવે.

    (૨)  ગૌચરની જે જમીન એસ્સાર કંપનીએ લઈ લીધેલ છે તે પરત કરવામાં આવે.

    (૩)  ખેડૂતોની જમીન તેમની ઈચ્છા વિરુદ્ધ ન લેવામાં આવે.

    (૪) એસ્સાર કંપનીને જમીન આપવા માટે થયેલ સમગ્ર પ્રક્રિયા અને આ જમીન પડાવી લેવા તંત્ર દ્રારા જે પ્રયત્ન થયો છે તે એક ષડયંત્ર છે માટે CBI મારફત તપાસ થવી જોઈએ.

    (૫) જે ખેડૂતોને હાઈકોર્ટમાં જઈ સ્ટે મેળવવા પડ્યા છે તેમને સરકાર એસ્સાર કંપની પાસેથી કોર્ટ ખર્ચ વળતર પેટે અપાવે.

           પ્રેસ કોન્ફરન્સમાં જામનગર અને દ્રારકાના ધારાસભ્યશ્રીઓ શ્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા, શ્રી મેરામણભાઈ આહીર  તથા શ્રી રાધવજીભાઈ પટેલ ઉપસ્થિતિ રહ્યા હતા.

    —————————————————————————————-

    Photos Essar1 004 Photos Essar1 001 Photos Essar1 002 Photos Essar1 003 Photos Essar1 005 Photos Essar1 006 Photos Essar1 007

     

     

    Photos Essar1

  • Press Note Eng Dt:04/07/2015 on Essar Power

    Click here to view/download press note.

    Office of Shaktisinh Gohil

    National Spokesperson, AICC & MLA, Abdasa

      

      Press Note                                                                      04th July, 2015

     

           BJP government is using brute force to help Essar Power Gujarat Limited to take possessions of farmers’ land in Devbhoomi Dwarka district flouting all norms of Land Acquisition Act and Supreme Court orders.

            Demanding immediate action against officers who have colluded with the company in this nefarious activity, national spokesperson of Congress Shaktisinh Gohil said that the BJP was giving return gift to big industrialists from whom it has collected crores of rupees in the name of election fund. He released photographs of police in action against farmers to take possession of land for Essar.

            Giving details, he said that the company had sought 17,69,986 Sq mt land for building a corridor. The land included Gochar land also. The company managed very low Jantri rate for farmers’ land through government officers. However, while the process was on, new Land Acquisition Act provisions came into force. Ignoring The Right to Fare Compensation and Transparency in Land Acquisition Act 2013, the award was announced. This was being opposed by farmers.  Thus the process was incomplete as per the new law.

            To forcibly take possession from farmers, in a mid night operation officers of  Essar alongd with armed police  and JCBs swooped down on mota maanda, parodia and other nearby villages of Khambalia taluka. BJP govt is acting on suggestions of industrialists and acting against law, he said.

            He further pointed out that Essar wanted land which was gauchar land and as per SC guidelines it could not be given. However, govt obliged the company by accepting a proposal of the company that it would buy equal area for gauchar land in return to the required gauchar land. But it did not fulfill the proposed condition. However, it wanted possession of gauchar land of mota maanda village. BJP which claims itself a party of cow worshippers is taking away the gauchar land for industrialists.

    Fertile land around this gauchar land was forcibly took away from farmers under the LA Act 1984. This has gone to High Court and it is learnt that the Court has ordered a stay on the government action on the ground that the land cannot be acquired without consent of concerned farmer. In this case Collector and DSP acted in favour of company.

            He said that the Essar has sought more land than required to build corridor to transport coal. By showing less area of gauchar land, the company has acted fraudulently. This extra land will bring coal pollution to greater area. This will ruin farmers it is very obvious.

    Congress demnds

    1. Action should be taken against all the officers who worked against order of Supreme Court in civil suit 877/2014 dated 24.1.2014 for grabing land of farmers during night at the instance of Essar.

    2. Return the gauchar land which Essar has taken

    3. Farmers land should not be taken without their consent.

    4. CBI inquiry should be ordered in the way the administration has tried to grab the land and give it to Essar.

    5. The government should ask Essar to pay the expenses to those farmers who have moved court to obtain stay.

            MLAs from Jamnagar and  Dwarka  Dharmendrasinh (Hakuba) Jadeja , Merambhai Ahir and  Raghavjibhai Patel were present in the press conference.

    ————————————————————————————————————–

     Photos Essar1 006

    Photos Essar1 004

     

    Photos Essar1 005

    Photos Essar1 002 Photos Essar1 001 Photos Essar1 Photos Essar1 003 Photos Essar1 007

  • Press Note Hindi Dt: 01/06/2015 One year of Modi sarkar

    Click here to view/download press note.

    शक्तिसिंहजी गोहिल का कार्यालय,

    राष्ट्रीय प्रवक्ता, ऐ.आई.सी.सी., और विधायक, अबडासा

     

    प्रेस नोट                                                               ०१ जून,२०१५

     

    • मोदी सरकार का पूर्ण होनेवाला एक साल देश के विकास को अवरुद्ध करनेवाला वित्तीय अनुशासनहीनता से भरपूर और कुशासनवाला
    • मेक इन इंडिया की बात करनेवाले के एक साल के शासन में मेन्युफेक्चरिंग गुड्स और सर्विसीस के निर्यात में कमी
    • GVA के विकास दर में कृषि आधारित वस्तुओं का विकास मोदी शासन में 3.7 प्रतिशत से घटकर मात्र 1.1 प्रतिशत हो गया
    • मोदी शासन में राजस्व घाटा बढ़कर 5.32 लाख करोड़ हो गया
    • मोदी शासन में व्यापार, होटल, रेस्टोरेंट, ट्रान्सपोर्ट और कम्युनिकेशन का GVA का विकास 12.4 प्रतिशत से घटकर 8.4 प्रतिशत हो गया
    • मोदी सरकार का शासन नहीं होता तो पेट्रोल-डीजल काफी सस्ता होता
    • मोदी शासन में जेम्स एंड ज्वैलरी का निर्यात घट गया
    • 2013-14 में डॉ. मनमोहनसिंगजी के शासनकाल में डॉलर का औसत मूल्य रु. 60.50 था जो मोदी शासन में बढ़कर रु. 63.79 हो गया
    • मोदी सरकार ने कोयले पर सेस रु. 50 प्रति टन से दोगुनी कर रु. 100 प्रति टन की, जिससे बिजली महंगी होगी
    • सालों से डीजल पर रु. 3.45 और पेट्रोल पर रु. 9.20 प्रति लीटर उत्पाद शुल्क था जो मोदी सरकार के एक साल में पेट्रोल पर रु. 18 कर दिया गया।

    कांग्रेस के राष्ट्रीय प्रवक्ता शक्तिसिंह गोहिल ने कहा है कि मोदी सरकार के एक साल के वित्तीय हिसाब और प्रशासन की परिस्थिति देखे तो देशवासियों के लिए यह वित्तीय वर्ष देश की प्रगति को अवरुद्ध करनेवाला कुशासनवाला रहा।

    चुनाव के समय मेक इन इंडिया, किसानों को उनकी मेहनत के पूरे दाम, युवाओं को रोजगारी, हर देशवासी के खाते मे रु. 15 लाख आएंगे, महिलाओं और देशवासियों की सुरक्षा, आतंकवाद का खात्मा, पड़ोसियों को सुधार दूंगा… अच्छे दिन आएंगे जैसे अनेक वादे करने वाली मोदी सरकार के एक वर्ष का हिसाब देखें तो परिस्थिति एकदम विपरित है।

    गंगा परियोजना

    उन्होने कहा कि गंगा के नाम राजनीति करने वाले मोदीजी ने गंगा के लिए इस एक वर्ष में कुछ भी नहीं किया ।प्रधानमंत्री ने दावा किया था कि वे गंगा को एक वर्ष में साफ कर देंगें। उमा भारती जिन्हें गंगा के लिए बनाया गया मंत्रालय सौंपा गया है उनका कहना है कि इस काम में तीन वर्ष लगेंगें। सुप्रीम कोर्ट ने सरकार के कार्य को देखते हुए टिप्पणी की थी  सरकार यदि इस तरह कार्य करेगी तो 200 वर्षों में भी काम पुरा नही होगा। अब सरकार ने सुप्रीम कोर्ट में शपथ पत्र पर यह दावा किया है कि वह यह कार्य 2018 तक में पूरा कर देगी।यह है प्रधान मंत्री का उनके चुनावी क्षेत्र की परियोजना की घोषणा का हाल।

    मोदी के एक वर्ष के कार्यकाल ने यह सिद्ध कर दिया है कि मोदी सरकार आम आदमी की नही किंतु उनके धनी मित्रों के ही हैं।यही उन्होने गुजरात में किया और वह अब राष्ट्रीय स्तर पर गुजरात मॉडल के नाम पर कर रहे हैं। लोगों की बेरोजगारी दूर करने का वादा करने वाले मोदीजी केवल एक ही काम कर रहे हैं। वे उनके धनिक भारतीय मित्रों को और धनिक बना रहे हैं और विदेशों में घूम घूम अन्य धनिकों को भी भारत लूटो योजना में जोड़ रहे हैं।

    कहां हैं रोजगार?

    भाजपा का वादा था कि वह अगले 10 वर्षों में  25 करोड़ रोजगारी के अवसर पैदा करेगी अर्थात एक वर्ष में  2.5  करोड़। पर लेबर ब्यूरो के आंकड़े देखें तो  2014 की अंतिम तिमाही में केवल 1.17 लाख नौकरियां उपलब्ध कराई गईं। UPA के शासनमें ईससे ज्यादा नौकरिया उपलब्ध होती थी। आप कैसे अपना 25 करोड़ रोजगारी का लक्ष्य पूरा करेंगें?

    भारत के पहले अप्रवासी प्रधानमंत्री

    मोदीजी के एक वर्ष की अनेक उपलब्धियां हैं। सर्व प्रथम तो यह की उन्होने अनगिनित घोषणाए की हैं और विदेश यात्राओं का भी रिकार्ड बनाया है- 17 देशों की यात्राएं, विदेशी धरती पर 51दिन भारत के पहले अप्रवासी प्रधानमंत्री।

    मोदीजी की सबसे बड़ी उपलब्धियों मे यह भी है कि उन्होने कांग्रेस को गालियां बकते हुए कांग्रेस की योजनाओं को चालू रखा जिसमे से अधिकतर को अपनी मौलिक योजना का सिक्का मार।यू पी ए सरकार के नेशनल स्किल डेवेलोपमेन्ट मिशन को मोदीजी ने अपने स्किल इन्डिया के नाम से पेश किया। मनरेगा इसका एक अन्य उदाहरण है। इसे क्या कहेंगें मोदी भारत के पहले घोषणा मंत्री या फिर रीपकेजिंग मंत्री!!

     सब क्षेत्रों में विकास दर घटा

    देश में मेन्युफेक्चर गुड्स और सर्विस पर्सन्ट ऑफ जीडीपी की दृष्टि से देखें तो वर्ष 2013-14 में 8 प्रतिशत से अधिक निर्यात होता है परंतु अब मोदी सरकार के कुशासन के कारण 2014-15 में यह घटकर 7.5 प्रतिशत हो गया।

    कृषि और कृषि आधारित वस्तुओं तथा फिशिंग में ग्रोथ इन ग्रोस वेल्यु एडेड (G.V.A.) कोन्सटन्ट वर्ष 2011-12 की मूल्य पर्सन्ट की दृष्टि से वर्ष 2013-14 में 3.7 प्रतिशत विकास था। इस दर में वृद्धि के बदले कमी आई है और वर्ष 2014-15 में यह घटकर मात्र 1.1 प्रतिशत हो गया है। इसी तरह ट्रेड, होटल, रेस्टोरेंट, ट्रांसपोर्ट और कम्युनिकेशन में 2013-14 में वृद्धि 11.4 प्रतिशत थी जो मोदी सरकार के आने के बाद वर्ष 2014-15 में मात्र 8.4 प्रतिशत रह गई है। (उपरोक्त आंकडे सेन्ट्रल स्टेटेस्टीक ऑफिस (C.S.O.) द्वारा प्रकाशित 30.1.2015 और 7.2.2015 पर आधारित है।)

    किसी भी सरकार की कोशिश वित्तीय घाटा कम करने की होनी चाहिए। सुशासन और वित्तीय अनुशासन जरूरी है। कमनसीबी से मोदी सरकार के एक वर्ष के प्रशासन में देश का राजस्व घाटा रु. 5.32 लाख करोड़ हो गया है। (यह आंकड़ा (C.G.A.) द्वारा जारी किया गया है) यह वित्तीय घाटा 100.2 प्रतिशत (B.E.) की तुलना में है। इतना बड़ा राजस्व घाटा कभी नहीं रहा है। कांग्रेस शासन के पिछले पांच वर्ष में यह औसत 77.7 प्रतिशत मात्र ही था।इससे मोदी शासन की वित्तीय अनुशासनहीनता उजागर होती है।

    मेक इन इंडिया केवल एक जुमला

    मेक इन इंडिया का केवल सूत्र दिया गया परंतु देश के उत्पादित वस्तुओं के निर्यात के लिए सरकार की ओर से कोई ठोस कार्य नहीं हुए जिससे कृषि और उस पर आधारित उत्पादों के निर्यात में कमी आई है। जेम्स एंड ज्वैलरी का बड़े पैमाने पर निर्यात होता था, परंतु मोदी सरकार के वित्तीय वर्ष में यह कम हुआ है। (उपरोक्त तथ्य ए एस आई और सी एस ओ के आधारभूत आंकड़ों पर से हैं)

    यूपीए सरकार के सुशासन और देश के विकास के लिए निर्यात को प्रोत्साहित करने के लिए उठाए गए कदमों के कारण निर्यात बढ़ा था। वर्ष 2004-05 में मात्र 195.1 बिलियन अमरीकी डॉलर का निर्यात होता था जो बढ़कर 2013-14 में 764.6 बिलियन डालर हुआ था। वर्ष 2004-05 में जीडीपी में निर्यात का हिस्सा मात्र 29 प्रतिशत था जो यूपीए शासन में 2014-15 में बढ़कर 41.84 प्रतिशत हो गया था।

    चुनावों के दौरान मोदी डॉलर का मूल्य बढ़ने को लेकर डॉ. मनमोहन सिंह को जिम्मेदार ठहरा मजाक उड़ाते थे।  हकीकत में वर्ष 2013-14 में एक डॉलर का वार्षिक औसत रु. 60.50 था जबकि मोदी सरकार के इस वित्तीय वर्ष में जनवरी 2015 में अमरीकी डॉलर का मूल्य रु. 63.79 हो गया है। डॉलर का मूल्य बढ़ने के लिए प्रधानमंत्री को असफल बताने वाले मोदी स्वयं लगाए गए आरोपों की आत्मखोज करें।

     सस्ते तेल का कोई लाभ आम आदमी को नहीं

    वैश्विक बाजार में कच्चे क्रूड की कीमत में उल्लेखनीय कमी हुई है। कई देशों ने इसका लाभ उसके देशवासियों को दिया है, परंतु दुर्भाग्य से मोदी सरकार की इस कदम का लाभ देशवासियों को नही दिया और एक्साइज ड्यूटी बढ़ाकर देशवासियों के साथ अन्याय किया है। सालों से डीजल पर रु. 3.45 और पेट्रोल पर रु. 9.20 प्रति लीटर एक्साइज ड्यूटी थी। मोदी सरकार के एक साल में पेट्रोल पर एक्साइज बढ़ा रु. 18 कर दी गई। जबकि डीजल पर एक्साइज ड्यूटी रु. 12.65 कर दी। यदि मोदी सरकार नहीं होती तो देशवासियों को पेट्रोल रु. 12 प्रति लीटर और डीजल रु. 9 प्रति लीटर सस्ता मिलता।

    मोदी सरकार ने कोयले पर सेस भी दोगुना कर दिया है। रु. 50 प्रति टन से बढ़ाकर सीधे ही रु. 100 प्रति टन कर दिया है। इसका सीधा असर देश की जनता पर पड़ेगा। कोयले पर सेस बढ़ने से बिजली के उत्पादन खर्च में वृद्धि होगी और स्वाभाविक है कि बिजली महंगी होगी। मोदी सरकार की इस वृद्धि से देशवासियों पर रु. 17,000 करोड़ का बोझा बढ़ गया है।

    देश में महिलाओं की सुरक्षा, कानून व्यवस्था बनाए रखना और सुशासन मात्र जुमले बन गए हैं। देश में बलात्कार, खून और विविध धार्मिक स्थलों पर हमले की घटनाएं भी बढ़ रही हैं। केन्द्र सरकार के कुशासन और चुनावी वादों की ओर से लोगों का ध्यान अन्य दिशा में आकर्षित करने के लिए प्रधानमंत्री और दल की विचारधारा से जुड़े लोग धार्मिक भावनाएं उत्तेजित करने वाले धार्मिक विवाद पैदा कर रहे हैं।

    बेमन मन की बात

    प्रधानमंत्री ने मन बिना मन की बात के शब्दों से मात्र सजावट और राजनीतिक भाषण  किए हैं। किसानों के लिए कोई भी ठोस सहायता के शब्द केन्द्र सरकार या प्रधानमंत्री की ओर से आए नहीं हैं। किसानों की जमीन हथियाने के लिए प्रधानमंत्री जो जमीन अधिगृहण का कानून लाए हैं, वह काले कानून समान है।

    _________________________________________________________________________

    ——————————————————————————————————————————