Press Note Guj. Dt: 21.02.2017 સાવરકુંડલા લઠ્ઠાકાંડ
શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય
રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા
અખબારી યાદી તા. ૨૧.૦૨.૨૦૧૭
સાવરકુંડલા ખાતે લઠ્ઠાકાંડ થતા ભરતભાઈ વલકુભાઈ ખુમાણનું આજે સવારે ૧૧:૦૦ કલાકે મૃત્યુ નીપજેલ છે. અને બીજા લોકો હોસ્પિટલમાં દાખલ થયેલ છે. ગુજરાતની ભાજપ સરકારની ભ્રષ્ટ્રાચારી નીતિના કારણે દારૂ અને લઠ્ઠાનું બેફામ વેચાણ ગુજરાતમાં થાય છે. ખુલ્લેઆમ વેચાતો આ દારૂ મંત્રી થી લઈને સંત્રી સુધીનાના આશીર્વાદ સિવાય શક્ય નથી. સાવરકુંડલા ખાતે બનેલા લઠ્ઠાકાંડને છુપાવવા ગુજરાતની ભાજપ સરકાર પ્રયત્નશીલ હોવાનો અહેવાલ પણ સ્થાનિક લોકોએ આપેલ છે. ગુન્હેગારોને તાત્કાલિક પકડવા અને અસરગ્રસ્તોને સારવાર તથા સહાયની શક્તિસિંહ ગોહિલે માંગણી કરેલ છે.
—————————————————————————————————–
Click Here to view and download the Press Note