Close

February 28, 2017

પ્રેસ નોટ ૨૮/૦૨/૨૦૧૭ માનનીય રાજયપાલશ્રીનું પ્રવચન

માનનીય રાજ્યપાલશ્રીના પ્રવચન પર
શ્રી શક્તિસિંહજી ગોહિલના વક્તવ્યની ટ્રાન્સસ્ક્રીપ્ટ તથા મુખ્ય મુદ્દાઓ

  • રાજ્યપાલશ્રીનું પ્રવચન રાજ્ય સરકારની દૃષ્ટિ, દિશા કે આયોજન વગરનું.
  • અહંકાર કરતા ભાજપના મંત્રીઓને શક્તિસિંહએ શેરની પંક્તિઓ ટાંકીને કહ્યું હતું કે, “નાદાન હૈ વહ જો કરતા હૈ, અપની બુલંદીઓ પે ગુરૂર, હમને ચડતે હુએ સુરજ કો ભી ડુબતે હુએ દેખા હૈ
  • મહાલેખાકારનો અહેવાલ જણાવે છે કે, તજજ્ઞ ડોક્ટરોની સરકારી હોસ્પિટલમાં ૭૭% ઘટ છે.
  • મહાલેખાકારના અહેવાલમાં લખ્યું છે, આદિવાસીઓની સરકાર અવગણના કરે છે. આદિવાસી વિસ્તારની હોસ્પિટલમાં એક ખાટલા ઉપર બે-બે દર્દીને સુવડાવી બાટલા ચડાવાય છે.
  • કોંગ્રેસના શાસનમાં ઉત્તમ શિક્ષણ મળતું હતું. ભાજપના આજના મંત્રીઓ કોંગ્રેસના શાસનમાં સરકારી નિશાળોમાં ભણ્યા હતા, જ્યારે આજે સરકારી શાળાઓમાં શિક્ષણ એટલું ખરાબ છે કે ભાજપના મંત્રીઓનો એક પણ બાળક સરકારી શાળામાં ભણતો નથી.
  • ભાજપની સરકારે જીએસપીસીમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર કર્યો છે. જેમ કોઈ મૂર્ખ લાખના બાર હજાર કરે તેમ કરોડો રૂપિયા ખર્ચ્યા પછી નજીવી રકમમાં કેન્દ્રના સાહસને હિસ્સો વેચ્યો છે.
  • ચકલી ખોલો તો હવે પેટ્રોલ અને ડીઝલ નીકળશે તેમ કહેનારને હવે પૂછવું છે કે કેમ એક ટીપું પણ નીકળ્યું.
  • વિદેશમાં ૧૭૩૪.૧૨ કરોડ જીએસપીસીએ નાંખ્યા અને પછી પૂરેપૂરી રકમ માંડવાળ કરીને મોટો ભ્રષ્ટાચાર કર્યો છે.
  • ઈજીપ્તના ઉમરહાથી બ્લોકમાં જીએસપીસીએ વચનબદ્ધ ખર્ચ કરતા ૭૬% કરતાં વધારે ખર્ચી નાંખ્યા અને ૨૬૩૦.૯૯ લાખ યુએસ ડોલર પાણીમાં નાંખ્યા છે.
  • કચ્છની કેનાલ પૂરી કરવાની જાહેરાત ૨૦૧૩-૧૪માં કરી હતી અને આજે ૨૦૧૭માં પણ કેનાલ પૂરી કરી નથી, પરંતુ નવી મુદ્દત નાંખી છે.
  • નર્મદાના પાણીનું દર્શન અને પ્રદર્શન થાય પરંતુ ખેડૂતના ખેતર સુધી પહોંચતું નથી, કારણ કે ૩૮૦૦૦ કિ.મી. કેનાલ ભાજપના ૨૨ વર્ષના શાસનમાં બની નથી.
  • સમાન કામ, સમાન વેતન બંધારણીય સિદ્ધાંત છે. ભાજપ ગુજરાતના યુવાનોને ફીક્સ પગાર આપી બંધારણનો ભંગ કરે છે.
  • આઉટ સોર્સીંગ પદ્ધતિ યુવાનોનું શોષણ છે. યુવાનોને પૂરતો પગાર મળવો જોઈએ.
  • કરાર આધારિત નિમણુંકના બદલે કાયમી નિમણુંક થવી જોઈએ.
  • હોમગાર્ડના જવાનોને માત્ર રૂ. ૨૦૪ દૈનિક વેતન આપવામાં આવે છે. સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ અન્ય રાજ્યો ૫૦૦થી ૭૦૦ રૂપિયા દૈનિક આપે છે.
  • શિક્ષકોની ભરતીમાં પસંદગીના જિલ્લા માટે ચાલુ નોકરીમાં હોય તે શિક્ષકોને નિમણુંક મળે, તેને નવી નિમણુંક ગણતા જેટલી જગ્યાઓ ભરવાની હોય તે પૂરતી ભરવી જોઈએ.
  • ટેટ પાસ કરેલ યુવાનોને નોકરી મળવી જોઈએ.
  • આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને સરકારી કર્મચારી ગણવા જોઈએ, તેમને પૂરતો પગાર મળવો જોઈએ, ફેરબદલીનો અધિકાર મળવો જોઈએ.
  • નલિયાકાંડની પીડિતા દીકરીને ન્યાય મળે તેવી દાનત સરકારની નથી.
  • તહોમતદારોનો નાર્કોએનાલીસ ટેસ્ટ થાય તે માટે સરકાર કામ કરે છે.

 

Click here to view and download press note.