Close

February 17, 2017

Press Note Guj 17.02.2017 નલિયા દુષ્કર્મ મામલે વિરોધ યાત્રા

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

અખબારીયાદી                                                                        તા. ૧૭.૦૨.૨૦૧૭

        કચ્છ જીલ્લાની સંસ્ક્રુતિ ખુબજ ઉમદા પ્રકારની અને ગૌરવ પૂર્ણ રહી છે. વીર અબડા અડભંગજીએ સુમરીદાદીઓના રક્ષણ માટે શહાદત વોરી અને આજે પણ એ ગૌરવવંતો ઈતિહાસ મોજુદ છે. કચ્છનો ગૌરવશાળી ઈતિહાસ કલંકિત થાય તે રીતે ભાજપના નેતાઓએ નલિયામાં એક દીકરી પર અત્યાચાર કરેલો છે. સમગ્ર કચ્છમાં આજે પણ સ્ત્રી સન્માનની ખૂબ ઉમદા પરંપરા કચ્છી માડુંમાં રહેલી છે. કચ્છની આ ઉમદા પરંપરાને ભાજપના કેટલાક નેતાઓએ કલંકિત કરી છે ત્યારે ભાજપના નેતાઓનું શરમ થી માથું ઝૂકી જવું જોઈએ તેના બદલે પોતાના પક્ષના નેતાઓના કરતૂતથી કચ્છ બદનામ થયું છે અને કચ્છની દીકરીના ન્યાય માટે કોઈ વાત કરે ત્યારે તેનો વિરોધ કરીને પોતાની હલકી  માનસિકતા દર્શાવે છે.

        કચ્છમાં ભારતીય જનતા પાર્ટી ધ્વારા થયેલા દુષ્કર્મનો વિરોધ એ દુષ્કર્મ કરનારનો વિરોધ છે અને તેમાં સમગ્ર કચ્છની જનતાનો સાથ છે. ન્યાય માટેની લડતને કચ્છની વિરુધની લડત કહેવી તે હલકી માનસિકતા અને સ્ત્રી વિરોધી માનસિકતાનું પ્રદર્શન છે. કોંગ્રેસ પક્ષ ધ્વારા દુષ્કર્મના વિરોધમાં તેમજ ન્યાયની માંગ તેમજ ભવિષ્યમાં કોઈ પણ કુકર્મી અપકૃત્ય ન કરે તેના માટે તા. ૧૮ ફેબ્રુઆરી, ૨૦૧૭ ના સવારે ૧૦:૦૦ કલાકે નલિયા ખાતેથી યાત્રાનો પ્રારંભ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતભાઈ સોલંકી તથા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાધેલાની આગેવાનીમાં થશે. નલિયા ખાતે યાત્રા શરુ થતા પહેલા વીર અબડા અડભંગજીની પૂષ્પ માલા કરી યાત્રા ગાંધીનગર સુધી જશે. આ યાત્રામાં પ્રદેશના મુખ્ય આગેવાનો અર્જુનભાઈ મોઢવાડિયા, સિધ્ધાર્થભાઈ પટેલ, શક્તિસિંહ ગોહિલ વિગેરે જોડાશે.

        કચ્છમાં અનેક આસ્થાના યાત્રાધામો તેમજ પ્રવાસન માટેના ઉત્તમ સ્થાનો આવેલા છે. આ યાત્રાધામો અને પ્રવાસન સ્થાનોની મુલાકાતે દુનિયા ભરમાંથી સારા લોકો આવે છે અને કચ્છી માડુંઓની મીઠાશનો જીવનભર યાદ રહે તેવો અહેસાસ તેઓને થાય છે. કેટલાંક ભાજપના નેતાઓજ કુકર્મ  કરે છે જેનાથી કચ્છની ગૌરવવંતી પ્રતિષ્ઠાને નુકશાન થાય છે. કેટલાંક વિકૃત અને ગુનાહિત માનસિકતાવાળા ગુનેગારોને મદદ કરવા માંગે છે માટે પીડિતાને ન્યાય માટેની લડતનો વિરોધ કરે છે. આવા લોકો એવી દલીલ કરે છે કે, પીડિતાને ન્યાયની લડતથી કચ્છ બદનામ થશે અને નલિયા બદનામ થશે પરંતુ હકીકતો એ છે કે, કચ્છ અને નલિયાની નામના એટલી મોટી છે કે તે ક્યારે બદનામ થઈ જ ના શકે. ન્યાયની લડત માટે કચ્છી માડુંઓનો સુવર્ણ ઈતિહાસ છે અને હવે જો નલિયાની પીડિતાને ન્યાય ન મળી શકે તો કચ્છીયતને લાંછન લાગે. પીડિતાને ન્યાય અપાવવા સૌ કોઈએ આગળ આવવું જોઈએ અને ગુનેગારોને આડકતરી રીતે મદદ કરનારને જાકારો આપવો જોઈએ.

——————————————————————————————————

 

Click to view and download Press Note